હાલમાં જ પડેલા ધોધમાર વરસાદમાં સુરેન્દ્રનગરથી વઢવાણ વચ્ચેનો 14 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. હાલમાં જ પડેલા ધોધમાર વરસાદમાં સુરેન્દ્રનગરથી વઢવાણ વચ્ચેનો 14 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. હાલમાં જ પડેલો વરસાદથી ક્યાંક આનંદનો માહોલ છે, તો ક્યાંક વળી ઉપાધી સાબિત થયો છે. સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં આ વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં આ જ વરસાદથી મસમોટા ખાડા પડતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો 14 કિલોમીટરના રસ્તા પર 100થી વધુ એવા તોતિંગ ખાડા પડ્યા છે વાહનચાલકો પરેશાન છે. સ્થાનિક વાહનચાલકોને આ તૂટેલા રસ્તા અને ખાડાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 કિલોમીટરના આ રસ્તા પર અનેક શાળા-કોલેજ આવેલી છે, સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી દૂધની ડેરી પણ આ જ રસ્તા પર આવેલી છે. જ્યાં રોજ અનેક પશુપાલકો દૂધ ભરાવવા માટે જાય છે. લખતર, લીંબડી તરફથી અનેક વાહનો રોજ આ રસ્તા પરથી પસાર થાય છે. અંદાજિત 10 હજારથી વધુ વાહનચાલકો આ ખરાબ રસ્તા પરથી રોજ ભયના ઓથાર હેઠળ પસાર થાય છે.સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો ભોગવો નદી પરનો બ્રિજ ખૂબ જ દયનીય હાલતમાં છે. ધોળીપોળ ભોગાવો નદી પર હજુ થોડા વર્ષો પહેલા જ બનેલા આ બ્રિજમાં સળિયા બહાર નીકળી ગયા છે. કેટલાક સ્થળે તો ચારથી પાંચ ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. બ્રિજ પર બહાર નીકળી ગયેલા આ સળિયાથી વાહનચાલકોને ટાયર ફાટી જવાની ભીતિ સતાવી રહી છે.
હાલમાં જ પડેલા ધોધમાર વરસાદમાં સુરેન્દ્રનગરથી વઢવાણ વચ્ચેનો 14 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. હાલમાં જ પડેલા ધોધમાર વરસાદમાં સુરેન્દ્રનગરથી વઢવાણ વચ્ચેનો 14 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. હાલમાં જ પડેલો વરસાદથી ક્યાંક આનંદનો માહોલ છે, તો ક્યાંક વળી ઉપાધી સાબિત થયો છે. સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં આ વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં આ જ વરસાદથી મસમોટા ખાડા પડતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો 14 કિલોમીટરના રસ્તા પર 100થી વધુ એવા તોતિંગ ખાડા પડ્યા છે વાહનચાલકો પરેશાન છે. સ્થાનિક વાહનચાલકોને આ તૂટેલા રસ્તા અને ખાડાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 કિલોમીટરના આ રસ્તા પર અનેક શાળા-કોલેજ આવેલી છે, સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી દૂધની ડેરી પણ આ જ રસ્તા પર આવેલી છે. જ્યાં રોજ અનેક પશુપાલકો દૂધ ભરાવવા માટે જાય છે. લખતર, લીંબડી તરફથી અનેક વાહનો રોજ આ રસ્તા પરથી પસાર થાય છે. અંદાજિત 10 હજારથી વધુ વાહનચાલકો આ ખરાબ રસ્તા પરથી રોજ ભયના ઓથાર હેઠળ પસાર થાય છે.સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો ભોગવો નદી પરનો બ્રિજ ખૂબ જ દયનીય હાલતમાં છે. ધોળીપોળ ભોગાવો નદી પર હજુ થોડા વર્ષો પહેલા જ બનેલા આ બ્રિજમાં સળિયા બહાર નીકળી ગયા છે. કેટલાક સ્થળે તો ચારથી પાંચ ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. બ્રિજ પર બહાર નીકળી ગયેલા આ સળિયાથી વાહનચાલકોને ટાયર ફાટી જવાની ભીતિ સતાવી રહી છે.
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ. ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે. વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી. દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.1