logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા: માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે *ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા* *માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે* તાજેતરમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ, પાટણ (રાજ્ય) હસ્તકના ચારેય રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટતા હવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સતત દેખરેખ અને સ્થળ પરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ સુરક્ષિત રીતે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયેલા માર્ગોમાં (૧) મઢુત્રા–દાત્રાણા–બરારા–ધોકાવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૧.૯૮૦), (૨) રાધનપુર–લોદરા–મોરવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૫.૦૦૦), (૩) અડીયા–ચંદ્રુમણા–મણિયારી–મીઠી ધારીયાલ રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૭.૧૪૦) તેમજ (૪) ઝેકડા–ગઢા–ઝંડાલા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૨.૯૬૦)નો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર તાત્કાલિક રાહત પૂરતી કામગીરી જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. અડીયા–ચંદ્રુમણા–સેવાલા–ચાણસ્મા–મંડલોપ–મણિયારી–મીઠી ધારીયાલ માર્ગ પર કિ.મી. ૨૬/૫૦૦ થી ૨૭/૧૪૦ વચ્ચે દર ચોમાસે ઓવરટોપિંગ થતી ડીપની જગ્યાએ નવા માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 'રાજ્યધોરી માર્ગ પર ખૂટતી કડી યોજના' અંતર્ગત તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ **રૂ. ૧૩ કરોડ (રૂ. ૧૩૦૦ લાખ)**ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારશ્રી દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ઇજારદારને વર્ક ઓર્ડર એનાયત કરીને બ્રિજના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. નવો માઇનોર બ્રિજ તૈયાર થયા બાદ વરસાદી સિઝનમાં ઓવરટોપિંગની સમસ્યા દૂર થશે, માર્ગ સતત વાહનવ્યવહાર માટે કાર્યરત રહેશે અને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

1 hr ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago
d6ac3ce0-f2d2-4a03-bc8c-05ebc67c0db5

ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા: માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે *ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા* *માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે* તાજેતરમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ, પાટણ (રાજ્ય) હસ્તકના ચારેય રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટતા હવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સતત દેખરેખ અને સ્થળ પરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ સુરક્ષિત રીતે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયેલા માર્ગોમાં (૧) મઢુત્રા–દાત્રાણા–બરારા–ધોકાવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૧.૯૮૦), (૨) રાધનપુર–લોદરા–મોરવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૫.૦૦૦), (૩) અડીયા–ચંદ્રુમણા–મણિયારી–મીઠી ધારીયાલ રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૭.૧૪૦) તેમજ (૪)

3ec20d06-b545-408b-b5d3-d4b4f3e7734f

ઝેકડા–ગઢા–ઝંડાલા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૨.૯૬૦)નો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર તાત્કાલિક રાહત પૂરતી કામગીરી જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. અડીયા–ચંદ્રુમણા–સેવાલા–ચાણસ્મા–મંડલોપ–મણિયારી–મીઠી ધારીયાલ માર્ગ પર કિ.મી. ૨૬/૫૦૦ થી ૨૭/૧૪૦ વચ્ચે દર ચોમાસે ઓવરટોપિંગ થતી ડીપની જગ્યાએ નવા માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 'રાજ્યધોરી માર્ગ પર ખૂટતી કડી યોજના' અંતર્ગત તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ **રૂ. ૧૩ કરોડ (રૂ. ૧૩૦૦ લાખ)**ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારશ્રી દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ઇજારદારને વર્ક ઓર્ડર એનાયત કરીને બ્રિજના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. નવો માઇનોર બ્રિજ તૈયાર થયા બાદ વરસાદી સિઝનમાં ઓવરટોપિંગની સમસ્યા દૂર થશે, માર્ગ સતત વાહનવ્યવહાર માટે કાર્યરત રહેશે અને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More news from ગુજરાત and nearby areas
  • પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે. હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો

પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો
પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે.
હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે.
સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    35 min ago
  • *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    1
    *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ
    1
    જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Advertising agency ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    1
    Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    1
    મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    4
    આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા. આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    1
    પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન

પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન
સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો.
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા.
આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    42 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.