Shuru
Apke Nagar Ki App…
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજન સમયે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા થનાર વિરોધના સંદર્ભમાં એક નિવેદન આપવામાં આવ્યું છે.
રજની ભાઈ પરીખ
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજન સમયે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા થનાર વિરોધના સંદર્ભમાં એક નિવેદન આપવામાં આવ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજન સમયે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા થનાર વિરોધના સંદર્ભમાં એક નિવેદન આપવામાં આવ્યું છે.1
- રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે મોડી રાત્રે એકસાથે ૯ સિંહો રોડ પર આવી ચડ્યા હતા. આ સમયે, રાજુલા વનવિભાગની ટીમે તાત્કાલિક અને સરાહનીય કામગીરી હાથ ધરી હતી. વનકર્મીઓએ વાહનવ્યવહારને થોડા સમય માટે રોકાવીને ૯ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો. જંગલના રાજાના રોડ ક્રોસ કરવાના આ દ્રશ્યનો વિડીયો પણ સામે આવ્યો છે. વનવિભાગની આ કાળજીપૂર્વક અને સુરક્ષિત કામગીરી બદલ લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.2
- રાજુલા તાલુકાના સાંજણા વાવ ગામે હઝરત લીલા પીર બાપુનો પવિત્ર ઉર્ષ શરીફ ભક્તિભાવ અને અકીદત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્ષ શરીફના કાર્યક્રમમાં પીર સૈયદ નજીર બાપુ કાદરી, અબ્દુલ બાપુ કાદરી, ઈસુબ બાપુ કાદરી, સાદાતે કીરામ તેમજ મૌલાના હમીદ રજા સાહેબ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પીર સૈયદ નજીર બાપુ કાદરીએ શાનદાર નાત શરીફ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ જ ભાવપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત, બહારગામથી પધારેલા નાતખ્વાનોએ પણ સુંદર અને દિલને સ્પર્શી જાય તેવી નાત શરીફ રજૂ કરીને સમગ્ર માહોલને રૂહાની રંગમાં રંગી દીધો હતો. કાર્યક્રમના અંતે, પીર સૈયદ નજીર બાપુ કાદરીએ દેશ, સમાજ અને સમગ્ર માનવજાતની સુખ-શાંતિ, ભાઈચારા અને સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરી હતી. ઉર્ષ શરીફનો આ પવિત્ર અવસર મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક એકતાના માહોલમાં સંપન્ન થયો હતો.1
- અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.1
- ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના 'દિવ્ય દરબાર'ની સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. જાથાએ રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી ગામડે-ગામડે દિવ્ય દરબારનો વિરોધ કરવા અને સૂત્રોચ્ચાર કરવા અપીલ કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે તેઓ સનાતન હનુમંત કથાનો કદાપી વિરોધ કરતા નથી, પરંતુ દિવ્ય દરબારમાં મેડિકલ લાયસન્સ વગર કેન્સર, અસાધ્ય રોગ અને માનસિક બીમારીઓ સહિત અન્ય રોગો મટાડવાના દાવાને બેબુનિયાદ અને બોગસ ગણાવે છે. પંડ્યાએ જણાવ્યું કે 'પરચી' કાઢવી અને દિવ્ય શક્તિથી નામ જાણી વ્યક્તિને બોલાવવાનું તૂત છે, જે વિજ્ઞાન ટેકનોલોજીની મદદથી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. આમાં પોતાના માણસોને ગોઠવી લોભ-પ્રલોભનના આધારે નિર્દોષ અને ભોળા શ્રદ્ધાળુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં થયેલી આકસ્મિક દુર્ઘટનાઓ, હોનારતો, કે વિમાન અકસ્માત જેવી એક પણ બાબતે દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો નથી કે તેની અગાઉથી જાણકારી આપી નથી, જે દર્શાવે છે કે તેઓ ઢોંગી છે. જાથાનો આરોપ છે કે બાબા પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય ઈશારે ધાર્મિક કાર્યક્રમો કરે છે, હિંદુ-મુસલમાનો વચ્ચે ખોટી વાતો ઉપજાવી કાઢી દહેશત ફેલાવીને ભાગલા પાડવાનું કામ કરે છે. તેઓ સનાતનના નામે લોકોને અવળે માર્ગે વાળી મોંઘવારી, બેરોજગારી અને ગરીબી જેવા મૂળભૂત પ્રશ્નોથી ધ્યાન ભટકાવી રહ્યા છે, અને રાજકીય પક્ષોના ઈશારે દેશમાં ઉશ્કેરણીનું કામ કરે છે. જાથાએ રાજ્યભરમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શુભેચ્છકોની મદદથી બાબા વિરુદ્ધ જાગૃતિ લાવવા અને સૂત્રોચ્ચાર કાર્યક્રમની તૈયારીને વેગ આપવા જણાવ્યું હતું, તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને જાથાને સમર્થન આપવા આહવાન કર્યું હતું. પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના એક પણ દેશે ધર્મના કારણે પ્રગતિ કરી હોય તેવો દાખલો નથી અને ધાર્મિક નેતાઓ કે ધર્મથી આખરે દેશને નુકસાની જ ભોગવવી પડે છે. રાજકીય પક્ષો સત્તા ટકાવવા બાબાઓ મારફત પોતાનું ધાર્યું કરાવે છે, અને ભારતે અનેક ઢોંગી બાબાઓને જેલમાં જતાં જોયા છે, તેથી હવે જાગૃત થવાની જરૂર છે. જાથાને રાજકોટ કથાના અમુક સમર્થકો દ્વારા ધમકીઓ મળી રહી હોવાનું પણ જણાવાયું છે. પંડ્યાએ હિંદુઓને ચાર બાળકો પેદા કરવાની અને એક બાળક સંગઠનને આપવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની સલાહ જેવા ઉચ્ચારણોને કાયદા ભંગ સમાન ગણાવી, રાજકીય પક્ષની છત્રછાયા હેઠળ થતા આવા કૃત્યો સામે કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી. જો રાજકોટમાં બાબા કાયદા ભંગ કરશે તો જાથા ગુનો દાખલ કરવાની માંગણી કરશે અને પુરાવા સાથે વીડિયો ક્લિપ પોલીસને આપશે. રાજકોટમાં જાથાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ 4 અને 5 જૂને યોજાવાનો છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોને પાખંડનો વિરોધ કરવા માટે આ કાર્યક્રમમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. દેવજીભાઈ પડસુંબિયા, રમેશભાઈ જે. રાઠોડ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, હસુભાઈ દુબરીયા, હિતેશભાઈ પરમાર, પ્રવીણભાઈ લો, હિતેશભાઈ લો, સુવાસભાઈ રામ, ભાવિનભાઈ ગઢવી, વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ ખોખાણી, આદિત્ય દુબેરીયા, ગૌતમ હિંશું, મહેન્દ્ર ચાવડા, રજનીભાઈ મોસાણી, મહેશભાઈ કે. લાધવા, છગનભાઈ ડી. ચૌહાણ, નિલેશભાઈ ડી. રાઠોડ, હીરાભાઈ જાદવ, મોતીભાઈ બી. ચૌહાણ, ભાનુબેન ગોહિલ સહિત સ્થાનિક કાર્યકરોએ બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જાથાને સમર્થન જાહેર કર્યું હતું. વિજ્ઞાન જાથાએ જણાવ્યું કે તેઓ હંમેશા કાયદાને માન આપે છે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આંદોલન કાર્યક્રમને વધુ વેગવંતો બનાવશે, જેમાં રાજકોટ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવું આયોજન છે. જાથા માને છે કે દેશની પ્રગતિ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત છે, તેથી લોકોએ પોતાની મરજી મુજબ સમર્થન જાહેર કરવું જોઈએ. વધુ માહિતી માટે 98252 16689 પર સંપર્ક કરવા જણાવાયું છે.1
- Available for Rent - Storage Item For Rent : કોઈપણ વસ્તુ પાક Rent : મહિને 3000 Available From : 01/06/2026 Available Until : 01/03/2028 City / Locality : અમરેલી ચિત્તલ રોડ નવા ગીરીયા Farming Sector : Storage 2 રૂમ મોટા કમ્પાઉન્ડ વોલ ઓસરી sandash બાથરૂમ સુવિધા વાળું , પાણી+લાઈટ1
- ઇથેનોલ સંબંધિત એક વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર નારાજગી જોવા મળી રહી છે.1
- રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.4