logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી (AAP) સંગઠનમાં મોટી નિમણૂકો કરવામાં આવી છે. ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમાર રાઠવા અને તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ પક્ષના પ્રભારી વિનુભાઈ રાઠવા સહિતના અન્ય આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

3 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
3 hrs ago

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી (AAP) સંગઠનમાં મોટી નિમણૂકો કરવામાં આવી છે. ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમાર રાઠવા અને તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ પક્ષના પ્રભારી વિનુભાઈ રાઠવા સહિતના અન્ય આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર શહેરના કસભા જેર રોડ પર વર્ષો જૂનું લીમડાનું એક વિશાળ વૃક્ષ સમય જતાં સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જેનું મોટું થડ આજે પણ ત્યાં ઊભું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ સુકાઈ ગયેલા થડની અંદરથી હવે એક નવું લીલાછમ વૃક્ષ ઉગી નીકળ્યું છે. આ અનોખું દૃશ્ય સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. સુકાઈ ગયેલા લાકડાની વચ્ચે હરિયાળું વૃક્ષ વિકસતું જોઈને લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ અદ્ભુત દૃશ્યને નિહાળવા તેમજ તેના ફોટોગ્રાફ્સ લેવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે વર્ષો જૂના સુકાઈ ગયેલા થડમાંથી ફરી જીવન ફૂટવું એ ખરેખર કુદરતનો અનોખો સંદેશ છે, જે આપણને કુદરતની અદ્ભુત શક્તિ અને પુનર્જીવનની ક્ષમતા વિશે વિચારવાની પ્રેરણા આપે છે.
    1
    છોટાઉદેપુર શહેરના કસભા જેર રોડ પર વર્ષો જૂનું લીમડાનું એક વિશાળ વૃક્ષ સમય જતાં સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જેનું મોટું થડ આજે પણ ત્યાં ઊભું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ સુકાઈ ગયેલા થડની અંદરથી હવે એક નવું લીલાછમ વૃક્ષ ઉગી નીકળ્યું છે.

આ અનોખું દૃશ્ય સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. સુકાઈ ગયેલા લાકડાની વચ્ચે હરિયાળું વૃક્ષ વિકસતું જોઈને લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ અદ્ભુત દૃશ્યને નિહાળવા તેમજ તેના ફોટોગ્રાફ્સ લેવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે વર્ષો જૂના સુકાઈ ગયેલા થડમાંથી ફરી જીવન ફૂટવું એ ખરેખર કુદરતનો અનોખો સંદેશ છે, જે આપણને કુદરતની અદ્ભુત શક્તિ અને પુનર્જીવનની ક્ષમતા વિશે વિચારવાની પ્રેરણા આપે છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    50 min ago
  • છોટાઉદેપુર આમ આદમી પાર્ટી (AAP) સંગઠનમાં મોટી નિમણૂકો કરવામાં આવી છે. ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમાર રાઠવા અને તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ પક્ષના પ્રભારી વિનુભાઈ રાઠવા સહિતના અન્ય આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
    1
    છોટાઉદેપુર આમ આદમી પાર્ટી (AAP) સંગઠનમાં મોટી નિમણૂકો કરવામાં આવી છે. ૧૩૭ છોટાઉદેપુર વિધાનસભા અંતર્ગત તાલુકા પ્રમુખ તરીકે શ્રીકુંજકુમાર રાઠવા અને તાલુકા સંગઠન મંત્રી તરીકે રૂપસીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી મળવા બદલ પક્ષના પ્રભારી વિનુભાઈ રાઠવા સહિતના અન્ય આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    40 min ago
  • કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    3
    કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    58 min ago
  • દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રસૂતિ તથા સ્ત્રીરોગ વિભાગ (OBGYN) ખાતે ૧૧/૦૭/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૧૫ વાગ્યા સુધીમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે "માત્ર માતાનું દૂધ" વિષય પર એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ નવજાત શિશુના જન્મ પછીના પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડોક્ટરોએ યોગ્ય સ્તનપાનની પદ્ધતિ, માતાના દૂધના પોષણમૂલ્ય અને બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસમાં તેની ભૂમિકા વિશે લોકોને સમજાવ્યું હતું. આ ઉપરાંત, માતા માટે સ્તનપાનના આરોગ્યલક્ષી લાભો, માતા-બાળકના લાગણીસભર સંબંધની મજબૂતી અને અનેક બીમારીઓ સામે મળતા રક્ષણ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં દર્દીઓ અને તેમના પરિવારજનોના પ્રશ્નોનું નિરાકરણ કરી પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવાની અપીલ કરવામાં આવી હતી.
    1
    દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રસૂતિ તથા સ્ત્રીરોગ વિભાગ (OBGYN) ખાતે ૧૧/૦૭/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૧૫ વાગ્યા સુધીમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે "માત્ર માતાનું દૂધ" વિષય પર એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ નવજાત શિશુના જન્મ પછીના પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડોક્ટરોએ યોગ્ય સ્તનપાનની પદ્ધતિ, માતાના દૂધના પોષણમૂલ્ય અને બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસમાં તેની ભૂમિકા વિશે લોકોને સમજાવ્યું હતું. આ ઉપરાંત, માતા માટે સ્તનપાનના આરોગ્યલક્ષી લાભો, માતા-બાળકના લાગણીસભર સંબંધની મજબૂતી અને અનેક બીમારીઓ સામે મળતા રક્ષણ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં દર્દીઓ અને તેમના પરિવારજનોના પ્રશ્નોનું નિરાકરણ કરી પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવાની અપીલ કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વકોટા ગામમાં દીપડો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિક લોકોમાં ચર્ચા અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    1
    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વકોટા ગામમાં દીપડો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિક લોકોમાં ચર્ચા અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    user_Rajendra bhai Bhabhor
    Rajendra bhai Bhabhor
    Farmer દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • દાહોદ જિલ્લા અદાલત ખાતે શનિવાર, તારીખ 11/07/2026ના રોજ નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન દ્વારા સફળ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતમાં કુલ 30,355 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,182 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. રજૂ થયેલા કુલ કેસોમાંથી અંદાજે 43 ટકા કેસોમાં સુખદ સમાધાન શક્ય બન્યું હતું. આ લોક અદાલત દરમિયાન કુલ રૂ. 4,54,02,781ના સેટલમેન્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પક્ષકારોને લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી મોટી રાહત મળી હતી. પરસ્પર સમાધાન અને સહમતિથી વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ અદાલતમાં "કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં"ના સૂત્રને સાકાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન્યાયિક અધિકારીઓ, વકીલમંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પક્ષકારોએ ભાગ લઈ આ લોક અદાલતના આયોજનને સફળ બનાવ્યું હતું.
    1
    દાહોદ જિલ્લા અદાલત ખાતે શનિવાર, તારીખ 11/07/2026ના રોજ નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન દ્વારા સફળ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ નેશનલ લોક અદાલતમાં કુલ 30,355 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,182 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. રજૂ થયેલા કુલ કેસોમાંથી અંદાજે 43 ટકા કેસોમાં સુખદ સમાધાન શક્ય બન્યું હતું. આ લોક અદાલત દરમિયાન કુલ રૂ. 4,54,02,781ના સેટલમેન્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પક્ષકારોને લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી મોટી રાહત મળી હતી.

પરસ્પર સમાધાન અને સહમતિથી વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ અદાલતમાં "કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં"ના સૂત્રને સાકાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન્યાયિક અધિકારીઓ, વકીલમંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પક્ષકારોએ ભાગ લઈ આ લોક અદાલતના આયોજનને સફળ બનાવ્યું હતું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    હાલોલના ડી-માર્ટ નજીક શનિવારે એક પૂરઝડપે આવતા બાઇક ચાલકે રમીલાબેન ફતેસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આશરે 65 વર્ષીય રમીલાબેન જેઓ વાઘવાનીના પ્રતાપપુરાના રહેવાસી છે, તેઓ ડી-માર્ટ સામે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા. તે સમયે GIDC તરફથી બેફામ ગતિએ આવી રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા.

ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરતા તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.