થરાદ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણેશજીની ભવ્ય મહાઆરતી ! અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી ઉતારી પોલીસ પરિવારના આયોજનને બિરદાવ્યું* *થરાદ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણેશજીની ભવ્ય મહાઆરતી ! અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી ઉતારી પોલીસ પરિવારના આયોજનને બિરદાવ્યું* *ગણેશ મહોત્સવમાં ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અનોખો સમન્વય ! દિયોદરના અનાથ બાળકોને પ્રસાદ પેકેટનું વિતરણ* *વાવ થરાદ જીલ્લા પોલીસ પરિવાર દ્રારા ગણેશ મહોત્સવ થકી ધાર્મિકતા સાથે સેવાનો સંદેશ:- શંકરભાઈ ચૌધરી* થરાદ..... થરાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી તથા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી ભગવાન ગણેશજીની મહાઆરતી કરી હતી તેમજ પોલીસ સ્ટેશન પરિસરમાં ગણેશજીની સ્થાપના બાદ સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક, જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહાઆરતી પ્રસંગે પોલીસ પરિવાર ઉપરાંત શહેરના આગેવાનો, નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાઆરતી પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારના આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે પરંતુ લોકોને ધાર્મિક ભાવના સાથે જોડવાની સાથે સેવાકીય અને જનજાગૃતિના કાર્યોને પણ પ્રોત્સાહન મળે તે ખૂબ સારી બાબત છે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન બદલ સમગ્ર પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મહાઆરતી પ્રસંગે દિયોદરથી આવેલા અનાથ બાળકોને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિથી ગણેશ મહોત્સવને માનવતાના સંદેશ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ મહાઆરતીમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, ભાજપના આગેવાન ડી.ડી. રાજપૂત, થરાદ નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, વાવ-થરાદ જિલ્લા પોલીસવડા ચિંતન તરૈયા, નગરપાલિકાના સદસ્યો અજયભાઈ ઓઝા,સોનલબેન પ્રજાપતિ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત થરાદના પ્રાંત અધિકારી સાજન મેર, એલસીબી પીઆઈ એ.પી. ચૌધરી, થરાદ પીઆઈ એ.જી. રબારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.જે. રબારી, પીએસઆઈ સી.પી. ચૌધરી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ વાવ-થરાદ જિલ્લા પોલીસવડા ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન પરિસરમાં સાત દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પોલીસવડા ચિંતન તરૈયાએ જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ દરમિયાન લોકોને ધાર્મિક ભાવના સાથે જોડવા ઉપરાંત વિવિધ જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પોલીસ સ્ટેશન પરિસરમાં આયોજિત આ ગણેશ મહોત્સવને લઈને પોલીસ પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજલક્ષી પ્રવૃત્તિઓને સ્થાન આપવામાં આવતા ગણેશ મહોત્સવને એક આગવું સ્વરૂપ મળ્યું છે તેમજ ગણેશ મહોત્સવના સમગ્ર આયોજનમાં એલસીબી પીઆઈ એ.પી. ચૌધરી, થરાદ પીઆઈ એ.જી. રબારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.જે. ચૌધરી, પીએસઆઈ સી.પી. ચૌધરી સહિત પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો તેમજ થરાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં યોજાયેલી ભવ્ય મહાઆરતી દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું પોલીસ અને પ્રજાના સંકલન સાથે યોજાયેલા આ ગણેશ મહોત્સવે ધાર્મિક આસ્થા, જનજાગૃતિ અને સેવાભાવનો સુંદર સંદેશ આપ્યો હતો.
થરાદ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણેશજીની ભવ્ય મહાઆરતી ! અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી ઉતારી પોલીસ પરિવારના આયોજનને બિરદાવ્યું* *થરાદ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણેશજીની ભવ્ય મહાઆરતી ! અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી ઉતારી પોલીસ પરિવારના આયોજનને બિરદાવ્યું* *ગણેશ મહોત્સવમાં ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અનોખો સમન્વય ! દિયોદરના અનાથ બાળકોને પ્રસાદ પેકેટનું વિતરણ* *વાવ થરાદ જીલ્લા પોલીસ પરિવાર દ્રારા ગણેશ મહોત્સવ થકી ધાર્મિકતા સાથે સેવાનો સંદેશ:- શંકરભાઈ ચૌધરી* થરાદ..... થરાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી તથા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી ભગવાન ગણેશજીની મહાઆરતી કરી હતી તેમજ પોલીસ સ્ટેશન પરિસરમાં ગણેશજીની સ્થાપના બાદ સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક, જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહાઆરતી પ્રસંગે પોલીસ પરિવાર ઉપરાંત શહેરના આગેવાનો, નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાઆરતી પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ
વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારના આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે પરંતુ લોકોને ધાર્મિક ભાવના સાથે જોડવાની સાથે સેવાકીય અને જનજાગૃતિના કાર્યોને પણ પ્રોત્સાહન મળે તે ખૂબ સારી બાબત છે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન બદલ સમગ્ર પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મહાઆરતી પ્રસંગે દિયોદરથી આવેલા અનાથ બાળકોને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિથી ગણેશ મહોત્સવને માનવતાના સંદેશ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ મહાઆરતીમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, ભાજપના આગેવાન ડી.ડી. રાજપૂત, થરાદ નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, વાવ-થરાદ જિલ્લા પોલીસવડા ચિંતન તરૈયા, નગરપાલિકાના સદસ્યો અજયભાઈ ઓઝા,સોનલબેન પ્રજાપતિ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત થરાદના પ્રાંત અધિકારી સાજન મેર, એલસીબી પીઆઈ એ.પી. ચૌધરી, થરાદ પીઆઈ એ.જી. રબારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.જે. રબારી, પીએસઆઈ સી.પી. ચૌધરી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ વાવ-થરાદ
જિલ્લા પોલીસવડા ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન પરિસરમાં સાત દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પોલીસવડા ચિંતન તરૈયાએ જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ દરમિયાન લોકોને ધાર્મિક ભાવના સાથે જોડવા ઉપરાંત વિવિધ જનજાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પોલીસ સ્ટેશન પરિસરમાં આયોજિત આ ગણેશ મહોત્સવને લઈને પોલીસ પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજલક્ષી પ્રવૃત્તિઓને સ્થાન આપવામાં આવતા ગણેશ મહોત્સવને એક આગવું સ્વરૂપ મળ્યું છે તેમજ ગણેશ મહોત્સવના સમગ્ર આયોજનમાં એલસીબી પીઆઈ એ.પી. ચૌધરી, થરાદ પીઆઈ એ.જી. રબારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.જે. ચૌધરી, પીએસઆઈ સી.પી. ચૌધરી સહિત પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો તેમજ થરાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં યોજાયેલી ભવ્ય મહાઆરતી દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું પોલીસ અને પ્રજાના સંકલન સાથે યોજાયેલા આ ગણેશ મહોત્સવે ધાર્મિક આસ્થા, જનજાગૃતિ અને સેવાભાવનો સુંદર સંદેશ આપ્યો હતો.
- घर-घर विराजे प्रथम पूज्य भगवान श्री गणेश, गूंजा गणपति बप्पा मोरया का जयघोष। बड़वानी जिले से राजा शर्मा ब्यूरो चीफ की रिपोर्ट सेंधवा। भादौ शुक्ल चतुर्थी सोमवार को सेंधवा भर में गणेश उत्सव का शुभारंभ श्रद्धा और उत्साह के साथ हुआ। कृषि उपज मंडी, जवाहर गंज दारू गोदाम राम कटोरा निवाली रोड श्याम बाजार जय हिंद चौक मोतीझरा बाबा मंदिर अभिनव कॉलोनी राम मंदिर चौक देवझिरी नया बस स्टैंड विनोबा मार्ग और बस स्टैंड किले अंदर मंडी परिसर में सुबह से ही भक्तों की भीड़ उमड़ी। ढोल-नगाड़ों और गणपति बप्पा मोरया के जयकारों के बीच भक्त भगवान श्री गणेश की प्रतिमा घर ले गए और वैदिक मंत्रोच्चार के साथ स्थापना की। इस वर्ष पर्यावरण जागरूकता का विशेष असर दिखा। अधिकांश लोगों ने मिट्टी और प्राकृतिक रंगों से बनी ईको फ्रेंडली मूर्तियों को पसंद किया। मूर्तिकारों के अनुसार 1 फीट से 7 फीट तक की पगड़ी, फेटा और राजस्थानी श्रृंगार वाली मूर्तियां आकर्षण का केंद्र रहीं, जिनकी कीमत 351 से 11000 रुपये तक रही। घरों में फूल, लाइटिंग और रंगोली से सजावट की गई है। शहर के प्रमुख सार्वजनिक पंडाल दिनेश गंज मोतीबाग जवाहर गंज निवाली रोड मोतीझरा चौक, मौसम चौराहा मोतीबाग चौक , अभिनव कॉलोनी में भी विशाल प्रतिमाएं स्थापित हुई हैं। अगले दस दिनों तक आरती, मोदक-लड्डू के भोग और भजन-कीर्तन होगा।4
- થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ.... થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....1
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- દિયોદરમાં રઘુવંશી લોહાણા પરિવારનો ભવ્ય ગણેશોત્સવ ગણપતિ બાપાની શોભાયાત્રા, સમૂહ આરતી, અન્નકૂટ-ભોજન પ્રસાદ અને રાસ-ગરબાથી જલારામ મંદિર બન્યું ભક્તિમય દિયોદર: દિયોદર ખાતે રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર રઘુવંશી લોહાણા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ભક્તોએ શ્રદ્ધા તથા આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ ગણેશજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. જલારામ મંદિર ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેષનાગ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ એકસાથે આરતીમાં જોડાઈ ગણપતિ બાપાને નમન કરી પરિવાર અને સમાજના સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવને વધુ ઉત્સાહ અને આનંદમય બનાવવા માટે અન્નકૂટ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અન્નકૂટની પરંપરા દ્વારા ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી રઘુવંશી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા પરિવારજનો સાથે સમગ્ર જલારામ મંદિર પરિસર આનંદ, ઉલ્લાસ અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન રઘુવંશી લોહાણા પરિવારની એકતા, ભાઈચારો, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પરિવારના સૌ સભ્યોને એકસાથે જોડતું આ આયોજન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. ગણેશોત્સવના આ સુંદર અને સફળ આયોજન બદલ સંપૂર્ણ રઘુવંશી લોહાણા પરિવારે આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ઉત્સવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સ્નેહ અને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “ગણપતિ બાપા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી સૌના જીવનને ભરપૂર કરે” તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સમગ્ર રઘુવંશી લોહાણા પરિવારે ગણેશ ચતુર્થીનો પાવન ઉત્સવ અવિસ્મરણીય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.2
- પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી થરાદમાં સંકલ્પ સાથે સાબરકાંઠા થી થરાદ અને વારાણસી તરફ બાઈક રીલે. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1