Shuru
Apke Nagar Ki App…
વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ
Jagdish soni
વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ
More news from ગુજરાત and nearby areas
- વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો, જરૂરિયાતમંદોને સહાય કીટ અને નાગરિકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સમી : ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી વિશાળ બાઇક રેલીનું પાટણ જિલ્લામાં આગમન થતાં સમી તાલુકાના બાસ્પા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે યોજાયેલા સ્વાગત અને સેવા-સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળ દરમિયાન થયેલા જનકલ્યાણ, સુશાસન તથા રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે જ યુવાનો અને કાર્યકર્તાઓને સંબોધીને ‘સેવા સંકલ્પ અભિયાન’ના ઉદ્દેશ્યો અને સેવા પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક નિદાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. વડનગરથી શરૂ થયેલી બાઇક રેલીમાં જોડાયેલા યુવા રાઇડર્સ બાસ્પા પહોંચતા સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના આગમનથી સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સેવા, સન્માન અને જનસંપર્કને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં રેલીના સહભાગીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાસ્પા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ બાઇક રેલી વારાણસી તરફના આગામી પ્રવાસ માટે આગળ વધી હતી. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી થરાદમાં સંકલ્પ સાથે સાબરકાંઠા થી થરાદ અને વારાણસી તરફ બાઈક રીલે. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM કંપની સંચાલિત CNG પંપોની હડતાળ: સામાન્ય જનજીવન પ્રભાવિત1
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર તાલુકામાં વીજળી પડવાની ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ વચ્ચે સાંતલપુર તાલુકાના વૌવા ગામની સીમમાં ગત સાંજે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં વૃક્ષ નીચે આરામ કરી રહેલા ઘેટાં-બકરાં ઝપેટમાં આવી જતા અંદાજે 35થી 40 પશુઓનાં મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વૌવા ગામની સીમમાં એક ખેતરમાં વૃક્ષ નીચે ઘેટાં-બકરાંને રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગત સાંજના સમયે અચાનક વીજળી પડતાં પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઘેટાં-બકરાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ પશુઓના માલિક વેલાભાઈ રબારીને કરવામાં આવતા તેમણે વૌવા ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર બનાવ અંગે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી વિપુલભાઈને ઘટનાસ્થળે મોકલી પ્રાથમિક તપાસ કરાવવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી કુલદીપભાઈના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે વૌવા ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને ગામની સીમમાં વીજળી પડવાથી વૃક્ષ નીચે રહેલા ઘેટાં-બકરાંનાં મોત થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તલાટી કમ મંત્રીને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. હવે પશુપાલન વિભાગની ટીમ દ્વારા મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સાંતલપુર તાલુકાના પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટર ભૂમિબહેન સ્થળ પર પહોંચી જરૂરી તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે. વેટરનરી ડોક્ટર ભૂમિબહેન તરલના જણાવ્યા મુજબ, સ્થળ પર જ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલવામાં આવશે. આકાશી વીજળીની આ ઘટનામાં પશુપાલક વેલાભાઈ રબારીના મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોત થતાં તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે પશુપાલક પરિવાર પર આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. હવે સત્તાવાર તપાસ અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મૃત પશુઓની ચોક્કસ સંખ્યા અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.4
- સાંતલપુર સરકારી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓ-ડોક્ટરો પરેશાન UGVCLની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો — “આપત્તિના સમયે જવાબદાર કોણ?” ગામ સાંતલપુર, તાલુકો સાંતલપુર, જીલ્લો પાટણ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા સારવાર હેઠળના દર્દીઓ તેમજ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે વીજળીની સમસ્યા અંગે UGVCLના કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ફોન રિસીવ કરવામાં આવ્યો ન હોવાનું અને કેટલાક નંબર પર ફોન સ્વીચ ઓફ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન વીજળી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનરક્ષક વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ છે. ખાસ કરીને પ્રસૂતિ વિભાગમાં કોઈ મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય અને તે સમયે વીજળી ઉપલબ્ધ ન હોય તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે તે સમજવાની જરૂર છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ પ્રસૂતા મહિલાને વીજળીના અભાવે સમયસર સારવાર ન મળી હોત અને તેના જીવનને નુકસાન થયું હોત, તો તેની જવાબદારી કોણ લેત? શું માત્ર “સ્ટાફ ઓછો છે” કહીને UGVCL પોતાની જવાબદારીમાંથી છટકી શકે? ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે પોતાની ફરજ બજાવવી પડે છે, તો પછી વીજ પુરવઠો જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગના કર્મચારીઓએ પણ પોતાની ફરજ પ્રત્યે એટલી જ ગંભીરતા દાખવવી જરૂરી છે. સાંતલપુરની સરકારી હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાએ વીજળીની સમસ્યા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને ઇમરજન્સી સમયે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો સરકારી હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાય અને ફરિયાદ કરવા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક પણ ન થઈ શકે, તો સામાન્ય નાગરિકે મુશ્કેલીના સમયે કોનો સહારો લેવો?4