Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM કંપની સંચાલિત CNG પંપોની હડતાળ: સામાન્ય જનજીવન પ્રભાવિત
ઈકબાલ મેમણ
બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM કંપની સંચાલિત CNG પંપોની હડતાળ: સામાન્ય જનજીવન પ્રભાવિત
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા અને વાવ-થરાદમાં IRM કંપની સંચાલિત CNG પંપોની હડતાળ: સામાન્ય જનજીવન પ્રભાવિત1
- થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ.... થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....1
- દિયોદરમાં રઘુવંશી લોહાણા પરિવારનો ભવ્ય ગણેશોત્સવ ગણપતિ બાપાની શોભાયાત્રા, સમૂહ આરતી, અન્નકૂટ-ભોજન પ્રસાદ અને રાસ-ગરબાથી જલારામ મંદિર બન્યું ભક્તિમય દિયોદર: દિયોદર ખાતે રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર રઘુવંશી લોહાણા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ભક્તોએ શ્રદ્ધા તથા આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ ગણેશજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. જલારામ મંદિર ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેષનાગ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ એકસાથે આરતીમાં જોડાઈ ગણપતિ બાપાને નમન કરી પરિવાર અને સમાજના સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવને વધુ ઉત્સાહ અને આનંદમય બનાવવા માટે અન્નકૂટ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અન્નકૂટની પરંપરા દ્વારા ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી રઘુવંશી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા પરિવારજનો સાથે સમગ્ર જલારામ મંદિર પરિસર આનંદ, ઉલ્લાસ અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન રઘુવંશી લોહાણા પરિવારની એકતા, ભાઈચારો, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પરિવારના સૌ સભ્યોને એકસાથે જોડતું આ આયોજન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. ગણેશોત્સવના આ સુંદર અને સફળ આયોજન બદલ સંપૂર્ણ રઘુવંશી લોહાણા પરિવારે આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ઉત્સવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સ્નેહ અને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “ગણપતિ બાપા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી સૌના જીવનને ભરપૂર કરે” તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સમગ્ર રઘુવંશી લોહાણા પરિવારે ગણેશ ચતુર્થીનો પાવન ઉત્સવ અવિસ્મરણીય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.2
- घर-घर विराजे प्रथम पूज्य भगवान श्री गणेश, गूंजा गणपति बप्पा मोरया का जयघोष। बड़वानी जिले से राजा शर्मा ब्यूरो चीफ की रिपोर्ट सेंधवा। भादौ शुक्ल चतुर्थी सोमवार को सेंधवा भर में गणेश उत्सव का शुभारंभ श्रद्धा और उत्साह के साथ हुआ। कृषि उपज मंडी, जवाहर गंज दारू गोदाम राम कटोरा निवाली रोड श्याम बाजार जय हिंद चौक मोतीझरा बाबा मंदिर अभिनव कॉलोनी राम मंदिर चौक देवझिरी नया बस स्टैंड विनोबा मार्ग और बस स्टैंड किले अंदर मंडी परिसर में सुबह से ही भक्तों की भीड़ उमड़ी। ढोल-नगाड़ों और गणपति बप्पा मोरया के जयकारों के बीच भक्त भगवान श्री गणेश की प्रतिमा घर ले गए और वैदिक मंत्रोच्चार के साथ स्थापना की। इस वर्ष पर्यावरण जागरूकता का विशेष असर दिखा। अधिकांश लोगों ने मिट्टी और प्राकृतिक रंगों से बनी ईको फ्रेंडली मूर्तियों को पसंद किया। मूर्तिकारों के अनुसार 1 फीट से 7 फीट तक की पगड़ी, फेटा और राजस्थानी श्रृंगार वाली मूर्तियां आकर्षण का केंद्र रहीं, जिनकी कीमत 351 से 11000 रुपये तक रही। घरों में फूल, लाइटिंग और रंगोली से सजावट की गई है। शहर के प्रमुख सार्वजनिक पंडाल दिनेश गंज मोतीबाग जवाहर गंज निवाली रोड मोतीझरा चौक, मौसम चौराहा मोतीबाग चौक , अभिनव कॉलोनी में भी विशाल प्रतिमाएं स्थापित हुई हैं। अगले दस दिनों तक आरती, मोदक-लड्डू के भोग और भजन-कीर्तन होगा।4
- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં અંબાજીમાં નારી શક્તિના હસ્તે મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ *અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* ___________ *જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં અંબાજીમાં નારી શક્તિના હસ્તે મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ* ___________ *મહા મેળા પૂર્વે મોહનથાળ પ્રસાદ નિર્માણનો શુભારંભ:શુદ્ધતા અને સ્વચ્છતા સાથે પ્રસાદના ૪૦ લાખ પેકેટ બનાવવાનું લક્ષ્ય* ___________ *અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા અર્થે ૧૦૦૦ ઘાણ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનશે* ___________ (માહિતી બ્યુરો, પાલનપુર) સમાચાર સંખ્યા:- ૫૪૮/૩૬ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા- ૨૦૨૬ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી ૩૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં માતાજીના પ્રિય મોહનથાળ પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે. યાત્રાળુઓને પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રસાદને લઈને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મેળાના સુચારૂ આયોજન માટે તંત્ર દ્વારા અલગ-અલગ ૨૮ સમિતિઓની રચના કરવામાં આવી છે. મેળાના પ્રારંભ પૂર્વે આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવીને સ્વચ્છતાપૂર્ણ વાતાવરણમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરીને નિર્વિઘ્ને અને શુદ્ધતાપૂર્વક પ્રસાદ નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. આ વર્ષે પ્રસાદ નિર્માણનો પ્રારંભ 'નારી શક્તિ'ના હસ્તે કરાવવામાં આવ્યો હતો, જેમાં ડીએફઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના મહિલા અધિકારીઓ અને અંબાજીના મહિલા સફાઈ યોદ્ધાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહામેળા દરમિયાન અંદાજે ૪૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે આખા મેળા દરમિયાન ૧૦૦૦ જેટલા ઘાણ વપરાશે. મોહનથાળના એક ઘાણમાં ૧૦૦ કિલો ખાંડ, ૨૦૦ કિલો બેસન (ચણાનો લોટ), ૭૬.૫ કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને ૨૦૦ ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો અને ગુણવત્તાયુક્ત ટકી રહે તે માટે તેમાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ઘીનો વિશેષ ઉપયોગ કરી તેની શુદ્ધતા અકબંધ રાખવામાં આવે છે. પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને વહીવટદારશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પ્રસાદ નિર્માણ કાર્ય પર વોચ રાખી રહ્યા છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે પ્રસાદના સેમ્પલ લઈને તેની શુદ્ધતા ચકાસવામાં આવી રહી છે. પ્રસાદ નિર્માણ સ્થળે સુરક્ષાકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અડચણ વિના શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રસાદ મળી રહે. *** *બોક્સ* સફાઈ યોદ્ધા પિન્કીબેન સોલંકીએ પોતાની જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે આજે યોજાયેલા હોમ-હવન અને મોહનથાળ પ્રસાદ નિર્માણના શુભારંભમાં સફાઈ કામદાર બહેનોને સહભાગી બનાવી આગળ રાખવામાં આવ્યા તે અમારા સૌ માટે અત્યંત ગૌરવ અને હર્ષની ક્ષણ છે. માઁ અંબાના આશીર્વાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ માટે બનનારા પવિત્ર પ્રસાદ સેવાનો આવો ઉત્તમ અવસર માટે અમે સહભાગી બન્યા તે આનંદની બાબત છે. આ પાવન કાર્યમાં અમને અગ્રેસર રાખી અમારું બહુમાન કરવા બદલ અમે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને સમગ્ર વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ સમગ્ર મેળા દરમિયાન પૂરી નિષ્ઠા, શુદ્ધતા અને સ્વચ્છતા સાથે માઈભક્તોની સેવા કરવા કટિબદ્ધ છીએ.1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી થરાદમાં સંકલ્પ સાથે સાબરકાંઠા થી થરાદ અને વારાણસી તરફ બાઈક રીલે. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1