Shuru
Apke Nagar Ki App…
સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
More news from ગુજરાત and nearby areas
- સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1
- પાલનપુરમાં બંધ કાટમાળ ઘર ને તોડી ને નીચે પડ્યું તો દીવાલો માંથી નીકળ્યા ચાંદી ના કોઈન તો લોકો લેવા માટે પડાપડી પાલનપુરમાં બંધ કાટમાળ ઘર ને તોડી ને નીચે પડ્યું તો દીવાલો માંથી નીકળ્યા ચાંદી ના કોઈન તો લોકો લેવા માટે પડાપડી2
- Vavtharad Rain 🌧️ | ભાભર તાલુકાના નાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ... હવામાન વિભાગની આગાહી નાં પગલે... વાવ થરાદ જીલ્લામાં મેઘરાજાની મહેર1
- *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો* શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી. આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. 'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે." બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો..... *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*1
- વાવ થરાદ જિલ્લામાં લાખો રૂપિયાના બળદ વેચાણા નો વિડીયો થયો વાયરલ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- કપડા કાઢી નાખો તો 🦬સલમાન થવાય,ભારતની કમાણી થી પૈસાદાર થાય ક્રિકેટર પાકસથાન નો ખરીદે તેને 🦬સારુ ખાનકહે વાય કોકરોજ ના ઓંન્દોંલન માં ભંડારો લગાવી ને માંણસો જમાડે તેને મોટો 🦬આતંકવાદી કહેવાય વરસાદ નુ પાણી ફરી વળ્યું હોય જો ઘર માં એને ખવડાવે તેને દયાળુ દાતર કહેવાય છાતી ચીરી નાખો તો જ હનુમાન થવાય. ખાલી પૈસા જ હોય તો ધનવાન થવાય, સાથે સંસ્કાર હોય તો જ ખાનદાન થવાય. હવામાંજ ઉડ્યા કરો તો વિમાન થવાય, ધરતી પર પગ રહે તો જ ઇન્સાન થવાય. ગામ ના મળી ને જો તમને અનામત સરપંચ બનાવે તો સાચો સરપંચ થવાય જે આવે એ ભેગું કરો તો સામાન થવાય, આવે એને સમાવો તો જ આસમાન થવાય. ફક્ત કસરત કર્યા કરો તો બળવાન થવાય, મગજને જો રોજ કસો તો જ વિદ્વાન થવાય. વાતે વાતે જો ગુસ્સે થાવ તો હેરાન થવાય, ઠંડકથી પ્રશ્નો ઉકેલો તો જ આગેવાન થવાય. 🖋મન મોજીલો🖊1
- પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: રાધનપુર, સમી, હારીજ પંથકમાં વરસાદ પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા; અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક પાટણ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. પાટણ શહેર સહિત સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર ચોમેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. સમી, હારીજ અને રાધનપુર પંથકમાં પણ બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. સાંતલપુર પંથકમાં પણ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. વરસાદી માહોલથી સમગ્ર પાટણ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અનેક સ્થળોએ બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં આશા સાથે ચિંતાનું મોજું પણ જોવા મળ્યું છે. સમયસર અને સારો વરસાદ થાય તો ખેતી માટે ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે, પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ વધુ સક્રિય બનતાં વહીવટી તંત્ર પણ સાવચેત બન્યું છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- પ્રજાના સાચા લોકસેવક, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ... વડીલો અને માતાઓના આશીર્વાદથી મોટી કોઈ સંપત્તિ નથી. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યાં પણ જાય છે, ત્યાં સૌપ્રથમ વડીલોને નમન કરે છે, માતાઓના આશીર્વાદ વિનમ્રતાપૂર્વક ગ્રહણ કરે છે અને તેમના સુખ-દુઃખને પોતાના પરિવારની લાગણી સાથે સમજે છે. આવી સાદગી, સંસ્કાર, વિનમ્રતા અને નિઃસ્વાર્થ સેવા ભાવના જ તેમને લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. તેમના માટે પ્રજાની સેવા માત્ર જવાબદારી નથી, પરંતુ જીવનધર્મ છે. વડીલોનો આશીર્વાદ અને જનતાનો વિશ્વાસ જ તેમની સૌથી મોટી તાકાત છે. 🙏 પરમાત્માને પ્રાર્થના કે આદરણીય લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબ પર વડીલો અને માતાઓના આશીર્વાદ સદાય વરસતા રહે અને તેઓ સતત જનકલ્યાણ તથા પ્રજાસેવાના પવિત્ર માર્ગે આગળ વધતા રહે. જય જય ગરવી ગુજરાત! 🌿1
- સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1