વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, તા. 24 મે, 2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યે મુક્તાનંદ સર્કલ નજીક બાબા હોસ્પિટલ સામે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ, રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની ઓડી કારના ચાલકે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લાલ ઓડીનો બેફામ આતંક સ્પષ્ટ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર કનક કુંવરને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકારી એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનને તરત જ આપવામાં આવી હતી. જોકે, આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરિણામે, ઈજાગ્રસ્ત કનક કુંવરે પોતે તા. 29 મે, 2026ના રોજ, એટલે કે ઘટનાના પાંચ દિવસ બાદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અજાણ્યા લાલ રંગની ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરીથી રજૂઆત નોંધાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, તા. 24 મે, 2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યે મુક્તાનંદ સર્કલ નજીક બાબા હોસ્પિટલ સામે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ, રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની ઓડી કારના ચાલકે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લાલ ઓડીનો બેફામ આતંક સ્પષ્ટ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર કનક કુંવરને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકારી એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનને તરત જ આપવામાં આવી હતી. જોકે, આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરિણામે, ઈજાગ્રસ્ત કનક કુંવરે પોતે તા. 29 મે, 2026ના રોજ, એટલે કે ઘટનાના પાંચ દિવસ બાદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અજાણ્યા લાલ રંગની ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરીથી રજૂઆત નોંધાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
- વડોદરા શહેરમાં મધ્યરાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેજ હવાના ઝોકાં અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો હતો.1
- વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, તા. 24 મે, 2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યે મુક્તાનંદ સર્કલ નજીક બાબા હોસ્પિટલ સામે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ, રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની ઓડી કારના ચાલકે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લાલ ઓડીનો બેફામ આતંક સ્પષ્ટ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર કનક કુંવરને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકારી એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનને તરત જ આપવામાં આવી હતી. જોકે, આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરિણામે, ઈજાગ્રસ્ત કનક કુંવરે પોતે તા. 29 મે, 2026ના રોજ, એટલે કે ઘટનાના પાંચ દિવસ બાદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અજાણ્યા લાલ રંગની ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરીથી રજૂઆત નોંધાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.1
- વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચના સફાઈકર્મીઓએ બકરા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમની આ સેવા બદલ વિસ્તારના આગેવાનો દ્વારા સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.4
- વડોદરામાં, ઉત્તર પ્રદેશ પોલીસ પર ગોરવા વિસ્તારમાંથી એક ૧૫ વર્ષના સગીરનું અપહરણ કરીને હોટલમાં કુકર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે, વડોદરા પોલીસ પર ગુનેગાર પોલીસવાળાઓને બચાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આટલો ગંભીર મામલો હોવા છતાં, વડોદરા પોલીસ દ્વારા કોઈ સુનાવણી કરવામાં આવી રહી નથી, જેના કારણે ન્યાય ક્યારે મળશે તેવો પ્રશ્ન ઊભો થયો છે.2
- એક આમ આદમી પાર્ટી (આપ) ના નેતાએ ભાજપના નેતાઓની ગાડીઓમાં કાળા કાચ લગાવવાની મંજૂરી પર સવાલ ઉઠાવ્યો છે. આપ નેતાએ દાવો કર્યો છે કે તેમણે આ મામલે 'પોલ ખોલી' છે, જેનાથી ભાજપના નેતાઓ માટે લાગુ પડતા નિયમો અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે.1
- હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા સ્થિત 'નિર્માણ પેટ્રોલિયમ' પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સરકારી નિયમોનો ભંગ કરીને પેટ્રોલ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી નિયમો મુજબ બેરલ કે કારબામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરવામાં આવતા આ ગેરકાયદેસર વેચાણને કારણે પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ તપાસ માટે પંપના રેકોર્ડ અને CCTVના DVR પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અન્ય પેટ્રોલ પંપો અને ઔદ્યોગિક એકમોને પણ કડક ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ જગ્યાએ ઇંધણ ડાયવર્ટ કરવાનું કૌભાંડ પકડાશે, તો તેમની સામે બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.1
- ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા કારેલા ગામ પાસેના ૩૦૬ નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ બંધ બોડીની આઈસર ટ્રકમાં ચોરખાના બનાવી સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કુલ ૨૪૫ બોક્સ વિદેશી દારૂ અને આઈસર ટ્રક સહિત ₹૨૬,૮૭,૩૧૨/-ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દ્વારા ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.1