વિજાપુરમાં મહિલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ વિજાપુરમાં મહિલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજનો ઉપક્રમેં ગૌરવ યાત્રા યોજાઈ વિજાપુર, તા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગતવિજાપુર ની શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ એસ. પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ગૌરવ યાત્રાને ટ્રસ્ટી અશોકભાઈ જે. પટેલ તથા ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કોલેજના અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. કોલેજથી પ્રસ્થાન કરાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા વિજાપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ભાષાના ગૌરવ અને તેના પ્રાચીન વારસાને ઉજાગર કરતા સંદેશો સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સહાયક તરીકે પ્રા. ડૉ. વિનોદચંદ્ર પટેલ તથા પ્રા. ડૉ. જાગૃતિબેન પટેલે જવાબદારી સંભાળી હતી. સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પ્રબળ બને તેવા હેતુથી યોજાયેલી આ યાત્રાને સફળ બનાવવા કોલેજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
વિજાપુરમાં મહિલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ વિજાપુરમાં મહિલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજનો ઉપક્રમેં ગૌરવ યાત્રા યોજાઈ વિજાપુર, તા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગતવિજાપુર ની શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ એસ. પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ગૌરવ યાત્રાને ટ્રસ્ટી અશોકભાઈ જે. પટેલ તથા ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કોલેજના અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. કોલેજથી પ્રસ્થાન કરાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા વિજાપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ભાષાના ગૌરવ અને તેના પ્રાચીન વારસાને ઉજાગર કરતા
સંદેશો સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સહાયક તરીકે પ્રા. ડૉ. વિનોદચંદ્ર પટેલ તથા પ્રા. ડૉ. જાગૃતિબેન પટેલે જવાબદારી સંભાળી હતી. સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પ્રબળ બને તેવા હેતુથી યોજાયેલી આ યાત્રાને સફળ બનાવવા કોલેજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
- વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર1
- ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવમાઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો મહેસાણા માઉન્ટ આબુની હોટલમાં ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરીએ વેઇટરનો જીવ બચાવ્યો હોટેલમાં અચાનક હાર્ટ એટેક પૂર્વ સેક્રેટરીના પરિવારની સમજદારીથી બચ્યો જીવ! ઉંઝાના અગ્રણી અને APMCના પૂર્વ સેક્રેટરીની સમય સુચકતાના કારણે વેઈટરનો બચ્યો જીવ ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે સ્વિમિંગ પૂલ પાસે બેઠા હતા ત્યારે અચાનક વેઈટર બેભાન થઈને નીચે પડી ગયો ઊંઝા એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને પરિવારના સભ્યોએ તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી માઉન્ટ આબુની હોટેલમાં બનેલી સમગ્ર ઘટના CCTVમાં કેદ પ્રાથમિક સારવાર બાદ વેઇટરને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હાલ તબિયત સુધારા પર રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની અનિમિયતતા બાબતે સમર્થનમાં આવ્યું ABVP ગુજરાતની શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી વિવિધ સ્કોલરશીપની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ સહીત ABVP એ મહેસાણા કલેકટરશ્રીને કરી લેખિત રજુઆત.. ગુજરાતની વિવિધ શાક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC..ST.. SEBC.. EWS તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે.. પરંતુMYSY.. CMSS.. સહિત આદિવાસી વિભાગમાંથી મળતી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ સમાજકલ્યાણ વિભાગમાંથી મળતી શિષ્યવૃત્તિની રકમ સમયસર બેંકખાતામાં જમા થતી નહિ હોવાની સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠવા પામી. આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી..હોસ્ટેલ ફી...પુસ્તકો.. રહેવા-જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલીઓ પડતી રહી છે.. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને આર્થિક સંજોગોને વિશેષ રૂપે ધ્યાને લઈને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય એ માટે ABVP મહેસાણાએ કલેકટરશ્રી સમક્ષ માંગ કરવામાં આવી. આશિષ પટેલ મહેસાણા1
- ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'પોલીસ અધિક્ષકની કચેરી - સાબરકાંઠા', 'નવોદય મિશન ટ્રસ્ટ - ગાંધીનગર' અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રા. ડૉ. એમ.બી. પરમારે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ તથા ખેડબ્રહ્મા ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કુલદીપકુમારે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને લક્ષ્યપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ સમારોહમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી. પટેલ, નવોદય મિશન ટ્રસ્ટના શ્રી દાનીભાઈ. શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ. એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. કેતનભાઈ ભોઈ સહિત કોલેજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે અંતમાં આભાર વિધિ એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. જમનાબેન ગામેતી દ્વારા કરવામાં આવી હતી.2
- ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો હવે નકલી મરચું પણ! ભેળસેળવાળી વસ્તુઓ સામે કાર્યવાહી તેજ — અસલી શું છે તે શોધવા ઝુંબેશની જરૂર? બનાસકાંઠા: ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અખાદ્ય મરચાંના જથ્થા સહિત આરોગ્ય માટે જોખમી ગણાતા કલર પાવડરને જપ્ત કરવામાં આવ્યો છે. મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા વિભાગે સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ ચકાસણી માટે લીધા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગે વધુ હકીકતો સામે આવવાની શક્યતા છે. ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર લગામ કસાય તેવી માંગ ઉઠી રહી છે.1
- અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ૮૦૦થી વધારે લોકો જોડાયા.. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ આજે મોડાસામાં “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત આશરે ૮૦૦થી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરાજ રોડ સ્થિત ઉમિયા મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ઉષાબેન ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ તથા વિવિધ સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી..રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંત પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે ભારતનું આભૂષણ સંસ્કૃત ભાષા છે તેવી સમજણ આપી હતી. રેલી દરમિયાન તથા ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હેતુ સિદ્ધ થયો હતો.1
- શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.1
- અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.1