બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ચેક રિટર્નની ફરિયાદ ના આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો. કાલોલ તા ૦૭/૦૧/૨૬ *સિક્યુરિટી પેટે આપેલ ચેકનો દુરુપયોગ થયો હોવાનુ તારણ, લોન એગ્રીમેન્ટ સ્ટેટમેન્ટ લોન ની બાકી રકમ અલગ અલગ જણાઈ આવતા આરોપી નિર્દોષ* હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર હાર્દિક ભરતભાઈ પરમાર દ્વારા હાલોલ ના ઘનસર આંટા ખાતે રહેતા બળવંતભાઈ શાંતિલાલ પરમાર સામે ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી. જેની વિગત જોઈએ તો બળવંતભાઈ શાંતિલાલ પરમાર ને બેંકે રૂ ૧,૦૭,૦૦૦/નુ ખેતી વિષયક ધિરાણ આપ્યું હતું જે બદલ આરોપીએ જુદા જુદા દસ્તાવેજ બેંકની તરફેણમાં કરી આપ્યા હતા. બેંક દ્વારા બાકી રકમ અંગેની જાણ કરતા આરોપીએ તારીખ ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ નો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક પાનેલાવનો રૂ ૧,૩૫,૭૫૫/ નો ચેક લખી આપ્યો હતો જે ચેક બેંક દ્વારા ક્લિયરિંગમાં મુકતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો જે બાદ ફરિયાદી દ્વારા હાલોલ ના ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે. બી જોશી અને વી. એચ ગોહિલ હાજર રહ્યા હતા ફરિયાદી તેમજ સાક્ષીની ઉલટ તપાસમાં મહત્વની હકીકત ખુલી હતી કે ફરિયાદની સાથે લોન અરજી નું ફોર્મ, સીસી લિમિટ વર્કશીટ, જમીનની તાજી સાતબાર અને આઠ ની નકલ જેવા કોઈ દસ્તાવેજ ફરિયાદ સાથે રજૂ કર્યા નથી. વધુમાં જે ધિરાણ મેળવ્યું તેની મર્યાદા પાંચ વર્ષ માટેની હતી. ફરિયાદીએ ફરિયાદમાં ખેતી વિષયક ધિરાણ કયા મહિને,કઈ તારીખે, કયા વર્ષમાં આપ્યું તેની કોઈ વિગત જણાવેલ નથી ફરિયાદીના સાક્ષી દ્વારા ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ કે આરોપીએ રૂ ૧,૬૦,૦૦૦/ ઉપાડેલ છે. તા ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રૂ ૧,૧૦,૫૦૦/ આરોપીએ જમા કરાવ્યા છે. આ પહેલા પણ આરોપીએ ખેતીવિષયક ધિરાણ મેળવેલ છે અને નિયમિત રીતે ભરપાઈ કરેલ છે. તા ૨૦/૦૨/૨૪ ના રોજ આરોપીના ખાતામાં રૂ ૧,૧૦,૪૮૩.૩૬ બાકી છે. લોન તારીખ ૩૧/૧૨/૨૦૧૯ ની છે. સમગ્ર બાબતે બેંકની સિક્યુરિટી પેટે આપેલા ચેક નો ઉપયોગ થયો હોવાનું પણ બહાર આવેલ છે હાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એચ બીશ્નોઈ દ્વારા એડવોકેટ જીબી જોશીની દલીલોને આધારે અને રજૂ થયેલા પુરાવાને આધારે ફરિયાદમાં લોન એગ્રીમેન્ટ અને સ્ટેટમેન્ટમાં લોન ની રકમ અલગ અલગ જણાઈ આવતી હોય ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું પુરવાર કરવામાં નિષ્ફળ રહેતા આરોપી બળવંતભાઈ શાંતિલાલ પરમાર ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ચેક રિટર્નની ફરિયાદ ના આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો. કાલોલ તા ૦૭/૦૧/૨૬ *સિક્યુરિટી પેટે આપેલ ચેકનો દુરુપયોગ થયો હોવાનુ તારણ, લોન એગ્રીમેન્ટ સ્ટેટમેન્ટ લોન ની બાકી રકમ અલગ અલગ જણાઈ આવતા આરોપી નિર્દોષ* હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર હાર્દિક ભરતભાઈ પરમાર દ્વારા હાલોલ ના ઘનસર આંટા ખાતે રહેતા બળવંતભાઈ શાંતિલાલ પરમાર સામે ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી. જેની વિગત જોઈએ તો બળવંતભાઈ શાંતિલાલ પરમાર ને બેંકે રૂ ૧,૦૭,૦૦૦/નુ ખેતી વિષયક ધિરાણ આપ્યું હતું જે બદલ આરોપીએ જુદા જુદા દસ્તાવેજ બેંકની તરફેણમાં કરી આપ્યા હતા. બેંક દ્વારા બાકી રકમ અંગેની જાણ કરતા આરોપીએ તારીખ ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ નો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક પાનેલાવનો રૂ ૧,૩૫,૭૫૫/ નો ચેક લખી આપ્યો હતો જે ચેક બેંક દ્વારા ક્લિયરિંગમાં મુકતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો જે બાદ ફરિયાદી દ્વારા હાલોલ ના ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે. બી જોશી અને વી. એચ ગોહિલ હાજર રહ્યા હતા ફરિયાદી તેમજ સાક્ષીની ઉલટ તપાસમાં મહત્વની હકીકત ખુલી હતી કે ફરિયાદની સાથે લોન અરજી નું ફોર્મ, સીસી લિમિટ વર્કશીટ, જમીનની તાજી સાતબાર અને આઠ ની નકલ જેવા કોઈ દસ્તાવેજ ફરિયાદ સાથે રજૂ કર્યા નથી. વધુમાં જે ધિરાણ મેળવ્યું તેની મર્યાદા પાંચ વર્ષ માટેની હતી. ફરિયાદીએ ફરિયાદમાં ખેતી વિષયક ધિરાણ કયા મહિને,કઈ તારીખે, કયા વર્ષમાં આપ્યું તેની કોઈ વિગત જણાવેલ નથી ફરિયાદીના સાક્ષી દ્વારા ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ કે આરોપીએ રૂ ૧,૬૦,૦૦૦/ ઉપાડેલ છે. તા ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ રૂ ૧,૧૦,૫૦૦/ આરોપીએ જમા કરાવ્યા છે. આ પહેલા પણ આરોપીએ ખેતીવિષયક ધિરાણ મેળવેલ છે અને નિયમિત રીતે ભરપાઈ કરેલ છે. તા ૨૦/૦૨/૨૪ ના રોજ આરોપીના ખાતામાં રૂ ૧,૧૦,૪૮૩.૩૬ બાકી છે. લોન તારીખ ૩૧/૧૨/૨૦૧૯ ની છે. સમગ્ર બાબતે બેંકની સિક્યુરિટી પેટે આપેલા ચેક નો ઉપયોગ થયો હોવાનું પણ બહાર આવેલ છે હાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એચ બીશ્નોઈ દ્વારા એડવોકેટ જીબી જોશીની દલીલોને આધારે અને રજૂ થયેલા પુરાવાને આધારે ફરિયાદમાં લોન એગ્રીમેન્ટ અને સ્ટેટમેન્ટમાં લોન ની રકમ અલગ અલગ જણાઈ આવતી હોય ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું પુરવાર કરવામાં નિષ્ફળ રહેતા આરોપી બળવંતભાઈ શાંતિલાલ પરમાર ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
- હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર.. સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી.. ખરીદો 2 મેળવો 3 આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 📱 70410 01142 👇 સ્થળ 👇 સેલો સ્ટુડિયો ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર વડોદરા રોડ,હાલોલ.1
- હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી; વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા1
- ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે ૧૦૫.૩૨૦ કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે ₹૨૪,૨૨૩ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવીને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.2
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પોલ દ્વારા વ્હાનો ચેકિંગ દરમિયાન કાલોલ મહિલા કોર્પોરેટર ની ગાડી ચેકિંગ કરવા પોલીસ દ્વારા ઉભી કરાતા મહિલા કોર્પોરેટર પોલ સાથે ભીંડાયા1
- ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું.. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલો પર સાફ સફાઈ ન કરવામાં આવતા કચરાના ઢગલા જોવા મળ્યો4
- આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.1
- ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી.. પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1