પાટણના સાંતલપુર ખાતે આવેલી નૈમિષ ગેસ સર્વિસ કથિત કાળા કારોબારને લઈને ચર્ચામાં છે, જ્યાં ગ્રાહકો પાસેથી બિલ કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આક્ષેપો અનુસાર, ગ્રાહકો પાસેથી ₹965ની રસીદ સામે ₹1000 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. આથી, દરેક ગેસ બાટલા પાછળના વધારાના ₹35 કોના ખિસ્સામાં જાય છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચા છે કે અનેક ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની કથિત વધારાની વસૂલાત કરવામાં આવી છે. આ મામલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પુરવઠા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે. વાયરલ વીડિયો બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સા પર ડાકો પડી રહ્યો છે. આ વાયરલ વીડિયોએ સાંતલપુર પંથકમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
પાટણના સાંતલપુર ખાતે આવેલી નૈમિષ ગેસ સર્વિસ કથિત કાળા કારોબારને લઈને ચર્ચામાં છે, જ્યાં ગ્રાહકો પાસેથી બિલ કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આક્ષેપો અનુસાર, ગ્રાહકો પાસેથી ₹965ની રસીદ સામે ₹1000 સુધીની રકમ વસૂલવામાં આવી રહી
છે. આથી, દરેક ગેસ બાટલા પાછળના વધારાના ₹35 કોના ખિસ્સામાં જાય છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચા છે કે અનેક ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની કથિત વધારાની વસૂલાત કરવામાં આવી છે. આ મામલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પુરવઠા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે. વાયરલ વીડિયો બાદ
સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સા પર ડાકો પડી રહ્યો છે. આ વાયરલ વીડિયોએ સાંતલપુર પંથકમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
- રાધનપુર તાલુકા પંચાયતના સભ્ય સુરેશ ઠાકોરે દારૂના દુષણ સામે કડક પ્રહાર કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે પેદાસપુરા ગામમાં દારૂ વેચનારા અને પીનારાઓ સામે લાલ આંખ કરી છે. ઠાકોરે કડક શબ્દોમાં ચીમકી આપી છે કે, જો કોઈ દારૂ વેચશે કે દારૂ પીને ગામની ગલીઓમાં કોઈને હેરાન કરશે, તો તેને ગામમાંથી તડીપાર કરવામાં આવશે. તેમણે ગામના આગેવાનો દ્વારા લેવાયેલા દારૂબંધીના આ નિર્ણયને બિરદાવ્યો હતો. સુરેશ ઠાકોરે આ પગલાને યુવાનોના સ્વાસ્થ્ય અને ગામની શાંતિ જાળવવા માટે અત્યંત જરૂરી ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક પોલીસ પણ આ મામલે પૂરતો સહકાર આપી રહી છે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જલિયાણ સત્સંગ મંડળ દ્વારા જલારામ બાપાના 94મા મંગળ ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ભાભર નગરપાલિકાના પ્રમુખ અમરતભાઈ માળીના સહયોગથી પાલિકા ગાર્ડનમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જલારામ બાપાના ભજનો અને સત્સંગ દ્વારા અત્યંત ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભજન મંડળી દ્વારા રજૂ કરાયેલા સુમધુર ભજનોમાં ઉપસ્થિત ભક્તજનો ભાવવિભોર બની ગયા હતા. સત્સંગ દરમિયાન જલારામ બાપાના જીવનચરિત્ર, સેવાભાવ, પરોપકાર અને માનવતાના સંદેશ અંગે પ્રેરણાદાયી પ્રવચનો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાભરના નગરજનો, વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તોએ ભજન-કીર્તનનો લાભ લઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.1
- સમી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અને બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આના પગલે સમી, બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનાથી ખુશીની લાગણી જોવા મળી હતી, કારણ કે આ વરસાદે ખેતરોમાં વાવણી અને પાક અંગે નવી આશા જગાડી છે. આ ઉપરાંત, ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને પણ આ વરસાદથી રાહતનો અનુભવ થયો હતો. વરસાદની આ એન્ટ્રી સાથે સમગ્ર પંથકમાં ચોમાસાની સક્રિય શરૂઆતના સંકેતો દેખાયા છે.3
- વાવ-થરાદ જિલ્લાના દિયોદર ન્યાય મંદિરમાં આજથી આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા હેઠળ, હવે કોર્ટ સંકુલમાં જ વકીલો, પક્ષકારો અને સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહેશે. જિલ્લા પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રીના વરદ્દ હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દિયોદર સિવિલ કોર્ટ સંકુલમાં શુભારંભ કરાયેલ આ કેન્દ્રનું ઉદ્ઘાટન વાવ-થરાદ જિલ્લા તેમજ બનાસકાંઠા પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર કોર્ટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજશ્રી, વકીલ મંડળના પ્રમુખ, સિનિયર વકીલો, સરકારી વકીલ તેમજ કોર્ટ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ હવે ન્યાય સંકુલમાં ખડેપગે રહી વકીલો, પક્ષકારો તેમજ કર્મચારીઓને ઈમરજન્સી સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડશે. ઘણીવાર કોર્ટ કાર્યવાહી દરમિયાન તબિયત લથડવાના બનાવો બનતા હોય છે, ત્યારે આ કેન્દ્ર ખૂબ ઉપયોગી નીવડશે તેવી અપેક્ષા છે. દિયોદર ન્યાય મંદિરમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થતા કોર્ટ સંકુલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સેવા શરૂ કરવા બદલ વકીલ મંડળ અને પક્ષકારોએ જિલ્લા ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ન્યાયની સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરતી આ પહેલને સૌ કોઈએ આવકારી છે.1
- હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આવતી કાલ સુધી વરસાદ પડવાના સંકેતો દેખાઈ રહ્યા છે.1
- પાટણના સાંતલપુર ખાતે આવેલી નૈમિષ ગેસ સર્વિસ કથિત કાળા કારોબારને લઈને ચર્ચામાં છે, જ્યાં ગ્રાહકો પાસેથી બિલ કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આક્ષેપો અનુસાર, ગ્રાહકો પાસેથી ₹965ની રસીદ સામે ₹1000 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. આથી, દરેક ગેસ બાટલા પાછળના વધારાના ₹35 કોના ખિસ્સામાં જાય છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચા છે કે અનેક ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની કથિત વધારાની વસૂલાત કરવામાં આવી છે. આ મામલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પુરવઠા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે. વાયરલ વીડિયો બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આનાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ખિસ્સા પર ડાકો પડી રહ્યો છે. આ વાયરલ વીડિયોએ સાંતલપુર પંથકમાં અનેક સવાલો ઉભા કર્યા છે.3
- દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકાથી વ્યાપક વિનાશ સર્જાયો છે. આ ભયાવહ ઘટનામાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેના પગલે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અમેરિકાના ભૂસ્તર સર્વેક્ષણ વિભાગ (USGS)ના પ્રાથમિક અંદાજ મુજબ, આ ભૂકંપથી જાનહાનિ ખૂબ મોટી હોઈ શકે છે, જેમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ સત્તાવાર રીતે પુષ્ટિ થયેલો નથી. આ ભૂકંપને વેનેઝુએલામાં એક સદીથી વધુ સમયના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.1