logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ APMC માર્કેટ નજીક ધોળાદિવસે આંગડિયા પેઢીના એક કર્મચારી સાથે સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓએ કર્મચારી પર હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂઓ ફરાર થતા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મી લૂંટની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, DYSP, LCB અને SOG સહિતની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ લૂંટમાં કેટલી રકમની ચોરી થઈ છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

2 hrs ago
user_Dahod Live
Dahod Live
Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
2 hrs ago

દાહોદ APMC માર્કેટ નજીક ધોળાદિવસે આંગડિયા પેઢીના એક કર્મચારી સાથે સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓએ કર્મચારી પર હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂઓ ફરાર થતા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મી લૂંટની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, DYSP, LCB અને SOG સહિતની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ લૂંટમાં કેટલી રકમની ચોરી થઈ છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ APMC માર્કેટ નજીક ધોળાદિવસે આંગડિયા પેઢીના એક કર્મચારી સાથે સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓએ કર્મચારી પર હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂઓ ફરાર થતા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મી લૂંટની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, DYSP, LCB અને SOG સહિતની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ લૂંટમાં કેટલી રકમની ચોરી થઈ છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
    1
    દાહોદ APMC માર્કેટ નજીક ધોળાદિવસે આંગડિયા પેઢીના એક કર્મચારી સાથે સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા ૬ લૂંટારૂઓએ કર્મચારી પર હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂઓ ફરાર થતા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ ફિલ્મી લૂંટની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ, DYSP, LCB અને SOG સહિતની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ લૂંટમાં કેટલી રકમની ચોરી થઈ છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે આજે તારીખ 26/05/2026 મંગળવારના રોજ સવારે 11.30 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ અધિકારીઓ સમક્ષ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. અરજદારોએ મુખ્યત્વે જમીન માપણી, પીવાના પાણીની સમસ્યા અને રસ્તાના સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆતો કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ આ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન, અનેક પ્રશ્નોનું સ્થળ પર જ સંતોષકારક અને હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમણે સરકારના આ સ્વાગત કાર્યક્રમની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગામજનોને પોતાના ગામના વિકાસ કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે સંકલન જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અધિકારીઓને ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક ક્લાસવા, દેવગઢ બારિયાના મામલતદાર સમીર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે આજે તારીખ 26/05/2026 મંગળવારના રોજ સવારે 11.30 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ અધિકારીઓ સમક્ષ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી.

અરજદારોએ મુખ્યત્વે જમીન માપણી, પીવાના પાણીની સમસ્યા અને રસ્તાના સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆતો કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ આ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન, અનેક પ્રશ્નોનું સ્થળ પર જ સંતોષકારક અને હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમણે સરકારના આ સ્વાગત કાર્યક્રમની પ્રશંસા પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગામજનોને પોતાના ગામના વિકાસ કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે સંકલન જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અધિકારીઓને ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક ક્લાસવા, દેવગઢ બારિયાના મામલતદાર સમીર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
  • દાહોદ કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરીને સારવાર અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને જનકેન્દ્રિત બને તે માટે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    1
    દાહોદ કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

તેમણે દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરીને સારવાર અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને જનકેન્દ્રિત બને તે માટે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે આવેલા ડમ્પિંગ યાર્ડને હટાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો ટૂંકા સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
    1
    દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે આવેલા ડમ્પિંગ યાર્ડને હટાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો ટૂંકા સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ (ST) જાતિ પ્રમાણપત્રને વિભાગીય તપાસ બાદ અમાન્ય જાહેર કરીને રદ કરવામાં આવ્યું છે. મંજુલાબેન રાઠવા એસ.ટી. મહિલા અનામત બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રમુખ બન્યા હતા. આ સમગ્ર મામલે વિજય નાયકાની અરજી બાદ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં વર્ષ 1999-2000 દરમિયાન બનાવાયેલા જાતિના પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ વિભાગીય વિશ્લેષણ સમિતિએ મંજુલાબેન રાઠવાના પ્રમાણપત્રને રદ કરવાનો નિર્ણય લીધો. સમિતિએ આ પ્રમાણપત્ર જપ્ત કરીને તેના પર “રદ”નો સિક્કો મારવાનો પણ આદેશ કર્યો છે. દોઢ વર્ષ બાદ સભ્યપદ રદ કરવાનો આ નિર્ણય આવતા, તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
    1
    છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ (ST) જાતિ પ્રમાણપત્રને વિભાગીય તપાસ બાદ અમાન્ય જાહેર કરીને રદ કરવામાં આવ્યું છે. મંજુલાબેન રાઠવા એસ.ટી. મહિલા અનામત બેઠક પરથી ચૂંટણી જીતીને પ્રમુખ બન્યા હતા. આ સમગ્ર મામલે વિજય નાયકાની અરજી બાદ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં વર્ષ 1999-2000 દરમિયાન બનાવાયેલા જાતિના પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

તપાસ પૂર્ણ થયા બાદ વિભાગીય વિશ્લેષણ સમિતિએ મંજુલાબેન રાઠવાના પ્રમાણપત્રને રદ કરવાનો નિર્ણય લીધો. સમિતિએ આ પ્રમાણપત્ર જપ્ત કરીને તેના પર “રદ”નો સિક્કો મારવાનો પણ આદેશ કર્યો છે. દોઢ વર્ષ બાદ સભ્યપદ રદ કરવાનો આ નિર્ણય આવતા, તે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન રાઠવાના ST દાખલાને રદ કરવાના મામલે એડવોકેટ અબ્બાસ વ્હોરાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દાના કાયદાકીય પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી, જેમાં અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૧ અને ૧૨ હેઠળ કેવા પ્રકારની કડક કાર્યવાહી થઈ શકે છે તે જણાવ્યું. વ્હોરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહીની પ્રમુખ પદ પર શું અસર પડશે. આ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
    1
    છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન રાઠવાના ST દાખલાને રદ કરવાના મામલે એડવોકેટ અબ્બાસ વ્હોરાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દાના કાયદાકીય પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી, જેમાં અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૧ અને ૧૨ હેઠળ કેવા પ્રકારની કડક કાર્યવાહી થઈ શકે છે તે જણાવ્યું. વ્હોરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહીની પ્રમુખ પદ પર શું અસર પડશે. આ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • ગોધરાના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ કચેરીના સ્ટાફની મનમાનીથી જાતિના દાખલા મેળવવા આવતા ગરીબ અને શ્રમિક વર્ગના અરજદારો ભારે રોષ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કચેરીના કર્મચારીઓ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક વાલીઓ અભણ કે ઓછું ભણેલા હોય છે, જેમને કચેરીમાં આવ્યા બાદ કયું કામ ક્યાં થશે તે અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન મળતા તેઓ ઓફિસો શોધવામાં જ અટવાઈ જાય છે. ઘણીવાર અરજદારો ATVT સેન્ટરની લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહે છે અને જ્યારે તેમનો વારો આવે ત્યારે તેમને સિક્કો કરાવી લાવવા કહીને પાછા કાઢવામાં આવે છે. આ સિક્કો કરાવવા તેઓ ફરી બહુમાળી ભવનની કચેરીમાં જાય છે ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે ડોક્યુમેન્ટ નથી તેમ કહી પરત મોકલી દેવામાં આવે છે. અરજદાર પાસે સરકાર માન્ય પૂરતા દસ્તાવેજો હોવા છતાં મનસ્વી રીતે વધારાના અને બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ગામડાંથી આવતા શ્રમિક અને ખેડૂત વર્ગના માણસો પોતાની એક દિવસની રોજગારી ગુમાવીને કાળઝાળ ગરમીમાં દાખલા માટે આવે છે. સ્ટેમ્પ, એફિડેવિટ, ફોર્મ અને આવવા-જવાના ભાડા પાછળ એક ગરીબ અરજદારને આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલો મોટો ખર્ચ થતો હોય છે. પૂરતા કાગળો હોવા છતાં સ્ટાફની મનમાનીથી ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતા ગરીબ પરિવારો પર આર્થિક બોજ પડે છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે. જો સમયસર જાતિના દાખલા ન મળે તો તેજસ્વી પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં અનામતના લાભ અને એડમિશનથી વંચિત રહી જાય તેવો મોટો ભય ઊભો થયો છે. આથી, જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક કચેરીના સ્ટાફને અરજદારો સાથે યોગ્ય વર્તન કરવા અને દાખલાની પ્રક્રિયા પારદર્શક તથા સરળ બનાવવા તાકીદની સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.
    2
    ગોધરાના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ કચેરીના સ્ટાફની મનમાનીથી જાતિના દાખલા મેળવવા આવતા ગરીબ અને શ્રમિક વર્ગના અરજદારો ભારે રોષ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કચેરીના કર્મચારીઓ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક વાલીઓ અભણ કે ઓછું ભણેલા હોય છે, જેમને કચેરીમાં આવ્યા બાદ કયું કામ ક્યાં થશે તે અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન મળતા તેઓ ઓફિસો શોધવામાં જ અટવાઈ જાય છે. ઘણીવાર અરજદારો ATVT સેન્ટરની લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહે છે અને જ્યારે તેમનો વારો આવે ત્યારે તેમને સિક્કો કરાવી લાવવા કહીને પાછા કાઢવામાં આવે છે. આ સિક્કો કરાવવા તેઓ ફરી બહુમાળી ભવનની કચેરીમાં જાય છે ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે ડોક્યુમેન્ટ નથી તેમ કહી પરત મોકલી દેવામાં આવે છે.

અરજદાર પાસે સરકાર માન્ય પૂરતા દસ્તાવેજો હોવા છતાં મનસ્વી રીતે વધારાના અને બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ગામડાંથી આવતા શ્રમિક અને ખેડૂત વર્ગના માણસો પોતાની એક દિવસની રોજગારી ગુમાવીને કાળઝાળ ગરમીમાં દાખલા માટે આવે છે. સ્ટેમ્પ, એફિડેવિટ, ફોર્મ અને આવવા-જવાના ભાડા પાછળ એક ગરીબ અરજદારને આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલો મોટો ખર્ચ થતો હોય છે. પૂરતા કાગળો હોવા છતાં સ્ટાફની મનમાનીથી ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતા ગરીબ પરિવારો પર આર્થિક બોજ પડે છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે.

જો સમયસર જાતિના દાખલા ન મળે તો તેજસ્વી પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં અનામતના લાભ અને એડમિશનથી વંચિત રહી જાય તેવો મોટો ભય ઊભો થયો છે. આથી, જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક કચેરીના સ્ટાફને અરજદારો સાથે યોગ્ય વર્તન કરવા અને દાખલાની પ્રક્રિયા પારદર્શક તથા સરળ બનાવવા તાકીદની સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.
    user_Ashish Baria
    Ashish Baria
    પત્રકાર ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    19 hrs ago
  • આજે 26 મે, 2026, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં મળેલ માહિતી અનુસાર, દાહોદના ચાકલિયા રોડ પર આવેલા અમૃત આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. સોનમબેન અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર-2ના કાઉન્સિલર અંકિતાબેન ભાભોર અને મારિયાબેન ભાટિયાને પણ આમંત્રિત કરાયા હતા, જેમણે હાજર રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે, 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી, અને વાલીઓને તેમના બાળકોને નિયમિતપણે આંગણવાડી પર મોકલવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય તપાસ, રસીકરણ અને બાળ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વિસ્તારમાં બાળકોની હાજરી વધે અને વધુમાં વધુ પરિવારો આંગણવાડીની સેવાઓનો લાભ લઈ શકે તે માટે સ્થાનિક લોકોના સહયોગની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને કારણે વાલીઓ અને સ્થાનિક મહિલાઓમાં બાળ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળી હતી.
    1
    આજે 26 મે, 2026, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં મળેલ માહિતી અનુસાર, દાહોદના ચાકલિયા રોડ પર આવેલા અમૃત આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. સોનમબેન અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર-2ના કાઉન્સિલર અંકિતાબેન ભાભોર અને મારિયાબેન ભાટિયાને પણ આમંત્રિત કરાયા હતા, જેમણે હાજર રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે, 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી, અને વાલીઓને તેમના બાળકોને નિયમિતપણે આંગણવાડી પર મોકલવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય તપાસ, રસીકરણ અને બાળ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

વિસ્તારમાં બાળકોની હાજરી વધે અને વધુમાં વધુ પરિવારો આંગણવાડીની સેવાઓનો લાભ લઈ શકે તે માટે સ્થાનિક લોકોના સહયોગની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને કારણે વાલીઓ અને સ્થાનિક મહિલાઓમાં બાળ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.