રાજ્યના કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળ ૨૦૨૬-૨૭ની બેઠક ૨૬ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપવા અને નાગરિકોની સુખ-સુવિધાઓ તેમજ જનસુખાકારીમાં વધારો કરવાનો હતો, જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૬-૨૭ના કુલ ૬૪૧ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી, જેનો અંદાજિત ખર્ચ ₹૨૦.૫૦ કરોડ છે. આ ઉપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા અને ફેરફાર કરાયેલા કુલ ૧૩૬ વિકાસકામોને પણ મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં થયેલા નિર્ણયો મુજબ, જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ ₹૨૦.૫૦ કરોડના કુલ ૬૪૧ વિકાસકામોને લીલી ઝંડી મળી હતી. તે ઉપરાંત, ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ પેટા યોજના ૨૦૨૬-૨૭ માટે ₹૧.૮૪ કરોડના ખર્ચે ૭૫ વિકાસકામો હાથ ધરાશે, જ્યારે ૦૯ નગરપાલિકાના ૬૬ વિકાસકામો માટે નગરપાલિકા વિવેકાધીન યોજના હેઠળ ₹૪.૫૦ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ખાસ પ્લાન યોજના ૨૦૨૬-૨૭ હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના ૬ વિકાસકાર્યો ₹૨૦ લાખના ખર્ચે થશે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લાને અગાઉ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ₹૪૯.૨૫ કરોડની ગ્રાન્ટ મળતી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વધારીને ₹૬૬.૭૫ કરોડ કરવામાં આવી છે. આ ૩૫.૫૩ ટકાના વધારાને કારણે જિલ્લામાં વધુ વિકાસકાર્યો કરવામાં મદદ મળશે. અગાઉ વર્ષ ૨૦૨૫-૨૬માં અમરેલી જિલ્લાએ રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ₹૪૯.૨૫ કરોડની મળવાપાત્ર સંપૂર્ણ રકમની મંજૂરી અને ફાળવણી મેળવીને ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી અગ્રેસર રહ્યું છે. પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ મંજૂર થયેલા વિકાસકામોથી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા વિસ્તારોમાં નાગરિકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે અને સર્વાંગી વિકાસને મજબૂત બળ મળશે. તેમણે સંબંધિત અધિકારીઓને ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને અટકેલા વિકાસકામોને ઝડપભેર આગળ ધપાવવા સૂચના આપી હતી, તેમજ મજબૂત સંકલન સાથે જિલ્લાની વિકાસયાત્રા આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાની વિકાસયાત્રામાં સૌના સાથ અને સહકારની વાત કરી હતી અને ચોમાસા પૂર્વે માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય હેઠળના રોડ-રસ્તાઓના જરૂરી રીસર્ફેસીંગને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી અને શ્રી મહેશભાઈ કસવાલા વર્ચ્યુઅલી જોડાયા હતા. મંજૂર થયેલા કામોમાં સી.સી. રોડ, બ્લોક પેવિંગ રોડ, પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને જાહેર શૌચાલય જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬માં મંજૂર કરાયેલા કામોના પ્રગતિ પત્રકો પણ રજૂ કરાયા હતા, અને સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી શ્રી ચૌહાણે કર્યું હતું. અન્ય ઉપસ્થિતોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળ ૨૦૨૬-૨૭ની બેઠક ૨૬ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપવા અને નાગરિકોની સુખ-સુવિધાઓ તેમજ જનસુખાકારીમાં વધારો કરવાનો હતો, જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૬-૨૭ના કુલ ૬૪૧ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી, જેનો અંદાજિત ખર્ચ ₹૨૦.૫૦ કરોડ છે. આ ઉપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા અને ફેરફાર કરાયેલા કુલ ૧૩૬ વિકાસકામોને પણ મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં થયેલા નિર્ણયો મુજબ, જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ ₹૨૦.૫૦ કરોડના કુલ ૬૪૧ વિકાસકામોને લીલી ઝંડી મળી હતી. તે ઉપરાંત, ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ પેટા યોજના ૨૦૨૬-૨૭ માટે ₹૧.૮૪ કરોડના ખર્ચે ૭૫ વિકાસકામો હાથ ધરાશે, જ્યારે ૦૯ નગરપાલિકાના ૬૬ વિકાસકામો માટે નગરપાલિકા વિવેકાધીન યોજના હેઠળ ₹૪.૫૦ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ખાસ પ્લાન યોજના ૨૦૨૬-૨૭ હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના ૬ વિકાસકાર્યો ₹૨૦ લાખના ખર્ચે થશે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લાને અગાઉ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ₹૪૯.૨૫ કરોડની ગ્રાન્ટ મળતી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વધારીને ₹૬૬.૭૫ કરોડ કરવામાં આવી છે. આ ૩૫.૫૩ ટકાના વધારાને કારણે જિલ્લામાં વધુ વિકાસકાર્યો કરવામાં મદદ મળશે. અગાઉ વર્ષ ૨૦૨૫-૨૬માં અમરેલી જિલ્લાએ રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ₹૪૯.૨૫ કરોડની મળવાપાત્ર સંપૂર્ણ રકમની મંજૂરી અને ફાળવણી મેળવીને ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી અગ્રેસર રહ્યું છે. પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ મંજૂર થયેલા વિકાસકામોથી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા વિસ્તારોમાં નાગરિકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે અને સર્વાંગી વિકાસને મજબૂત બળ મળશે. તેમણે સંબંધિત અધિકારીઓને ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને અટકેલા વિકાસકામોને ઝડપભેર આગળ ધપાવવા સૂચના આપી હતી, તેમજ મજબૂત સંકલન સાથે જિલ્લાની વિકાસયાત્રા આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાની વિકાસયાત્રામાં સૌના સાથ અને સહકારની વાત કરી હતી અને ચોમાસા પૂર્વે માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય હેઠળના રોડ-રસ્તાઓના જરૂરી રીસર્ફેસીંગને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી અને શ્રી મહેશભાઈ કસવાલા વર્ચ્યુઅલી જોડાયા હતા. મંજૂર થયેલા કામોમાં સી.સી. રોડ, બ્લોક પેવિંગ રોડ, પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને જાહેર શૌચાલય જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬માં મંજૂર કરાયેલા કામોના પ્રગતિ પત્રકો પણ રજૂ કરાયા હતા, અને સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી શ્રી ચૌહાણે કર્યું હતું. અન્ય ઉપસ્થિતોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
- એક નવા અભ્યાસમાં એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. આ અભ્યાસ મુજબ, વંશવેલો આગળ વધારવાનું કામ દીકરાઓ નહીં, પરંતુ દીકરીઓ કરે છે.1
- બોટાદ જિલ્લાના ગઢડામાં ઘેલો નદી રીવર ફ્રન્ટ પાસે આવેલા નાળા પર એક મોટો ખાડો પડ્યો છે. આ નાળું ઘેલો નદી પાસે ખોડિયાર મંદિર નજીક આવેલું છે અને રાજકોટ, જસદણ, માંડવધાર, કેરાળા, રામપરા, વાવડી, રોજમાળ, ભડલી સહિતના અનેક ગામોમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. રોજ મોટી સંખ્યામાં વાહનો આ નાળા પરથી પસાર થતા હોવાથી વાહનચાલકોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર ભીતિ વ્યાપી છે. આથી, વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે નાળાના સમારકામની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમના ધ્યાન પર આ ખાડાની જાણ થતા જ નાળા પર બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે, હાલમાં કોઈ અણબનાવ ન બને તે માટે આજે રાત્રે જ સીસી કરીને ખાડો પૂરી દેવામાં આવશે. ચીફ ઓફિસરે એ પણ માહિતી આપી હતી કે, આ જગ્યાએ નવા નાળા માટે મંજૂરી મળી ગઈ છે અને તેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.1
- સુરતમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે કઠોર ગામ નજીકથી મોટી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ પકડ્યા છે. પોલીસે કુલ ₹6,18,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમોએ સરકારી પંચોને સાથે રાખીને કઠોર બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાંથી ચેતન ભરવાડ, મોહમ્મદ તોસીફ શેખ અને યાકીબ જુનેદ શેખ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, સ્કોર્પિયો ફોર-વ્હીલર ગાડી, 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસ દ્વારા હવે આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.4
- ઉના તાલુકાના કેસરિયા ગામમાં લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને ગ્રામજનો દ્વારા જનહિત લોક સેવા ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટા ડેસર જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ અને સંસ્થાના પ્રમુખ હાર્દિકભાઈ શિંગડ સહિતના આગેવાનો દીવ તરફ જતા કેસરિયા રોડ પર ધરણાં પર બેસી ગયા હતા. આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા અને માનવ જિંદગી હોમાતી હોવા છતાં સ્પીડ બ્રેકર મુકવાની અનેક રજૂઆતોને તંત્ર દ્વારા અવગણવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ હતો. આ ઉપરાંત, ઓવરલોડિંગ માટીના ડમ્પરોની વ્યાપક અવરજવર પણ અકસ્માતોનું કારણ બનતી હોવાથી તેમની અવરજવર બંધ કરવા અને અકસ્માત નિવારવા માટે એક્શન પ્લાન બનાવવાની માંગણી પણ કરવામાં આવી હતી. આજે સવારે શરૂ થયેલા આ ધરણા પ્રદર્શન દરમિયાન તંત્રનો એક પણ અધિકારી સ્થળ પર ન પહોંચતા, વિરોધ કરી રહેલા લોકો રસ્તા પર બેસી ગયા હતા અને વાહનો થંભાવી દીધા હતા. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચ્યા બાદ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. અંતે, પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યારબાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. આ આંદોલન દરમિયાન ગ્રામજનોએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનની બાજુમાં વરલી મટકાના આંકડા લખાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.3
- ગીરગઢડા પોલીસે પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાબરીયા ચેક પોસ્ટ નજીક રોડ પર પેટ્રોલીંગ દરમિયાન, પોલીસે વિદેશી દારૂની કુલ ૧૪૪ બોટલો ભરેલી એક કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. પોલીસની ટીમે બાબરીયા ગામ અને બાબરીયા ચેક પોસ્ટ આગળ રોડ ઉપર સઘન પેટ્રોલીંગ કર્યું હતું. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ ફોર વ્હીલર કારને અટકાવીને તેની તલાશી લેવામાં આવી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ રેડ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૪૪ બોટલો, જેની કિંમત ₹ ૧,૦૪,૪૦૦/- છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મારુતિ સુઝુકી કાર (કિંમત ₹ ૫૦,૦૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹ ૩,૦૦૦/-) પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કુલ ₹ ૧,૫૭,૪૦૦/- થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સ્થળ પરથી કાર ચાલક જયેશભાઇ તુલસીદાસ હેમાણી (ઉંમર ૨૬, ધંધો: મજુરી, રહે. જુનાગઢ, જલારામ સોસાયટી, લક્ષ્મીનગરની પાછળ, બ્લોક નંબર ૧૭) ની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો શંભુભાઇ જુગાભાઇ ડગીયા અને પિયુશભાઇ શંભુભાઇ ડગીયા (બંને રહે. જામવાળા ગામ) ના નામો ખુલ્યા છે, જે હાલ ફરાર છે. ગીરગઢડા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધીને, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.1
- ઓસ્ટ્રેલિયામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક નાનું પ્લેન પેરાગ્લાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે પ્લેન હવામાં જ બે ટુકડા થઈ ગયું. જોકે, આ ભયાનક અકસ્માત છતાં એક મહિલાએ પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.1
- આ એક અત્યંત પ્રેરણાદાયક વાર્તા છે, જે દર્શાવે છે કે કુદરતી રીતે આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ હિંમત હારી નથી.1
- જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામના રૂપેશભાઈ જીતુભાઈ ત્રાડાએ બિન અનામત વર્ગ અને EWS દાખલા કઢાવવા માટે અરજદારોને પડતી ભારે હાલાકી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અરજદારોને ફોટો પડાવવા માટે મામલતદાર કચેરી અને વેરિફિકેશન માટે તાલુકા પંચાયત કચેરી સુધી વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ વચ્ચે આશરે અઢી કિલોમીટરનું અંતર હોવાથી, સામાન્ય અરજદારોને વારંવાર જવા-આવવામાં સમય અને ખર્ચ બંનેનો મોટો બોજો ઉઠાવવો પડે છે. અરજદારોનું સ્પષ્ટપણે કહેવું છે કે એક જ કામ માટે અલગ અલગ કચેરીઓમાં ફેરા ખવડાવવાના બદલે એક જ સ્થળે તમામ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. દાખલા કઢાવવા માટે લોકોને આ રીતે ધક્કા ખાવા પડી રહ્યા છે.1
- ગીરગઢડામાં એક હનીટ્રેપનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક યુવતી અને એક નકલી પોલીસ અધિકારીએ એક આધેડ વ્યક્તિને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમની પાસેથી ₹2.05 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. યુવતી અને નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ સાથે મળીને આધેડને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીના આધારે તેમણે ભયભીત થયેલા આધેડ પાસેથી ₹2.05 લાખની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર મામલે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગીરગઢડા પોલીસે આ હનીટ્રેપ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.1