Shuru
Apke Nagar Ki App…
ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત. *ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત* ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે કાળમુખા અજાણ્યા વાહને પદયાત્રી દંપતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગલસાણા ગામના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. માતાજીની મન્નત પૂરી કરવા જઈ રહેલા દંપતીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ ઝેઝરિયા અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે ચંદુભાઈ અને વસંતબેન બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
Sanjay Zala Official
ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત. *ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત* ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે કાળમુખા અજાણ્યા વાહને પદયાત્રી દંપતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગલસાણા ગામના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. માતાજીની મન્નત પૂરી કરવા જઈ રહેલા દંપતીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ ઝેઝરિયા અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે ચંદુભાઈ અને વસંતબેન બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
More news from ગુજરાત and nearby areas
- *ધંધુકા તાલુકા ભાજપ સંગઠનનું માળખું જાહેર: વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.* ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ નવા સંગઠન માળખામાં લઘુમતી મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. આ નિમણૂકોને પગલે ધંધુકા તાલુકા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ નવનિયુક્ત સભ્યોને પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે1
- Post by Vopul luhar1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.1
- અમારા કર્મચારી બેનને આશાવર્કર ના ભાઈ ટેલીફોન પર ગેરવર્તન કરેલ તે બાબતે નોટીસ આપી હતી બાકી તેમના આક્ષેપો ખોટા હોવાનુ ડોક્ટરે જણાવ્યું..1
- gam asundrali Thi Gam Manpar no rasto bav kharab che to maher bani Kari ne maare gujrat sarkar ne jana vanu ke gamda na karsa ma thoduk dyan devravo aamne sehr java ma bav taklif pade che saher na rasta hova sata nava bane che to gamda na kacha rasta Kem paka Kem nathi banta2
- ભાવનગરના અધેલાઇ ગામેથી કફ શીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો SOGએ રવી રમેશભાઈ મીઠાપરાને ઝડપી કાર્યવાહી આદરી1
- *ધંધુકા-રાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત* ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે કાળમુખા અજાણ્યા વાહને પદયાત્રી દંપતીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગલસાણા ગામના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. માતાજીની મન્નત પૂરી કરવા જઈ રહેલા દંપતીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધંધુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ ઝેઝરિયા અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું અને ગંભીર ઈજાઓ થવાને કારણે ચંદુભાઈ અને વસંતબેન બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.1