આગામી ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનના સફળ આયોજન અને અસરકારક અમલીકરણ માટે થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રસીકરણ કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ તમામ આરોગ્ય કર્મચારીઓને પોલિયો રસીકરણ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અભિયાનમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘર-ઘર સંપર્ક અભિયાન, રસીકરણ બૂથોની વ્યવસ્થા, રસીના યોગ્ય સંગ્રહ અને સમયસર રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કર્મચારીઓને તેમના સોંપાયેલા વિસ્તારોમાં સંપૂર્ણ જવાબદારી અને નિષ્ઠા સાથે કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ, ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી આ અભિયાનને શત-પ્રતિશત સફળ બનાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
આગામી ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનના સફળ આયોજન અને અસરકારક અમલીકરણ માટે થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રસીકરણ કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ તમામ આરોગ્ય કર્મચારીઓને પોલિયો રસીકરણ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અભિયાનમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન
રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘર-ઘર સંપર્ક અભિયાન, રસીકરણ બૂથોની વ્યવસ્થા, રસીના યોગ્ય સંગ્રહ અને સમયસર રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કર્મચારીઓને તેમના સોંપાયેલા વિસ્તારોમાં સંપૂર્ણ જવાબદારી અને નિષ્ઠા સાથે કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ, ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી આ અભિયાનને શત-પ્રતિશત સફળ બનાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
- આગામી ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનના સફળ આયોજન અને અસરકારક અમલીકરણ માટે થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રસીકરણ કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ તમામ આરોગ્ય કર્મચારીઓને પોલિયો રસીકરણ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અભિયાનમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘર-ઘર સંપર્ક અભિયાન, રસીકરણ બૂથોની વ્યવસ્થા, રસીના યોગ્ય સંગ્રહ અને સમયસર રસીકરણની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ કર્મચારીઓને તેમના સોંપાયેલા વિસ્તારોમાં સંપૂર્ણ જવાબદારી અને નિષ્ઠા સાથે કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ, ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી આ અભિયાનને શત-પ્રતિશત સફળ બનાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.2
- કેશોદ નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો બગીચો હાલ અત્યંત દયનીય સ્થિતિમાં છે, જેને લઈને શહેરમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. થોડા સમય પહેલાં જ ધામધૂમથી શરૂ કરાયેલા આ બગીચામાં ઉદ્ઘાટન સમયે મ્યુઝિકલ લાઇટિંગ સિસ્ટમ, ફુવારા અને વિવિધ આકર્ષણો કાર્યરત હતા, પરંતુ આજે તેની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બગીચાની અંદરનું પાણી લાંબા સમયથી બદલવામાં ન આવતાં એટલી દુર્ગંધ ફેલાઈ રહી છે કે નજીકથી પસાર થતા લોકોને નાક પર હાથ રાખીને નીકળવું પડે છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં, જાળવણીના અભાવે આ બગીચો શોભાનું સ્થળ બનવાના બદલે લોકો માટે તકલીફનું કારણ બની ગયો છે; મ્યુઝિકલ લાઇટિંગ પણ બંધ છે અને સ્પ્રે બોક્સમાંનું પાણી સડી ગયું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નવી બોડી સત્તામાં આવ્યા પછી વિકાસ અને જાળવણી કરતાં કાર્યક્રમો અને સ્વાગત સમારંભોમાં વધુ રસ લેવામાં આવી રહ્યો છે. હવે લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે શહેરની જાહેર સંપત્તિઓની દેખરેખ અને સંભાળ રાખવાની જવાબદારી કોની છે. કેશોદના નાગરિકોમાં આવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે કે શું નગરપાલિકાના પ્રમુખ અને જવાબદાર પદાધિકારીઓ શહેરની સમસ્યાઓ પર ધ્યાન આપશે કે પછી માત્ર મંચો અને સન્માન સમારંભોમાં જ વ્યસ્ત રહેશે, અને કરોડોના ખર્ચે બનેલી સુવિધાઓની આ દયનીય હાલત માટે કોણ જવાબદાર છે.4
- અમરેલી ખાતે બ્રોડગેજ રેલવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'મિશન બ્રોડગેજ અમરેલી' સમિતિએ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.1
- અમરેલી જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને નવી ગતિ આપતાં, ઊર્જા અને કાયદા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે DBS Poly Pack અને DBS Prepack LLP નામના PET પ્રીફોર્મ ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમરેલી શહેર નજીક કૃષ્ણા સોલ્વેન્ટ પાસે, ફતેપુરા રોડ પર સ્થિત આ અદ્યતન યુનિટની સ્થાપના દિવ્યાંગ ઉદ્યોગસાહસિક શ્રી ચેતનભાઈ તથા તેમના સાથી મિત્રો શ્રી દીપકભાઈ, શ્રી નરેશભાઈ અને શ્રી સુરેશભાઈ સહિત ચાર યુવા ઉદ્યોગસાહસિકોએ સંયુક્ત રીતે કરી છે. આ શુભારંભ તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ થયો હતો. PET બોટલના ઉત્પાદન માટે જરૂરી PET પ્રીફોર્મ બનાવતું અમરેલી જિલ્લામાં આ પ્રકારનું આ પ્રથમ યુનિટ છે. આ નવી ઔદ્યોગિક પહેલથી સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ તેમજ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક સ્તરે પ્રીફોર્મના ઉત્પાદનથી પેકેજિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગોને પણ સીધો લાભ થવાની શક્યતા છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વેકરિયાએ યુવા ઉદ્યોગસાહસિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, યુવાનોની મહેનત, દૃઢ સંકલ્પ અને નવીન વિચારસરણી જ સ્થાનિક ઉદ્યોગોના વિકાસની ચાવી છે, જે માત્ર વ્યવસાયિક પ્રગતિ જ નહીં, પરંતુ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને પણ વેગ આપે છે. 'મન હોય તો માળવે જવાય'ની કાઠિયાવાડી કહેવતને સાકાર કરતાં, દિવ્યાંગ હોવા છતાં શ્રી ચેતનભાઈએ પોતાના સાથીદારો સાથે મળીને આ ઉદ્યોગ સ્થાપવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાદાયી છે અને દર્શાવે છે કે સતત પરિશ્રમ, સાહસ અને આત્મવિશ્વાસથી કોઈપણ પડકારને અવસરમાં પરિવર્તિત કરી શકાય છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, સરળ વ્યવસાયિક પ્રક્રિયાઓ અને પ્રોત્સાહનોને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળી રહી છે, જેના પરિણામે અમરેલી જિલ્લામાં પણ ઉદ્યોગો માટે અનુકૂળ માહોલ સર્જાઈ રહ્યો છે. DBS Poly Pack અને DBS Prepack LLP ના સ્થાપકો તથા સમગ્ર ટીમને આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ અને તેમના ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીના અંગત મદદનીશ શ્રી ભાવેશ ભાલિયા, શ્રી જીતેન્દ્ર બોદર, શ્રી પરેશ બોઘરા, શ્રી મહેશ વઘાસીયા, શ્રી આશિષ ધડુક, શ્રી મિલાપ ભટ્ટ, શ્રી મનીષ કુબાવત, શ્રી લક્ષદીપ મહાજન, શ્રી હાર્દિક સુખડીયા, શ્રી રજની વઘાસીયા, શ્રી મહેશ રંગપારીયા, શ્રી રવિ કોટડીયા, શ્રી નારાયણ કોટડીયા, શ્રી હિમાંશુ ગોધાણી, શ્રી જયદીપ પાંચાણી, શ્રી જયદીપ ચોવટીયા, શ્રી નરેશ વેકરિયા, શ્રી રમેશ ભંડેરી, શ્રી અભિષેક માંડણકા, શ્રી જીતેન્દ્ર કથીરિયા, શ્રી મુકેશ જોષી, શાસ્ત્રીશ્રી પુનિતદાદા જોષી, શ્રી પરેશ વાડદોરીયા, શ્રી ધાર્મિક સોરઠીયા, શ્રી ઘનશ્યામ ભુવા, શ્રી કિરીટભાઈ સુખડીયા, શ્રી ગોપાલ ખૂંટ, શ્રી ખીમજીભાઈ વાડદોરીયા, શ્રી નિમેષભાઈ પારેખ સહિત શ્રી જયસુખભાઈ કોટડીયા અને સારથી સોસાયટીના અંગત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.1
- ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ વિસ્તાર નજીકના એક ગામમાં આવેલા આંબાના બગીચામાં સવારના સમયે વનરાજ નિર્ભય બનીને લટાર મારતો કેમેરામાં કેદ થયો છે. આ અદ્ભુત દ્રશ્યો, જેમાં સિંહ જાણે વિસ્તારનું સર્વેક્ષણ કરવા આવ્યો હોય તેમ જણાઈ રહ્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ સિંહોની અવરજવર વધતાં સ્થાનિકોમાં કુતૂહલની સાથે ચિંતા પણ વધી રહી છે.1
- ગુજરાતના અંબાજીમાંથી એક પોલીસકર્મી સાથે ધક્કામુક્કીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને કારણે લોકોમાં એવો સવાલ ઉભો થયો છે કે શું હવે રાજ્યમાં પોલીસનો ડર અથવા ખોફ રહ્યો નથી.1
- જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં થોડા દિવસો પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને યોગ્ય વળતર ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને કારણે વીજપોલ નાખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, અને આજરોજ જસદણ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.4
- અમરેલી જિલ્લાના ૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 'અમરેલી સુરક્ષા કવચ' એપ્લિકેશન અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.1