Shuru
Apke Nagar Ki App…
વડોદરામાં જય મા શક્તિ એન્ટરટેનમેન્ટ દ્વારા ગુજરાતી અર્બન મુવી 'એક ભુલ' ના શૂટિંગનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
THE BEALERT
વડોદરામાં જય મા શક્તિ એન્ટરટેનમેન્ટ દ્વારા ગુજરાતી અર્બન મુવી 'એક ભુલ' ના શૂટિંગનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- વડોદરામાં જય મા શક્તિ એન્ટરટેનમેન્ટ દ્વારા ગુજરાતી અર્બન મુવી 'એક ભુલ' ના શૂટિંગનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.2
- વડોદરામાં દીકરીઓને સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવાની સલાહ આપવામાં આવી છે. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર જોવા મળતા ખોટા આકર્ષણથી દીકરીઓએ ખાસ બચવું જોઈએ.1
- વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના મુખ્ય માર્ગ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી સતત રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને વાસ મારતું આવી રહ્યું છે. ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, જેથી સમગ્ર પંથકમાં રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા વચ્ચે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાઉન્સિલરો હાથ જોડીને આવી જાય છે, પરંતુ જીત્યા પછી જનતા મુશ્કેલીમાં હોવા છતાં કોઈ ફરકતું પણ નથી. આ વિકટ પરિસ્થિતિ અંગે વડોદરા પાલિકા તંત્રમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.1
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ ગામના વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ દરેક વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગામના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે અવરજવર કરવામાં ગામલોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે ગ્રામજનોએ સરપંચ શબ્બીરભાઈ આલમને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રા યોજાય તે પહેલા જ ભગવાન જગન્નાથજીના પાવન દર્શન મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.1
- ભરૂચ જિલ્લાના નબીપુર નજીક હાઇવે પર એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક આઇસર ટેમ્પા ચાલકે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પાછળના કારણો શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.1