વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા અને સમર્પણ’ના ૨૫ વર્ષની ઉજવણી – ‘સેવા સંકલ્પ અભિયાન’નો આવતીકાલથી પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા અને સમર્પણ’ના ૨૫ વર્ષની ઉજવણી – ‘સેવા સંકલ્પ અભિયાન’નો આવતીકાલથી પ્રારંભ આવતીકાલે જિલ્લાના તમામ તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા અનુરોધ અમરેલી તા. ૧૬ સપ્ટેમ્બર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં રપ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રથમ દિવસે જ એટલે કે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે “સેવા મેરા યોગદાન” અંતર્ગત તાલુકા વાઇઝ મેગા બ્લડ ડોનેશન અને MVBDC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આ કેમ્પ યોજાશે. જે અંતર્ગત સાવરકુંડલામાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી કે.કે. મહેતા હોસ્પિટલ ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી શકાશે. જ્યારે અમરેલી તાલુકામાં પી.એચ.સી વાંકીયા અને જૂના માર્કેટિંગ યાર્ડ સ્થિત કર્તવ્ય કાર્યાલય ખાતે તેમજ બાબરા તાલુકામાં પી.એચ.સી મોટા દેવળીયા અને સી.એચ.સી બાબરા ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે. આ ઉપરાંત, બગસરામાં કુંકાવાવ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે, કુંકાવાવમાં સી.એચ.સી કુંકાવાવ ખાતે, રાજુલામાં એસ.ડી.એચ રાજુલા ખાતે તેમજ જાફરાબાદમાં પીપળી કાંઠા પાસે આવેલ બંદર જેટી ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા તેમજ દિતલા-ધારી ખાતે બપોરે ૦૨:૩૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. તમામ કેમ્પની જગ્યાએ રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો પર તબીબી ટીમો દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી સુચારૂ રૂપે હાથ ધરવામાં આવશે. “લોહીનું દાન એ મહાદાન છે” અને ‘સેવા સંકલ્પ અભિયાન’ના આ પવિત્ર અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલીના તમામ રક્તદાતાઓ, યુવાનો અને સેવાભાવી નાગરિકોને પોતાના નજીકના કેન્દ્ર પર ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. આ મહા-અભિયાનમાં દરેક નાગરિક પોતાનું સક્રિય યોગદાન આપીને સેવાના ભાગીદાર બને તેમ અપીલ કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા અને સમર્પણ’ના ૨૫ વર્ષની ઉજવણી – ‘સેવા સંકલ્પ અભિયાન’નો આવતીકાલથી પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા અને સમર્પણ’ના ૨૫ વર્ષની ઉજવણી – ‘સેવા સંકલ્પ અભિયાન’નો આવતીકાલથી પ્રારંભ આવતીકાલે જિલ્લાના તમામ તાલુકામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા અનુરોધ અમરેલી તા. ૧૬ સપ્ટેમ્બર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં રપ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રથમ દિવસે જ એટલે કે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે “સેવા મેરા યોગદાન” અંતર્ગત તાલુકા વાઇઝ મેગા બ્લડ ડોનેશન અને MVBDC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આ કેમ્પ યોજાશે. જે અંતર્ગત સાવરકુંડલામાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી કે.કે. મહેતા હોસ્પિટલ ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી શકાશે. જ્યારે અમરેલી તાલુકામાં પી.એચ.સી વાંકીયા અને જૂના માર્કેટિંગ યાર્ડ સ્થિત કર્તવ્ય કાર્યાલય ખાતે તેમજ બાબરા તાલુકામાં પી.એચ.સી મોટા દેવળીયા અને સી.એચ.સી બાબરા ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે. આ ઉપરાંત, બગસરામાં કુંકાવાવ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે, કુંકાવાવમાં સી.એચ.સી કુંકાવાવ ખાતે, રાજુલામાં એસ.ડી.એચ રાજુલા ખાતે તેમજ જાફરાબાદમાં પીપળી કાંઠા પાસે આવેલ બંદર જેટી ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા તેમજ દિતલા-ધારી ખાતે બપોરે ૦૨:૩૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. તમામ કેમ્પની જગ્યાએ રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો પર તબીબી ટીમો દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી સુચારૂ રૂપે હાથ ધરવામાં આવશે. “લોહીનું દાન એ મહાદાન છે” અને ‘સેવા સંકલ્પ અભિયાન’ના આ પવિત્ર અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલીના તમામ રક્તદાતાઓ, યુવાનો અને સેવાભાવી નાગરિકોને પોતાના નજીકના કેન્દ્ર પર ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. આ મહા-અભિયાનમાં દરેક નાગરિક પોતાનું સક્રિય યોગદાન આપીને સેવાના ભાગીદાર બને તેમ અપીલ કરવામાં આવી છે.
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી... SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1