Shuru
Apke Nagar Ki App…
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ સમયે તલવાર થી ડાન્સ કરતો વિડિઓ વાયરલ
Nationgujarat.com
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ સમયે તલવાર થી ડાન્સ કરતો વિડિઓ વાયરલ
More news from ગુજરાત and nearby areas
- Post by THE BEALERT NEWS1
- Post by Nationgujarat.com1
- Post by Thakor Parmar3
- હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે 31 માર્ચ મંગળવારના રોજ સાજના સુમારે ટ્રક ની અડફેટે એક બાઇક ચાલક આવી જતા બાઇક ચાલક અને સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી.હાલોલ ના વોલ્ટર ટ્રાન્સફોર્મર ખાતે સામાન ખાલી કરવા આવેલું ટ્રક બોડેલી તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન જ્યોતિ સર્કલ પાસે બાઇક ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો થયો. બંને ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાઇક પર અનગઢ રામપુરા ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ ગોહિલ અને તેમની પત્ની સુમિત્રાબેન ગોહિલ સવાર હતા. તેઓ હાલોલ થી વડોદરા તરફ જતા હતા. અકસ્માતમાં સુમિત્રાબેનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેમનો પગ ફેકચર થયો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે1
- શિનોર તાલુકા ટીંગલોદ ગામમાં કરુણ ઘટના | તળાવમાં ડૂબી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ ટીંગલોદ તળાવ દુર્ઘટના: એક કરુણ અંત અને બચાવ કામગીરી પર સવાલો શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં માછલી પકડવા ગયેલા એક આધેડ વયના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને સાથે જ બચાવ કામગીરીની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીંગલોદ ગામના ૫૫ વર્ષીય રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ગત રાત્રે આશરે ૭ વાગ્યાની આસપાસ ગામના તળાવમાં માછલી પકડવા ગયા હતા. તળાવ કિનારે કાદવ-કીચડ હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકોએ તેમની બૂમો સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. આ ઘટનાની જાણ લગભગ અડધા કલાકમાં કરજણ ફાયર સેફ્ટીને કરવામાં આવી હતી. કરજણ ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખરી, પરંતુ ગામજનોના આક્ષેપ મુજબ, તેમણે બચાવ કામગીરી શરૂ કરી નહોતી. ગામલોકોનો દાવો છે કે જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોત, તો કદાચ રાજેશભાઈના પરિવારને તેમનો મૃતદેહ વહેલી તકે મળી શક્યો હોત. આ વિલંબને કારણે પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી. દુર્ભાગ્યવશ, રાજેશભાઈ વસાવાને જીવતા બચાવી શકાયા નહોતા. બીજા દિવસે સવારે કરજણ ફાયર સેફ્ટીની ટીમે ફરીથી ટીંગલોદ ગામે પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબા પ્રયાસો બાદ રાજેશભાઈ વસાવાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ ઘટનાએ સ્થાનિક બચાવ દળોની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. એક તરફ, એક નિર્દોષ જીવ કાદવ-કીચડના કારણે અકાળે કાળનો કોળિયો બની ગયો, અને બીજી તરફ, બચાવ કામગીરીમાં થયેલા કથિત વિલંબને કારણે પરિવારજનોની વેદનામાં વધારો થયો. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બચાવ દળો વધુ સજ્જ અને ત્વરિત પ્રતિભાવ આપવા સક્ષમ બને. આ દુર્ઘટના રાજેશભાઈના પરિવાર માટે એક કાયમી ઘા બની રહેશે, અને સમાજ માટે એક બોધપાઠ કે સુરક્ષા અને ત્વરિત પ્રતિભાવનું મહત્વ કેટલું અનિવાર્ય છે. બ્યુરો ચીફ . પિન્ટુ વસાવા વડોદરા1
- ૬ ગામોને મળી ઈ-ટેમ્પોની ભેટ, ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કરાવ્યું પ્રસ્થાન આમોદ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) હેઠળ એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામીણ જીવનશૈલીને વધુ આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિર્મળ ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે તાલુકાના ૬ પસંદગીના ગામોમાં કચરાના નિકાલ માટે આધુનિક ઈ-ટેમ્પોની ફાળવણી કરવામાં આવી છે, જેનું ભવ્ય લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ગામડાઓમાં કચરાના ઢગલા ભૂતકાળ બનશે. આ ઈ-ટેમ્પો દ્વારા ગામના પ્રત્યેક ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકત્રિત કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બનશે, જેનાથી માત્ર ગંદકી જ નહીં, પરંતુ ચોમાસા દરમિયાન ફેલાતા સંભવિત રોગચાળા પર પણ કાબૂ મેળવી શકાશે. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી, પણ એક સામાજિક સંસ્કાર છે. જ્યાં સુધી દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને સહયોગ નહીં આપે, ત્યાં સુધી સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય અશક્ય છે. આ ઈ-ટેમ્પો સુવિધા ગ્રામીણ જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે એક સુરક્ષા કવચ સાબિત થશે.આ પ્રસંગે આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની સાથે તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રની આ પહેલને ગ્રામજનોએ પણ ઉમળકાભેર વધાવી લીધી છે, જે ભવિષ્યમાં સ્વસ્થ અને સુંદર આમોદના નિર્માણમાં પાયાનો પથ્થર બનશે.1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by Nationgujarat.com1