અરવલ્લી જિલ્લાના શામળાજી-મોડાસા હાઇવે પર આવેલા લાલપુર શામળાજી રેલ્વે સ્ટેશન નજીક એક ગંભીર કાર અકસ્માત સર્જાયો હતો. ઉદેપુરથી કપડવંજ જઈ રહેલી કારનું અચાનક ટાયર નીકળી જવાના કારણે કાર બેકાબૂ બની પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્ષણભર માટે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મુશ્કેલ ઘડીએ અકસ્માત સ્થળેથી પસાર થઈ રહેલા ટીંટોઇના પત્રકાર કાદરભાઈ ડમરીએ સમયસૂચકતા દાખવી કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં બંને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહેતા ત્યાં હાજર લોકોએ પત્રકાર કાદરભાઈ ડમરીની આ કામગીરીની ભારે સરાહના કરી હતી.
અરવલ્લી જિલ્લાના શામળાજી-મોડાસા હાઇવે પર આવેલા લાલપુર શામળાજી રેલ્વે સ્ટેશન નજીક એક ગંભીર કાર અકસ્માત સર્જાયો હતો. ઉદેપુરથી કપડવંજ જઈ રહેલી કારનું અચાનક ટાયર નીકળી જવાના કારણે કાર બેકાબૂ બની પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્ષણભર માટે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મુશ્કેલ ઘડીએ અકસ્માત સ્થળેથી પસાર થઈ રહેલા ટીંટોઇના પત્રકાર કાદરભાઈ ડમરીએ સમયસૂચકતા દાખવી કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં બંને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહેતા ત્યાં હાજર લોકોએ પત્રકાર કાદરભાઈ ડમરીની આ કામગીરીની ભારે સરાહના કરી હતી.
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કેસને હાલમાં શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે અને બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. આ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. મચ્છર અને રેતીમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગામમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.2
- ગાંધીનગર સ્થિત ભારતીય સેનાના મિલિટરી સેન્ટરમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની આગેવાનીમાં અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હરિત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું હતું. આ આયોજન દરમિયાન કેબિનેટ મંત્રી, સૈન્યના અધિકારીઓ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રણેતા જીતુભાઈ, ટ્રસ્ટીઓ અને પર્યાવરણપ્રેમીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ વહેતો કર્યો હતો. આ કાર્યક્રમમાં કર્નલ સિદ્ધરાજસિંહ ભાટી, મેજર સૌરભ કુમાર અને તેમની ટીમની વિશેષ કામગીરીને બિરદાવવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલના સહયોગથી અહીં છેલ્લા બે વર્ષમાં પ્રતિ વર્ષ ૨૧ હજારથી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કરાયું છે. હવે ત્રીજા વર્ષમાં પ્રવેશતાની સાથે જ સમગ્ર સૈન્ય કેમ્પસમાં ૧ લાખ વૃક્ષો વાવીને હરિત આવરણ ઊભું કરવાનો નવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧.૨૫ કરોડથી વધુ વૃક્ષો વાવીને વિસ્તારને હરિયાળો બનાવવાનો જે મહાસંકલ્પ ચાલી રહ્યો છે, આ અભિયાન તેમાં મોટું યોગદાન આપી રહ્યું છે. કાર્યક્રમના અંતે જીતુભાઈએ ઉપસ્થિત સૌને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પાંચ સંકલ્પો લેવડાવ્યા હતા અને જણાવ્યું હતું કે વૃક્ષારોપણ એ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી અને આવનારી પેઢી માટે હરિયાળા ભવિષ્યનું નિર્માણ છે.1
- મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં હવેલી બારીયા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા સમારોહમાં મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હવેલી વિભાગના સામાજિક અને રાજકીય આગેવાનો, બારીયા સમાજ મંડળના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલિવાડ, પંચમહાલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા, શિવમ ઇન્સ્ટીટ્યુટ સંસ્થાના ડિરેક્ટર વિક્રમસિંહ ખાંટ, સી. એન. બારીયા, હવેલી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મકનસિંહ પગી સહિત સમાજના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી આપીને ગરિમા વધારી હતી.1
- વિજયનગરના પોલો ફોરેસ્ટમાં એક કરુણ દુર્ઘટના ઘટી છે, જેમાં બે યુવકો પાણીમાં ડૂબી ગયા છે. મૃત્યુ પામેલા બંને યુવકોની ઓળખ ટીંટોઈના સાહિલ મોરી અને યશ વાઘેલા તરીકે કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ બંને યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ સમગ્ર ટીંટોઈ સહિત અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને હાલ આ મામલે વધુ વિગતો આવવાની રાહ જોવાઈ રહી છે।1