સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્રિષ્ણા વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૪/૩/૨૦૨૬ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર, સરકારી કચેરીઓ આગળ ધરણા ઉપવાસ, દેખાવોની પ્રવૃતિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યાક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્રિષ્ણા વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૪/૩/૨૦૨૬ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર, સરકારી કચેરીઓ આગળ ધરણા ઉપવાસ, દેખાવોની પ્રવૃતિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યાક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
- દેવગઢ કંપા–નેત્રામલી ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે પટેલ પરિવાર દ્વારા દાદીમાની પાંચમી પૂર્ણતિ નિમિત્તે આનંદનો ગરબો પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિમય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ પ્રસંગે શ્રી આનંદ આરાધના ધામ આશ્રમના બાપજી અને દીદીના મધુર કંઠે ૯૩૦ ગરબા પાઠનું ગાન કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને આયોજન બદલ પટેલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.1
- 📍वेणपुर शामलाजी अरवल्ली 📌 (हाईवे नंबर 48) वेणपुर गांव के आगे से हाईवे निकलता है। वहां पर ब्रिज ना होने के कारण बहुत तकलीफ होती है। बच्चों को हाईवे के उस पार से आने में दिक्कत होती हैं। आप सभी वीडियो में देख ही सकते है ओर दूसरी समस्या वेणपुर गांव में गौशाला है जिस में कई सारी गाय माता है उनका चारा । हाईवे के उस पार होता है तो चारा लेने के लिए उन लोगों को 3km दूर जाना पड़ता है। ओर मेन बात इस हाईवे पर कई सारे एक्सीडेंट हो चुके है । मगर कोई इसको सीरियसली लेता ही नहीं। मेरा सरकार से निवेदन है कि यहां पर ब्रिज की समस्या दूर हो ताकि गांव वालों को आने जाने में दिक्कत ना हो। धन्यवाद 🙏1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો1
- રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.1
- અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006503
- જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું1
- ઈડર શહેરના દલજીત નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રીહરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહ દરમિયાન સંસ્થાના સંચાલક અજયભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓ કિશનભાઈ સોની, વિપુલકુમાર લોનવાલા અને એમ.ડી. રાઠોડ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના વ્યક્ત કરી હતી.વિદાયની આ ક્ષણો વિદ્યાર્થીઓ માટે સ્મરણિય બની રહી હતી, જેમાં લાગણીઓ સાથે નવા સપનાઓનો સંકલ્પ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.1