Shuru
Apke Nagar Ki App…
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ઇકો વાન અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, માતા પિતાની હાજરીમાં 9 વર્ષની દીકરીએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરી સાથ સહકાર આપવાનું ભૂલશો નહીં.
Apna Bajar Halol
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ઇકો વાન અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, માતા પિતાની હાજરીમાં 9 વર્ષની દીકરીએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરી સાથ સહકાર આપવાનું ભૂલશો નહીં.
More news from ગુજરાત and nearby areas
- ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ તથા પોલીસ યુનિવર્સિટી પર પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ... #paruluniversity #paruluniversity🎓 #vadodara #waghodia #viralreels1
- નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?1
- રાજપીપલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન ની ભવ્ય ઉજવણી બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં રાજપીપલા ના પ્રાંત અધિકારી શ્રી સુશ્રી પરસનજીત કૌર દ્વારા માહિતી આપવામાં આવી1
- દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વારંવાર ખાનગી ટ્રાવેલશોના અકસ્માતો થઈ રહ્યા છે અને નિર્દોષ મુસાફરો ઈજાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આ બેફામ દોડતી ખાનગી ટ્રાવેલશો ઉપર અંકુશ આવેતો અકસ્માતોની ઘટનાઓ ઓછી થવા પામે1
- દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ખાતેથી યુવકનો મૃતદેહ મળ્યો આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં નેનકી ગામના જ અંદાજીત 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળતાં ચકચાર મચ્યો સંજેલી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી બનાવ અંગે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ1
- બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.1
- દાહોદ જિલ્લાના લીમડી નગરના નવીન પાઈપ લાઈન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં લીમડી સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી, ઉપસરપંચ કુલદીપ મોરી, તલાટી કમ મંત્રી કિરણ મછાર સહિત ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનોની આગેવાનીમાં કરાયું ખાતમુહૂર્ત ગ્રામજનો દ્વારા કરાયેલ રજૂઆતને પગલે કરાયું કામગીરીનું ખાતમુહૂર્ત લીમડી ચાર રસ્તા થી ગોધરા રોડ વણજાર વાસ ચોકડી સુધી નવીન પાઈપ લાઈન કામગીરી કરવામાં આવશે1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- Post by Tushar Singh1