logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આગામી શિવરાત્રીના મીની કુંભ મેળાની પોરબંદર એસ.ટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ, રાઉન્ડ ધ ક્લોક બસો મુકવામાં આવશે પોરબંદર ડેપો મેનેજર પી.બી.મકવાણાના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આ વર્ષે શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હોઇ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં જવાના છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઇપણ જાતની અગવડ ન પડે તે હેતુસર સમગ્ર જુનાગઢ વિભાગ માં કુલ 325 બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામા આવનાર છે અને પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જુનાગઢ જવા માટે વધારાની એક્સ્ટ્રા બસો રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે પોરબંદર એસ.ટી સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી દ્વારા શ્રદ્ધાળુઓને બહોળી સંખ્યામાં આ એક્સ્ટ્રા બસોનો લાભ લેવા તેમજ બસ સ્ટેશન પર અને બસોમાં સ્વચ્છતા જાળવવા નમ્ર અનુરોધ કરવામાં આવેલ છે.

on 9 February
user_Nagesh Modedara
Nagesh Modedara
Local News Reporter Porbandar, Gujarat•
on 9 February

આગામી શિવરાત્રીના મીની કુંભ મેળાની પોરબંદર એસ.ટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ, રાઉન્ડ ધ ક્લોક બસો મુકવામાં આવશે પોરબંદર ડેપો મેનેજર પી.બી.મકવાણાના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા આ વર્ષે શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હોઇ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં જવાના છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઇપણ જાતની અગવડ ન પડે તે હેતુસર સમગ્ર જુનાગઢ વિભાગ માં કુલ 325 બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામા આવનાર છે અને પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તેમજ દેવભૂમિ દ્વારકાથી પણ જુનાગઢ જવા માટે વધારાની એક્સ્ટ્રા બસો રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે પોરબંદર એસ.ટી સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી દ્વારા શ્રદ્ધાળુઓને બહોળી સંખ્યામાં આ એક્સ્ટ્રા બસોનો લાભ લેવા તેમજ બસ સ્ટેશન પર અને બસોમાં સ્વચ્છતા જાળવવા નમ્ર અનુરોધ કરવામાં આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયો એવો હતો કે જેને સાંભળતા બહેન-દીકરીઓ સહિત વૃદ્ધોમાં ક્ષોભ ફેલાયો હતો અને પોરબંદર તથા પોરબંદરવાસીઓની ગરિમાને ઠેસ પહોંચી હતી. મામલો પોલીસના ધ્યાન પર આવતા, સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યક્તિએ હાથ જોડીને સમગ્ર પોરબંદરવાસીઓ પાસે માફી માંગી અને વિડીયો ડીલીટ કર્યો. આ વ્યક્તિ એક સિંગર છે જે સોશિયલ મીડિયા પર અવનવા કન્ટેન્ટ મૂકવા માટે જાણીતો છે. થોડા દિવસો અગાઉ આવા જ એક ઇસમએ વીડિયોમાં અપશબ્દો બોલી અને કાયદા કાનૂનનો ડર નથી તેવા કન્ટેન્ટ વાળો વીડિયો બનાવતા પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર ટાળવા માટે આવા બીભત્સ અને ગેરલાયક કન્ટેન્ટ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ અથવા અપમાનજનક વીડિયો, ગીતો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કોઈની ખાનગી માહિતી લીક કરે તેવું કન્ટેન્ટ શેર કરવાનું ટાળે અને સકારાત્મક તથા ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે.
    1
    સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અપશબ્દોથી ભરેલું ગીત પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ વીડિયો એવો હતો કે જેને સાંભળતા બહેન-દીકરીઓ સહિત 
વૃદ્ધોમાં ક્ષોભ ફેલાયો હતો અને પોરબંદર તથા પોરબંદરવાસીઓની ગરિમાને ઠેસ પહોંચી હતી. મામલો પોલીસના ધ્યાન પર આવતા, સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યક્તિએ હાથ જોડીને સમગ્ર પોરબંદરવાસીઓ પાસે માફી માંગી અને વિડીયો ડીલીટ કર્યો. આ વ્યક્તિ એક સિંગર છે જે સોશિયલ મીડિયા પર અવનવા કન્ટેન્ટ મૂકવા માટે જાણીતો છે. થોડા દિવસો અગાઉ આવા જ એક ઇસમએ વીડિયોમાં અપશબ્દો બોલી અને કાયદા કાનૂનનો ડર નથી તેવા કન્ટેન્ટ વાળો વીડિયો બનાવતા પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર ટાળવા માટે આવા બીભત્સ અને ગેરલાયક કન્ટેન્ટ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ અથવા અપમાનજનક વીડિયો, ગીતો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કોઈની ખાનગી માહિતી લીક કરે તેવું કન્ટેન્ટ શેર કરવાનું ટાળે અને સકારાત્મક તથા ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે.
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    17 hrs ago
  • ખંભાળિયા વિસ્તારમાં રિક્ષા મારફતે મુસાફરોને વિશ્વાસમાં લઈ નકલી સોનાના ચેઈન બહાને કીમતી ચીજ વસ્તુઓ ઠગતા બે આરોપીઓને LCB ટીમ એ ઝડપી પાડ્યા.
    1
    ખંભાળિયા વિસ્તારમાં રિક્ષા મારફતે મુસાફરોને વિશ્વાસમાં લઈ નકલી સોનાના ચેઈન બહાને કીમતી ચીજ વસ્તુઓ ઠગતા બે આરોપીઓને LCB ટીમ એ ઝડપી પાડ્યા.
    user_Gaurang JK
    Gaurang JK
    Photographer ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    14 hrs ago
  • 18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે. મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે. વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે. ▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી ▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી ▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું ▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. * 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ❌ તૈયાર નાસ્તો ❌ દૂધ પુરવઠો બંધ રાખવામાં આવશે. વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    7
    18 થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ સાથે કામથી દૂર રહેશે
માંગણીઓના ઉકેલ માટે સરકાર સામે ફરી રજૂઆત
રાજ્યભરના આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રજા રિપોર્ટ ભરીને તેઓ આ સમયગાળા દરમિયાન સેવાઓથી દૂર રહેશે.
મળતી માહિતી મુજબ, આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓએ આ પગલું ભર્યું છે.
વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપતા આવ્યા છે અને આગળ પણ આપશે. ખાસ કરીને બાળકો માટેના પોષણ આહાર કાર્યક્રમમાં તેમણે પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરીને સેવાઓ ચાલુ રાખી છે.
▪️ પોષણ આહાર માટે 2018-19 ના જૂના દરથી જ કામગીરી
▪️ બજારમાં ભાવ વધ્યા છતાં બાળકોને ખોરાકમાં કમી નહીં રહેવા દીધી
▪️ “પોષણ સુધા” હેઠળ માત્ર ₹19 મળતા હોવા છતાં માતાઓને ભોજન આપ્યું
▪️ 2022થી નવા મોબાઈલના વચન છતાં વ્યક્તિગત મોબાઈલથી કામગીરી
વર્કરો એ પણ જણાવ્યું કે નવા એપ્લિકેશનના વધતા બોજા છતાં યોગ્ય સાધનો મળ્યા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેઓએ સરકારને માંગ કરી છે કે તાત્કાલિક બેઠક બોલાવી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.
* 18 થી 20 માર્ચ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં
❌ તૈયાર નાસ્તો
❌ દૂધ પુરવઠો
બંધ રાખવામાં આવશે.
વર્કરો દ્વારા અધિકારીઓને તેમની રજૂઆત ઉપર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
હવે જોવાનું રહ્યું કે સરકાર આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માંગણીઓ અંગે કેટલા જલ્દી પગલાં લે છે અને આ મુદ્દાનો ઉકેલ ક્યારે આવે છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
    1
    લુશાણા થી થાણાપીપળી રોડ નું નવીનીકરણ કરવામા આવ્યા ના ૧ મહિના જેવો સમય વીત્યા પછી પણ રોડ ઉપર ની સાઇડ ભરવા માં આવી નથી 
જેના લીધે ૪ થી ૫ અકસ્માત સર્જાયા હતા જેમાં કોઈ જાનહાનિ ટળી હતી 
તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    23 hrs ago
  • માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    માળીયા હાટીના પોલીસ દ્વારા બાબરા ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ખીમજી નારણ વડેસા નામના શખ્સના મકાનની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંતાડીને રખાયેલો ૨ લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૪૦૦) ભરેલી ૪ જેટલી બુંગીઓ જપ્ત કરી હતી. જોકે, પોલીસની આ રેડ દરમિયાન આરોપી ખીમજી હાજર ન મળી આવતા, પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી : બાઈટ ચેતનાબેન જાગાણી બાઈટ શિલ્પા બેન સોઢા સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    1
    એન્કર : ધોરાજી માં આંગણવાડી બહેનો અને હેલપર બહેનો દ્વારા રામધુન બાલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચાર કર્યા હતા અને તમામ કામગીરી થી અણગા રહયા હતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખ્યા : 
વિઓ : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે અને આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો પોતાની પડતર પ્રશ્નો અને માંગણી ઓ જેવી કે મોબાઇલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી તેથી મુશ્કેલી પડે છે નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી પણ હજુ આપ્યા નથી અને આંગણવાડી બહેનો નેં અન્ય કામગીરી માંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણી ઓ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી નાં તાલુકા પંચાયત નાં ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલપર બહેનો એકત્રિત થઈ હતી અને સુત્રોચાર પણ લગાવ્યા હતા અને સાથોસાથ બહેનો એ રામધુન પણ બોલાવી હતી અને સરકાર નેં સદબુદ્ધિ આપે અને બહેનો ની તકલીફો દૂર કરવાં માં આવે અને આંગણવાડી બહેન પણ રડતી આંખે જોવા મળી હતી અને પોતાની વ્યથા ઠાલવતાં સરકાર બહેનો ની માંગણી તાત્કાલિક સંતોષવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી :
બાઈટ ચેતનાબેન જાગાણી 
બાઈટ શિલ્પા બેન સોઢા 
સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    1
    બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..!
પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી.
રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો.
ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ.
વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    6 hrs ago
  • ખાંભાળીયા વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી વિશ્વાસમાં લઇ બગસરાના ચેઇનના બદલામાં તેમની પાસેથી કિમતી ચીજિસ્તુ લઇ નાશી જઇ છેતરપીંડી કરતી બેલડીને ઝડપી પાડતી એલ.સી.બી.- દેવભૂમિ દ્વારકા
    1
    ખાંભાળીયા વિસ્તારમાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી વિશ્વાસમાં લઇ
બગસરાના ચેઇનના બદલામાં તેમની પાસેથી કિમતી ચીજિસ્તુ લઇ નાશી જઇ છેતરપીંડી કરતી બેલડીને ઝડપી પાડતી એલ.સી.બી.- દેવભૂમિ દ્વારકા
    user_Gaurang JK
    Gaurang JK
    Photographer ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.