Shuru
Apke Nagar Ki App…
મેઘરજના પટેલ છાપરા ગામે વીજકર્મીને કરંટ લાગ્યો, ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયો – વીજકર્મીઓની સેફટીને લઇ અનેક સવાલો .!!! અરવલ્લી જિલ્લામાં વીજકર્મીઓને કરંટ લાગવાની વધુ એક ઘટના સામે આવતા વીજ વિભાગની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે 11 KV લાઇનની ફરિયાદ સોલ કરવા ગયેલા વીજકર્મીને અચાનક કરંટ લાગ્યો હતો.મળતી માહિતી મુજબ, પંચાલ ગામના એસ એસ ભોઈ (ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ) વીજકર્મી ફીડર રખાપુરની 11 KV લાઇનની ફરિયાદ દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનામાં તેમના પગના ભાગેથી કરંટ ફૂટી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર અજરૂદ્દીન મકરાણી મેઘરજ...
Azhar Makrani Reporter...
મેઘરજના પટેલ છાપરા ગામે વીજકર્મીને કરંટ લાગ્યો, ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયો – વીજકર્મીઓની સેફટીને લઇ અનેક સવાલો .!!! અરવલ્લી જિલ્લામાં વીજકર્મીઓને કરંટ લાગવાની વધુ એક ઘટના સામે આવતા વીજ વિભાગની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે 11 KV લાઇનની ફરિયાદ સોલ કરવા ગયેલા વીજકર્મીને અચાનક કરંટ લાગ્યો હતો.મળતી માહિતી મુજબ, પંચાલ ગામના એસ એસ ભોઈ (ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ) વીજકર્મી ફીડર રખાપુરની 11 KV લાઇનની ફરિયાદ દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનામાં તેમના પગના ભાગેથી કરંટ ફૂટી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર અજરૂદ્દીન મકરાણી મેઘરજ...
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંજ તહેવારોના કારણે વાતાવરણ ભક્તિમય બની જાય છે આ માસમાં આવતા તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે જેમાં ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે બહેન ભાઈ ઉપર કોઈ સંકટ ન આવે તેના રક્ષણ માટે રાખડી બાંધીને પ્રાર્થના કરે છે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવાર થીજ અબાલ વૃદ્ધ સૌકોઈ માં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ માટે બજાર માં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી હતી બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતું ત્યારબાદ ભાઈ પત્નીને પણ નણંદોએ રાખડી બાંધી હતી રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો અને મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓને ત્યાં રાખડી લઈ રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે અને જનોઈ બદલાતા હોય છે લીંભોઈ ગામ અને મોડાસાના ઓધારી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી4
- અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.4
- મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય1
- ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ. ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ.1
- લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ. જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-2
- સદગુરુ કબીર સાહેબ સત્સંગ કબીરપંથના **કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?” કબીરપંથના કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?”ત્યારબાદ કબીર સાહેબ પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને સૃષ્ટિના આદિ-અંતનું તત્ત્વ મુહમ્મદ સાહેબને સમજાવે છે. આ આખો પ્રસંગ “મુહમ્મદ બોધ” નામના પ્રકરણ સાથે જોડાયેલો છે.1
- સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈ બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.. સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈને બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બહેનોએ ભાઈઓ માટે રાખડી તેમજ મીઠાઈની ખરીદી કરવા બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર બજાર વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધનની ખરીદીના કારણે બજારના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતા ચારેકોર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. વેપારીઓમાં પણ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.3