Shuru
Apke Nagar Ki App…
મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
Arvalli city news
મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.4
- મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય1
- મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.3
- ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ. ગુજરાતની દારૂબંધી ને લઈ શું કહ્યું એડવોકેટ, સમાજ સેવક કીર્તિ રાજ પંડ્યાએ.1
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...1
- યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્1
- વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા. વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી. સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.1
- પટેલ છાપરા ગામે 11 KV લાઈનની ફરિયાદ દૂર કરવા ગયેલા વીજકર્મચારીને કરંટ લાગ્યો પટેલ છાપરા ગામે 11 KV લાઈનની ફરિયાદ દૂર કરવા ગયેલા વીજકર્મચારીને કરંટ લાગ્યો1