એસપીબી કોલેજ ખાતે નાણાકીય આયોજન પર રાજ્યસ્તરીય સેમિનાર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તા. 10-01-2026ના રોજ “Wealth Creation and Peace of Mind through Financial Planning” વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ખાસ કરીને M.Comના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનું આયોજન વી. ટી. ચોકસી લૉ કોલેજ, સુરતના ચિત્રા સુબોધ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા તરીકે શ્વેતાંગ શેઠ અને જય ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાણાકીય આયોજન, બચત અને રોકાણના વિકલ્પો, દીર્ઘકાળીન સંપત્તિ સર્જન, જોખમ વ્યવસ્થાપન તથા માનસિક શાંતિ માટે યોગ્ય આર્થિક આયોજનના મહત્વ પર વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. વાસ્તવિક ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર નાણાકીય નિર્ણય લેવાની દિશામાં પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના કુલ 105 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થયો હતો. આ સમગ્ર સેમિનારનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યા અને M..Com કોઓર્ડિનેટર ડૉ સવિતા સોંઘીના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના વડા ડૉ. સુનિલ રાજાણીના સંચાલન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
એસપીબી કોલેજ ખાતે નાણાકીય આયોજન પર રાજ્યસ્તરીય સેમિનાર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા તા. 10-01-2026ના રોજ “Wealth Creation and Peace of Mind through Financial Planning” વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ખાસ કરીને M.Comના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનું આયોજન વી. ટી. ચોકસી લૉ કોલેજ, સુરતના ચિત્રા સુબોધ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા તરીકે શ્વેતાંગ શેઠ અને જય ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાણાકીય આયોજન, બચત અને રોકાણના
વિકલ્પો, દીર્ઘકાળીન સંપત્તિ સર્જન, જોખમ વ્યવસ્થાપન તથા માનસિક શાંતિ માટે યોગ્ય આર્થિક આયોજનના મહત્વ પર વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. વાસ્તવિક ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર નાણાકીય નિર્ણય લેવાની દિશામાં પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના કુલ 105 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થયો હતો. આ સમગ્ર સેમિનારનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યા અને M..Com કોઓર્ડિનેટર ડૉ સવિતા સોંઘીના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના વડા ડૉ. સુનિલ રાજાણીના સંચાલન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
- *ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી ઃ પોલીસ કમિશનરે પિતાતુલ્ય બની નામકરણ વિધિ કરી* https://www.instagram.com/reel/DTZhPyvE-io/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==1
- સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના1
- સુરત:પાંડેસરા GIDCમાં સર્જાયો જીવલેણ અકસ્માત: ટેમ્પો પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ જતા સર્જાયો અકસ્માત.અકસ્માત માં ટેમ્પો ચાલકનું પ્રાણપંખેરું ઉડી ગયું"પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી. #prasarsandesh #pandesaragidc #accident https://www.instagram.com/reel/DTaGEWWkj8j/?igsh=bDZ1bWVhdnd3OWE=1
- સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ1
- આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: સ્વાતિબેન આર્ય - આચાર્યા સ્વામિનારાયણ સ્કૂલ આમોદ1
- સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.1