સુરતના ડિન્ડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક એક બજરંગ દળના સામાજિક કાર્યકર પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પીડિત પોતાના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ પાસે હાજર હતો. તે સમયે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં આવ્યા અને પાછળથી આવીને પીડિતની પીઠમાં ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, પીડિતને કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક પાછળથી આવીને તેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિન્ડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણો જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.
સુરતના ડિન્ડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક એક બજરંગ દળના સામાજિક કાર્યકર પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પીડિત પોતાના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ પાસે હાજર હતો. તે સમયે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં આવ્યા અને પાછળથી આવીને પીડિતની પીઠમાં ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, પીડિતને કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક પાછળથી આવીને તેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિન્ડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણો જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.
- સુરતના ડિન્ડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક એક બજરંગ દળના સામાજિક કાર્યકર પર અજાણ્યા બદમાશો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પીડિત પોતાના બે મિત્રો સાથે બ્રધર ટી પોઈન્ટ પાસે હાજર હતો. તે સમયે કેટલાક અજાણ્યા યુવકો ત્યાં આવ્યા અને પાછળથી આવીને પીડિતની પીઠમાં ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, પીડિતને કોઈની સાથે કોઈ ઝઘડો ન હોવા છતાં અચાનક પાછળથી આવીને તેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને કારણે આસપાસના વેપારી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડિન્ડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણો જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી છે.1
- દેશભરમાં મોહરમના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, સુરતના લિંબાયત વિસ્તારમાં ભવ્ય અને કલાત્મક તાજિયાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. JSB ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ કલાત્મક તાજિયા બનાવનારા જૂથોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહ દરમિયાન, પોલીસના ઉચ્ચ અધિકારીઓની વિશેષ હાજરીમાં ટ્રોફી આપીને તેમનું બહુમાન કરાયું હતું.1
- કતરમાં આવેલી એક પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટના મામલે સુરતના રહેવાસી યુવક સનીનો મૃતદેહ મળી આવ્યો છે. શરૂઆતમાં સનીના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ હવે તેમના મૃતદેહની ઓળખ સનીના ભાઈએ કરી છે. ભારતીય દૂતાવાસ (એમબીસી)ના માધ્યમથી સંપર્ક સાધીને સનીના મૃતદેહને ભારત પરત લાવવામાં આવ્યો હતો. મૃતદેહને અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે સુરત સ્થિત સનીના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં મૃતદેહ પહોંચતા જ સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.1
- સુરત નાસીરનગર ડિમોલીશન મામલે હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ સુરત મહાનગરપાલિકા (મનપા) તાત્કાલિક કાર્યવાહીમાં આવી છે. કતારગામ દરવાજા પાસે આવેલી નાસીરનગર વસાહતના 100 થી વધુ પરિવારોના મકાનોને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર બુલડોઝર ફેરવી દેવાયું હતું, જેના કારણે આ પરિવારો ઘરવિહોણા બન્યા હતા. આ ડિમોલીશન મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની આકરી ઝાટકણી કાઢી છે અને આગામી સોમવારે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટના આ નિર્દેશો બાદ, મનપા દ્વારા ઘરવિહોણા બનેલા અસરગ્રસ્ત પરિવારોના વસવાટ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મનપાએ કોમ્યુનિટી હોલમાં રહેવા સાથે અસરગ્રસ્તોને લાઈટ, પાણી અને શૌચાલય સહિતની આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવી છે.1
- ગુજરાતના સુરત શહેરમાં યુવક કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. આ દેખાવો દરમિયાન, યુવક કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.1