Shuru
Apke Nagar Ki App…
વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
KALPESH VADHER
વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
More news from ગુજરાત and nearby areas
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડી મમતા સોસાયટીના આંગણે પધારેલા બાપ્પાની ભવ્ય અને આકર્ષક પ્રતિમાએ સૌ કોઈના મન મોહી લીધા છે આનંદ અને ઉત્સાહનો માહોલ સોસાયટીના યુવાનો અને વડીલોએ ઉત્સાહપેર ભેગા મળીને ગણરાજના આગમનની તૈયારીઓ કરી હતી ઢોલ-નગારાના તાલે, ભક્તિસભર માહોલમાં જય ગણેશના નારા સાથે બાપ્પાને ભવ્ય સ્વાગત આપી સ્થાપન કરવામાં આવ્યું રાત્રે જગમગાટ અને આરતી રોશનીથી સજાવેલો સોસાયટીનો આ વિસ્તાર અત્યારે જાણે કોઈ નવો રંગરૂપ પામ્યો હોય તેવો લાગે છે સવાર-સાંજ થતી આરતીમાં સમગ્ર મમતા સોસાયટીના રહીશો એક તાંતણે બંધાઈને ભક્તિભાવથી ભાગ લઈ રહ્યા છે. બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને સૌકોઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી રહ્યા છે સોસાયટીનો આ પાંચ દિવસીય ઉત્સવ આ વર્ષે ભાઈચારા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે જ્યાં દરેક ઘરથી ખુશીઓ છલકાઈ રહી છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા! રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી4
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- સાણંદ : અમદાવાદ સાણંદમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો સાણંદમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાણંદના સુંદરમ ફ્લેટમાં આવેલા મીટર રૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ 504 નંગ કબજે કર્યા છે. આ સાથે રૂ.1 લાખ 33 હજાર 680નો દારૂનો જથ્થો અને રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1 લાખ 43 હજાર 680નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહીમાં ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો ચાવડાને વોન્ટેડ જાહેર કરાયો છે. સાણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. *રીપોર્ટર:-રબ્બાની મલેક નીખરતા ગુજરાત ન્યુઝ સાણંદ અમદાવાદ*1
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1