આણંદ જિલ્લાના તારાપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની ભારે આસ્થા અને ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી. હક્ક અને ઇન્સાફ માટે કરબલાના મેદાનમાં શહીદ થયેલા વીરોની યાદમાં તારાપુરના કસ્બા વિસ્તારમાંથી કલાત્મક તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોની રક્ષા કાજે અને માનવતાના મૂલ્યો માટે હઝરત મોહંમદ પયગંબરના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આ મહાન શહીદોની યાદમાં જ મહોરમનું આ પર્વ મનાવવામાં આવે છે. તારાપુરના કસ્બા વિસ્તારમાં મહોરમ કમિટીના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ સુંદર અને કલાત્મક તાજીયા તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. બપોરે બરાબર ૩ વાગ્યે કસ્બા વિસ્તારમાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ કસ્બા વિસ્તારમાંથી નીકળી, નગરપાલિકા કચેરી થઈને મોટા તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કસ્બા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મહોરમ પર્વ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારાપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
આણંદ જિલ્લાના તારાપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની ભારે આસ્થા અને ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી. હક્ક અને ઇન્સાફ માટે કરબલાના મેદાનમાં શહીદ થયેલા વીરોની યાદમાં તારાપુરના કસ્બા વિસ્તારમાંથી કલાત્મક તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોની રક્ષા કાજે અને માનવતાના મૂલ્યો માટે હઝરત મોહંમદ પયગંબરના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આ મહાન શહીદોની યાદમાં જ મહોરમનું આ પર્વ મનાવવામાં આવે છે. તારાપુરના કસ્બા વિસ્તારમાં મહોરમ કમિટીના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ સુંદર અને કલાત્મક તાજીયા તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. બપોરે બરાબર ૩ વાગ્યે કસ્બા વિસ્તારમાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ કસ્બા વિસ્તારમાંથી નીકળી, નગરપાલિકા કચેરી થઈને મોટા તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કસ્બા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મહોરમ પર્વ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારાપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
- આણંદ જિલ્લાના તારાપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની ભારે આસ્થા અને ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી. હક્ક અને ઇન્સાફ માટે કરબલાના મેદાનમાં શહીદ થયેલા વીરોની યાદમાં તારાપુરના કસ્બા વિસ્તારમાંથી કલાત્મક તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોની રક્ષા કાજે અને માનવતાના મૂલ્યો માટે હઝરત મોહંમદ પયગંબરના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આ મહાન શહીદોની યાદમાં જ મહોરમનું આ પર્વ મનાવવામાં આવે છે. તારાપુરના કસ્બા વિસ્તારમાં મહોરમ કમિટીના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ સુંદર અને કલાત્મક તાજીયા તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. બપોરે બરાબર ૩ વાગ્યે કસ્બા વિસ્તારમાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ કસ્બા વિસ્તારમાંથી નીકળી, નગરપાલિકા કચેરી થઈને મોટા તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કસ્બા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મહોરમ પર્વ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારાપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.1
- આણંદ જિલ્લામાં 28 જૂનના રોજ પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવશે. આ ખાસ દિવસે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.1
- અમદાવાદના ધોળકા શહેરમાં મોહરમ પર્વની ઉજવણી કોમી એકતાના અનોખા માહોલમાં કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ભવ્ય તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.1
- આણંદ જિલ્લાના આંકલાવ શહેરમાં મોહરમ નિમિત્તે પરંપરાગત તાજીયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ઇમામ હુસૈનની યાદમાં નીકળેલા આ તાજીયા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનો દ્વારા અખાડાના પરંપરાગત અને હેબતભર્યા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સમગ્ર શહેરમાં આ જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.3
- વડોદરા શહેરમાં ઝોન-૩ એલ.સી.બી. (LCB) ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ પર આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીના એક મકાનમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી શૈલેષભાઈ શંકરભાઈ કહારના ઘરમાંથી છુપાવેલું ગુપ્ત ભોંયરૂં મળી આવ્યું હતું. આ ભોંયરામાંથી ૨૪ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૩૨૨ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹૩,૨૬,૮૮૪/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે એક મોબાઈલ અને વેક્યુમ પ્લેટ સહિત કુલ ₹૩,૩૭,૦૮૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી શૈલેષ કહારની ધરપકડ કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ચેતન ચંદુભાઈ કહારને વોન્ટેડ જાહેર કરાયો છે. આ સફળ કામગીરી પો.સ.ઇ. એસ.એ. ફુલધારા અને તેમની એલ.સી.બી. ટીમે પાર પાડી હતી, જે ઝોન-૩ LCBની મોટી સફળતા માનવામાં આવે છે.1
- એક જ સંકલ્પ કરવામાં આવ્યો છે, જે ડ્રગ્સ મુક્ત સમાજનું નિર્માણ કરીને સ્વસ્થ અને સુરક્ષિત ભારત બનાવવાનો છે.1
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તથા શિક્ષણ ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી 'અગ્રેસર ગુજરાત'ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે શિક્ષણના મોરચે રાજ્યની સતત પ્રગતિ દર્શાવે છે.1