Shuru
Apke Nagar Ki App…
મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં તા. 30 માર્ચના રોજ જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિકંદર કાદરભાઈ મોવર (ઉવ.24) ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિકંદર મોવર ખોડિયાર ટી સ્ટોલ પાસે હાજર હતા ત્યારે આરોપી શાહરૂખ પરમાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપીએ છરી વડે હુમલો કરતાં ફરિયાદીને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈરફાન ઘાંચી ધારીયું લઈને સ્થળ પર આવી ફરિયાદીને માર માર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે અથડામણ વધુ ઉગ્ર બની હતી, જેમાં પથ્થરમારો અને સોડાની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે શાહરૂખ પરમાર અને ઈરફાન ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં તા. 30 માર્ચના રોજ જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિકંદર કાદરભાઈ મોવર (ઉવ.24) ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિકંદર મોવર ખોડિયાર ટી સ્ટોલ પાસે હાજર હતા ત્યારે આરોપી શાહરૂખ પરમાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપીએ છરી વડે હુમલો કરતાં ફરિયાદીને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈરફાન ઘાંચી ધારીયું લઈને સ્થળ પર આવી ફરિયાદીને માર માર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે અથડામણ વધુ ઉગ્ર બની હતી, જેમાં પથ્થરમારો અને સોડાની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે શાહરૂખ પરમાર અને ઈરફાન ઘાંચી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોકટરને પકડી પાડતી SOG સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને રંગેહાથ દબોચી લીધો હતો પોલીસે ઝડપાયેલા બોગસ ડોકટર હરેશ પોપટભાઈ ઠાકોર પાસેથી રૂપિયા 18381 ની કિંમતની દવાઓ પણ કબજે કરવામાં આવી હતી SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડતા સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે હાલ તો પોલીસે બોગસ ડોકટરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા1
- • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.1
- પ્રમુખ પદે ગોપાલ ભાઈ દવે અને સેક્રેટરી પદે વિજયભાઈ ઠક્કર ની વરણી કરાઇ સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સેવા સંસ્થાનો નો પ્રથમ શપથ વિધિ અને પદ ગ્રહણ સમારોહ -૨૦૨૬ રોટરી હોલ સુરેન્દ્રનગર ખાતે તા.૩૧/૩/૨૬ ના રોજ યોજાયો આ સમારોહ જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના પ્રમુખ ડો.મધુકાંત આચાર્ય ના અધ્યક્ષ પદે , ઉધઘાટક તરીકે ઉપ પ્રમુખ ડો. કે.બી.શાહ મુખ્ય મહેમાન પદે મહેન્દ્ર ભાઈ પટેલ અતિથિવિશેષ પદે બકુલા બેન ભટ્ટ ,આમંત્રિત મેહમાન પદે ફેડરેશન ઓફિસર ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા નિલેશ ભાઈ કોઠારી હરેશભાઈ અંબાસણા જીગ્ના બેન પંડ્યા ની ઉપસ્થિતિ મા યોજાયો કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન સુરેન્દ્રનગર સાહેલી ના પ્રમુખ ઉમા બેન ધનેશા એ કરેલ ઉપસ્થિતિ મહાનુભાવો અને પત્રકારો ને શાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ નવ નિયુક્ત પ્રમુખ ગોપાલ ભાઈ દવે ,બોર્ડ મેમ્બર તથા નવ પ્રવેશિત સભ્ય ને શપથ શપથ વિધિ અધિકારી ક્લાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવેલ નવ નિયુક્ત પ્રમુખશ્રી નુ અભિવાદન વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ મહાનુભાવો ના પ્રાસંગિક ઉદબોધન માં સુરેન્દ્રનગર સાહેલી જાયન્ટસ સંસ્થા ની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવા માં આવેલ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલી દ્વારા અનુમોદિત નવું ગ્રુપ સુરેન્દ્રનગર સેવા સંગમ મોટું વટ વૃક્ષ બની સેવા ક્ષેત્રે સફળતાં ના શિખરો સર કરશે તેવી શુભકામનાઓ પાઠવવા માં આવેલ છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહમાં ગાન કરવામાં આવેલ સમગ્ર કાર્યકમનું સુચારૂ સંચાલન બલવંતભાઈ વ્યાસ એ અને આભાર વિધિ વિજયભાઈ ઠક્કર એ કરેલ કાર્યકમ ના આયોજન મા પૂર્વ પ્રમુખ મીનાબેન ઠક્કર ,મમતાબેન દવે, સેક્રેટરી માયા બેન જાની અને કલ્પના બેન ત્રિવેદી કલ્પેશભાઈ , અમિતા બેન પટેલ વગેરે એ જેહમત ઉઠાવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ૨૫ માર્ચ થી 31 માર્ચ સુધી માર્ચ એન્ડીગ ને લઈ હતી રજા.. આજથી માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ઘઉં, ચણા, કપાસ ની ફુલ આવક..1
- *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.* ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા. ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Pravin Thakor1
- માનવસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથકના લીંબડી ચોટીલા હાઇવે પર ચૈત્રી પૂનમને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પદયાત્રીઓ માટે નિશુલ્કર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે આ સેવા કેમ્પમાં લોકોને ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે આ સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો ભોજન તેમજ આરોગ્ય લક્ષી તમામ સેવાઓ નિશુલ્ક આપવામાં આવે છે અને પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ લેજે જુઓ અમારી ખાસ રજૂઆત રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીમડી સુરેન્દ્રનગર1