ભારે વરસાદ બાદ પાટણ-ડીસા રોડના ત્રણ મુખ્ય બ્રીજનું સંયુક્ત રેપિડ નિરીક્ષણ પૂર્ણ *ભારે વરસાદ બાદ પાટણ-ડીસા રોડના ત્રણ મુખ્ય બ્રીજનું સંયુક્ત રેપિડ નિરીક્ષણ પૂર્ણ* *ત્રણેય બ્રીજ સ્ટ્રક્ચરલ રીતે સુરક્ષિત; વાહનવ્યવહાર યથાવત, ચોમાસા દરમિયાન સતત મોનિટરિંગ રહેશે* રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદ અને નદીઓમાં વધેલા જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં "પૂર બાદ બ્રીજ સલામતી વિશેષ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ આવેલા પાટણ-ડીસા માર્ગ પરના ત્રણ મહત્વપૂર્ણ બ્રીજનું સંયુક્ત રેપિડ ટેક્નિકલ નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તા. 29 જુલાઈ, 2026ના રોજ આલેખન વર્તુળના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી બ્રીજોની વિવિધ ટેક્નિકલ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કોઈટા ગામ પાસેનો ચક્કર બ્રીજ, વાગદોડ ગામ પાસેનો ખરાવોહ બ્રીજ અને રસુલપુર ગામ પાસેનો ઉમરદશી બ્રીજ એમ કુલ ત્રણ મેજર બ્રીજનું રેપિડ એસેસમેન્ટ કરવામાં આવ્યું. ડીસા તરફના વાહનવ્યવહાર તેમજ સ્થાનિક લોકો માટે આ ત્રણેય બ્રીજ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ટીમ દ્વારા બ્રીજના પાયા અને ફાઉન્ડેશનમાં વરસાદી પ્રવાહને કારણે ધોવાણ કે સ્કોરિંગની સ્થિતિ, પીયર, એબટમેન્ટ અને બેરિંગ સહિતના સબસ્ટ્રક્ચરની મજબૂતાઈ, ગર્ડર, સ્લેબ અને ડેક સ્લેબની સ્થિતિ, બંને બાજુના એપ્રોચ રોડમાં ધોવાણ અથવા બેસી જવાની સંભાવના, એક્સપાન્શન જોઈન્ટ અને ડ્રેનેજ સિસ્ટમની કાર્યક્ષમતા તેમજ રેલિંગ, ક્રેશ બેરિયર અને સાઇનેજ સહિતના સલામતીના સાધનોની વિગતવાર ચકાસણી કરી હતી. પ્રાથમિક ટેક્નિકલ અહેવાલ મુજબ ત્રણેય બ્રીજ સ્ટ્રક્ચરલ રીતે સુરક્ષિત હોવાનું અને હાલના તબક્કે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે યોગ્ય હોવાનું સામે આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગે વાહનચાલકોને અનુરોધ કર્યો છે કે બ્રીજ પરથી પસાર થતી વખતે નિર્ધારિત ઝડપ મર્યાદાનું પાલન કરી સાવધાનીપૂર્વક વાહન ચલાવે. વિભાગ દ્વારા સમગ્ર ચોમાસા દરમિયાન આ બ્રીજોની સતત દેખરેખ રાખવામાં આવશે અને ભારે વરસાદ અથવા જળપ્રવાહને કારણે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તાત્કાલિક સમારકામ તથા જરૂરી મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
ભારે વરસાદ બાદ પાટણ-ડીસા રોડના ત્રણ મુખ્ય બ્રીજનું સંયુક્ત રેપિડ નિરીક્ષણ પૂર્ણ *ભારે વરસાદ બાદ પાટણ-ડીસા રોડના ત્રણ મુખ્ય બ્રીજનું સંયુક્ત રેપિડ નિરીક્ષણ પૂર્ણ* *ત્રણેય બ્રીજ સ્ટ્રક્ચરલ રીતે સુરક્ષિત; વાહનવ્યવહાર યથાવત, ચોમાસા દરમિયાન સતત મોનિટરિંગ રહેશે* રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદ અને નદીઓમાં વધેલા જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં "પૂર બાદ બ્રીજ સલામતી વિશેષ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ આવેલા પાટણ-ડીસા માર્ગ પરના ત્રણ મહત્વપૂર્ણ બ્રીજનું સંયુક્ત રેપિડ ટેક્નિકલ નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તા. 29 જુલાઈ, 2026ના રોજ આલેખન વર્તુળના વરિષ્ઠ
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી બ્રીજોની વિવિધ ટેક્નિકલ બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કોઈટા ગામ પાસેનો ચક્કર બ્રીજ, વાગદોડ ગામ પાસેનો ખરાવોહ બ્રીજ અને રસુલપુર ગામ પાસેનો ઉમરદશી બ્રીજ એમ કુલ ત્રણ મેજર બ્રીજનું રેપિડ એસેસમેન્ટ કરવામાં આવ્યું. ડીસા તરફના વાહનવ્યવહાર તેમજ સ્થાનિક લોકો માટે આ ત્રણેય બ્રીજ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ટીમ દ્વારા બ્રીજના પાયા અને ફાઉન્ડેશનમાં વરસાદી પ્રવાહને કારણે ધોવાણ કે સ્કોરિંગની સ્થિતિ, પીયર, એબટમેન્ટ અને બેરિંગ સહિતના સબસ્ટ્રક્ચરની મજબૂતાઈ, ગર્ડર, સ્લેબ અને ડેક સ્લેબની સ્થિતિ, બંને બાજુના એપ્રોચ રોડમાં ધોવાણ અથવા
બેસી જવાની સંભાવના, એક્સપાન્શન જોઈન્ટ અને ડ્રેનેજ સિસ્ટમની કાર્યક્ષમતા તેમજ રેલિંગ, ક્રેશ બેરિયર અને સાઇનેજ સહિતના સલામતીના સાધનોની વિગતવાર ચકાસણી કરી હતી. પ્રાથમિક ટેક્નિકલ અહેવાલ મુજબ ત્રણેય બ્રીજ સ્ટ્રક્ચરલ રીતે સુરક્ષિત હોવાનું અને હાલના તબક્કે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે યોગ્ય હોવાનું સામે આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગે વાહનચાલકોને અનુરોધ કર્યો છે કે બ્રીજ પરથી પસાર થતી વખતે નિર્ધારિત ઝડપ મર્યાદાનું પાલન કરી સાવધાનીપૂર્વક વાહન ચલાવે. વિભાગ દ્વારા સમગ્ર ચોમાસા દરમિયાન આ બ્રીજોની સતત દેખરેખ રાખવામાં આવશે અને ભારે વરસાદ અથવા જળપ્રવાહને કારણે કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તો તાત્કાલિક સમારકામ તથા જરૂરી મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
- રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી રાધનપુર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. ચાલુ વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા મનુભાઈ દેસાઈ, તુસારભાઈ ઠાકોર સહિતના સ્ટાફે રસ્તા પર રહી વાહનોનું યોગ્ય સંચાલન કરાવ્યું હતું. વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા અને વાહનોની અવરજવર વધવા છતાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા સતત કામગીરી કરવામાં આવી હતી. વરસાદમાં પલળીને પણ પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓની કામગીરીની સ્થાનિક વાહનચાલકો અને નગરજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફરજ પ્રત્યેની આ નિષ્ઠા બદલ ટ્રાફિક પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ2
- *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"1
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા. 📍શુભારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર સમય: સવારે 8:30 કલાકે સ્થળ: ગબ્બર ચોક, અંબાજી1
- ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા સમીક્ષા વિડિઓ કોમફ્રેશ બેઠક યોજાઈ... હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર ભાભર તાલુકાના ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી1
- દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.2
- વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1