logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન. વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે. સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ

8 hrs ago
user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
કિરણ ઠાકોર ભાભર પત્રકાર
Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
8 hrs ago

કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન. વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી

88683df3-77c3-4816-8a99-fc9a20354f65

છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા

તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી

મુશ્કેલ બની રહી છે. જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે. સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ

More news from ગુજરાત and nearby areas
  • વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે. સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ
    4
    વાવ–થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઈસબગુલ, જીરૂં, ઘઉં, એરંડા, તમાકુ સહિતના પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં પૂર અને શિયાળામાં “કાતરા” જેવી જીવાતોના ઉપદ્રવ બાદ હવે કમોસમી વરસાદથી સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. પાકોના યોગ્ય ભાવ ન મળતા તેઓ દિવસ પ્રતિદિન દેવામાં ગરકાવ થઈ રહ્યા છે.
ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ખાતર, લોનના વ્યાજ અને બજારમાં ઓછા ભાવ જેવી સમસ્યાઓ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.
જો આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી યોગ્ય સહાય નહીં મળે, તો આવનારા સમયમાં ખેડૂતો ખેતીથી દૂર થવા મજબૂર બની શકે છે.
હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર શું પગલાં લે છે.
સુઈગામથી કિરણ ઠાકોરનો રિપોર્ટ
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • જિલ્લા એસ પી વાવ થરાદે યુવાનોને શાંતિ અને ધૈર્ય જાળવવા આપિલ કરી
    1
    જિલ્લા એસ પી વાવ થરાદે યુવાનોને શાંતિ અને ધૈર્ય જાળવવા આપિલ કરી
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • ઘરેલુ ક્રિકેટ માં સુંદર પ્રદર્શન કરનાર પ્રશાંત ઠાકોર ના શાનદાર શતક થી ભવ્ય જીત મેળવી તમામ ગામ લોકો ના સહયોગ થી આ પ્રથમ ટુર્નામેન્ટ મેં સફળતા મળી છે આયોજકોએ ગામ લોકો નો આભાર વ્યક્ત કર્યો લુદ્રા ખાતે ત્રણ મહિના થી ચાલેલી ટ્રનામેન્ટ માં આરોહી સોલાર ભાભર અને સધી ઇલેવન દિયોદર (ડેવિડ) વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં આરોહી સોલાર ભાભરે સધી ઇલેવન દિયોદર ને ઓપનર બ્લેબાજ પ્રશાંત ઠાકોર ના 37 બોલ માં 107 રન ની મદદ થી 212 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેમાં સધી ઇલેવન 128 રન જ બનાવી ઓલ આઉટ થઈ ગઈહતીલુદ્રા માં સિઝન ની પહેલી નાઈટ ક્રિકેટ નું સુંદર મજા નું આયોજન કરાયું ગામ લોકો નો ખુબ સારો સહયોગ રહ્યો ત્રણ મહિના ચાલેલી ટુનામેન્ટ માં 250 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં કૉમેન્ટેટરો હિતેશ સુથાર અને શક્તિસિંહ ધનકવાડા ની ખૂબ સારી સેવાઓ રહી હતી આ સફળ આયોજન માં મુખ્ય આયોજકો રમેશ ઠાકોર .. રાજુ જોલા...વિનોદ ઠાકોર.. હિતેશ ઠાકોર.. પ્રકાશ ઠાકોર દશરથ ઠાકોર સહિત ના આયોજકો એ ભારે મહેનત થી આ ટુર્નામેન્ટ સફળ રહી હતી ફાઇનલ માં આયોજકો દ્વારા પધારેલ મહેમાનો તેમજ સંપૂર્ણ ટુર્નામેન્ટ માં સહયોગ આપનાર મિત્રો નું શાલ થી સન્માન પણ કર્યું હતું વિજેતા ટિમ ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર તેમજ ઉપ વીજેતા ને પણ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા ટ્રોફી ના દાતા મહાકાળી નાસ્તા હાઉસ દિયોદર પ્રતાપભાઈ ઠાકોર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ફાઇનલ મેચ માં 25 હજાર ની જનમેદની મેચ જોવા માટે ઉમટી પડી હતી જેમાં લુદ્રા સરપંચ ચંદુજી ઠાકોર ઉપ સરપંચ અનુપભાઈ પરમાર મેવાભાઈ રાવળ ભરતભાઇ વકિલ નટવરજી ઠાકોર વિરમજી ઠાકોર સહિત ક્રિકેટ રસિકો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા
    3
    ઘરેલુ ક્રિકેટ માં સુંદર પ્રદર્શન કરનાર  પ્રશાંત ઠાકોર ના શાનદાર શતક થી  ભવ્ય જીત મેળવી 
તમામ ગામ લોકો ના સહયોગ થી  આ પ્રથમ ટુર્નામેન્ટ મેં સફળતા મળી છે આયોજકોએ ગામ લોકો નો આભાર વ્યક્ત કર્યો
લુદ્રા ખાતે  ત્રણ મહિના થી  ચાલેલી ટ્રનામેન્ટ  માં   આરોહી સોલાર ભાભર અને  સધી ઇલેવન દિયોદર (ડેવિડ) વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં આરોહી સોલાર  ભાભરે સધી ઇલેવન દિયોદર ને   ઓપનર બ્લેબાજ  પ્રશાંત ઠાકોર ના 37 બોલ માં  107 રન ની મદદ થી 212 રન નો  ટાર્ગેટ આપ્યો  હતો જેમાં  સધી ઇલેવન 128 રન જ બનાવી ઓલ આઉટ થઈ ગઈહતીલુદ્રા માં સિઝન ની પહેલી નાઈટ ક્રિકેટ નું સુંદર મજા નું આયોજન કરાયું ગામ લોકો નો ખુબ સારો સહયોગ રહ્યો  ત્રણ મહિના ચાલેલી ટુનામેન્ટ માં 250 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં 
કૉમેન્ટેટરો  હિતેશ સુથાર અને શક્તિસિંહ ધનકવાડા  ની ખૂબ સારી સેવાઓ રહી હતી  આ સફળ આયોજન માં મુખ્ય આયોજકો  રમેશ ઠાકોર .. રાજુ જોલા...વિનોદ ઠાકોર.. હિતેશ ઠાકોર.. પ્રકાશ ઠાકોર  દશરથ ઠાકોર સહિત ના આયોજકો એ ભારે મહેનત થી આ ટુર્નામેન્ટ સફળ રહી હતી ફાઇનલ માં આયોજકો દ્વારા પધારેલ મહેમાનો તેમજ સંપૂર્ણ ટુર્નામેન્ટ માં સહયોગ આપનાર મિત્રો નું શાલ થી સન્માન પણ કર્યું હતું  વિજેતા ટિમ ને  ટ્રોફી અને રોકડ પુરસ્કાર તેમજ ઉપ વીજેતા ને પણ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા 
ટ્રોફી ના દાતા  મહાકાળી નાસ્તા હાઉસ દિયોદર  પ્રતાપભાઈ ઠાકોર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો  આ પ્રસંગે ફાઇનલ મેચ માં 25 હજાર ની જનમેદની મેચ જોવા માટે ઉમટી પડી હતી  જેમાં લુદ્રા સરપંચ ચંદુજી ઠાકોર ઉપ સરપંચ અનુપભાઈ પરમાર મેવાભાઈ રાવળ ભરતભાઇ વકિલ નટવરજી ઠાકોર વિરમજી ઠાકોર સહિત ક્રિકેટ રસિકો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • સરહદી સૂઇગામ તાલુકાના બોરૂ રણમાં અગરિયાઓની માઠી દશા રિપોર્ટર દશરથ ઠાકોર વાવ-થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકામાં આવેલ બોરૂ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. તારીખ 19 માર્ચની રાત્રે અચાનક આવેલા જોરદાર વાવાઝોડાએ અગરિયાઓના રોજગાર પર ભારે આંચકો આપ્યો છે. આ વાવાઝોડાના કારણે મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલ પ્લેટો તથા અન્ય સાધનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. મહેનત કરીને તૈયાર કરાયેલ મીઠું પણ બરબાદ થઈ જતાં અગરિયાઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. અગરિયાઓના જણાવ્યા અનુસાર, “મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ” સર્જાઈ છે. વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતાં અનેક પરિવારો આર્થિક સંકટમાં સપડાયા છે. આ પરિસ્થિતિમાં અગરિયાઓ દ્વારા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે. સાથે સાથે, આગામી સમયમાં આવી કુદરતી આપત્તિ સામે સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલમાં અગરિયાઓ સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન અને રોજગાર સંભાળી શકે.
    2
    સરહદી સૂઇગામ તાલુકાના બોરૂ રણમાં અગરિયાઓની માઠી દશા
રિપોર્ટર દશરથ ઠાકોર 
વાવ-થરાદ જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકામાં આવેલ બોરૂ રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. તારીખ 19 માર્ચની રાત્રે અચાનક આવેલા જોરદાર વાવાઝોડાએ અગરિયાઓના રોજગાર પર ભારે આંચકો આપ્યો છે.
આ વાવાઝોડાના કારણે મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલ પ્લેટો તથા અન્ય સાધનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. મહેનત કરીને તૈયાર કરાયેલ મીઠું પણ બરબાદ થઈ જતાં અગરિયાઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
અગરિયાઓના જણાવ્યા અનુસાર, “મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ” સર્જાઈ છે. વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતાં અનેક પરિવારો આર્થિક સંકટમાં સપડાયા છે.
આ પરિસ્થિતિમાં અગરિયાઓ દ્વારા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે. સાથે સાથે, આગામી સમયમાં આવી કુદરતી આપત્તિ સામે સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
હાલમાં અગરિયાઓ સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન અને રોજગાર સંભાળી શકે.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    21 hrs ago
  • વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જનતાને એક મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવે છે કે હાલમાં કેટલાક વિસ્તારોમાં બનેલી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સેપ સહિત અન્ય માધ્યમો પર અફવાઓ, ભડકાઉ લખાણો અને લાગણી દુભાવતા મેસેજ/પોસ્ટ વાયરલ થઈ રહ્યા હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રકારની ગેરમાર્ગે દોરતી અને ભડકાઉ સામગ્રી સમાજમાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે તેમજ વિવિધ સમાજો વચ્ચે તણાવ ઊભો કરી શકે છે. પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આવી કોઈપણ પોસ્ટ, મેસેજ, વીડિયો અથવા કોમેન્ટ બનાવવી, અપલોડ કરવી, ફોરવર્ડ કરવી કે વાયરલ કરવી ભારતીય કાયદા મુજબ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે તેમજ અપ્રમાણિત માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસે. સોશિયલ મીડિયા નો ઉપયોગ જવાબદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવો અત્યંત જરૂરી છે. પોલીસ વધુમાં જણાવે છે કે સમાજમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષા, ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અથવા અફવાજનક માહિતી ફેલાવવી એ સમાજ માટે હાનિકારક છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુના નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ, ભડકાઉ અથવા અફવાજનક પોસ્ટ/મેસેજ જોવા મળે તો તે તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ હેલ્પલાઇન પર જાણ કરે તેવી વિનંતી કરવામાં આવે છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ જનતાને ફરી એકવાર અપીલ કરે છે કે તેઓ શાંતિ જાળવે, અફવાઓથી દૂર રહે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે.
    1
    વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જનતાને એક મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવે છે કે હાલમાં કેટલાક વિસ્તારોમાં બનેલી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સેપ સહિત અન્ય માધ્યમો પર અફવાઓ, ભડકાઉ લખાણો અને લાગણી દુભાવતા મેસેજ/પોસ્ટ વાયરલ થઈ રહ્યા હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ રહી છે.
આ પ્રકારની ગેરમાર્ગે દોરતી અને ભડકાઉ સામગ્રી સમાજમાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે તેમજ વિવિધ સમાજો વચ્ચે તણાવ ઊભો કરી શકે છે. પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આવી કોઈપણ પોસ્ટ, મેસેજ, વીડિયો અથવા કોમેન્ટ બનાવવી, અપલોડ કરવી, ફોરવર્ડ કરવી કે વાયરલ કરવી ભારતીય કાયદા મુજબ ગંભીર અને સજાપાત્ર ગુનો છે.
વાવ-થરાદ જિલ્લા પોલીસ તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે તેમજ અપ્રમાણિત માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસે. સોશિયલ મીડિયા નો ઉપયોગ જવાબદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવો અત્યંત જરૂરી છે.
પોલીસ વધુમાં જણાવે છે કે સમાજમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષા, ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અથવા અફવાજનક માહિતી ફેલાવવી એ સમાજ માટે હાનિકારક છે.
આ ઉપરાંત, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુના નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ, ભડકાઉ અથવા અફવાજનક પોસ્ટ/મેસેજ જોવા મળે તો તે તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ હેલ્પલાઇન પર જાણ કરે તેવી વિનંતી કરવામાં આવે છે.
વાવ-થરાદ જિલ્લા પોલીસ જનતાને ફરી એકવાર અપીલ કરે છે કે તેઓ શાંતિ જાળવે, અફવાઓથી દૂર રહે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • ભેમાભાઈ દાનાભાઈ રબારી (મકવાણા) પોરબંદર જિલ્લાના રબારી સમાજ ના આગેવાન નું નિવેદન આવ્યું.. ચૌધરી સમાજ અને રબારી સમાજ ના આગેવાનો એ ભેગા મળીને ને નિર્ણય લેવો જોઈએ અને ભાઈ ચારાની ભાવના રાખવા વિનંતી કરી રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    1
    ભેમાભાઈ દાનાભાઈ રબારી (મકવાણા) પોરબંદર જિલ્લાના રબારી સમાજ ના આગેવાન નું નિવેદન આવ્યું..
ચૌધરી સમાજ અને રબારી સમાજ ના આગેવાનો એ ભેગા મળીને ને નિર્ણય લેવો જોઈએ અને ભાઈ ચારાની ભાવના રાખવા વિનંતી કરી 
રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Media Consultant થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • પાટણ ના ઝીલિયા ગૈગ ઝગડા ક્ષત્રિય સમાજના 18 આરોપીયો જાહેરમાં ઢોર મારા મારવા મુદે ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી ન્યાની માંગ
    1
    પાટણ ના ઝીલિયા ગૈગ ઝગડા ક્ષત્રિય સમાજના 18 આરોપીયો જાહેરમાં ઢોર મારા  મારવા મુદે ક્ષત્રિય સમાજ ભારે રોષમાં જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી ન્યાની માંગ
    user_પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela
    Auto Rickshaw Driver ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • દિયોદરમાં વહેલી સવારે વાવાઝોડું, પતરા ઉડ્યા:સરદારપુરા અને રૈયા ગામમાં નુકસાન, ઝાડ પણ પડ્યા બળદેવ ટી બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી પરોઢે દિયોદર પંથકમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાના કારણે સરદારપુરા અને રૈયા ગામમાં પતરા ઉડવાની ઘટનાઓ બની હતી, જ્યારે કેટલાક સ્થળોએ ઝાડ પણ ધરાશાયી થયા હતા. દિયોદર તાલુકાના સરદારપુરા ગામે શ્રમજીવી પરિવારના કાંતિભાઈ મકવાણાના પતરાવાળા ઢાળિયાના પતરા ઉડી ગયા હતા. આ ઘટનાને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ ઉપરાંત, રૈયા ગામે નિર્માણાધીન એક મોલના પતરા પણ વાવાઝોડામાં ઉડી ગયા હતા. સદનસીબે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, પંથકમાં અમુક જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ નોંધાયા છે.વહેલી સવારે આવેલા આ વાવાઝોડા અને વરસાદના કારણે ખેતી પાકો જેવા કે બાજરીનું વાવેતર, પાકેલી તમાકુ અને એરંડા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    4
    દિયોદરમાં વહેલી સવારે વાવાઝોડું, પતરા ઉડ્યા:સરદારપુરા અને રૈયા ગામમાં નુકસાન, ઝાડ પણ પડ્યા
બળદેવ ટી બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર)
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી પરોઢે દિયોદર પંથકમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાના કારણે સરદારપુરા અને રૈયા ગામમાં પતરા ઉડવાની ઘટનાઓ બની હતી, જ્યારે કેટલાક સ્થળોએ ઝાડ પણ ધરાશાયી થયા હતા.
દિયોદર તાલુકાના સરદારપુરા ગામે શ્રમજીવી પરિવારના કાંતિભાઈ મકવાણાના પતરાવાળા ઢાળિયાના પતરા ઉડી ગયા હતા. આ ઘટનાને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
આ ઉપરાંત, રૈયા ગામે નિર્માણાધીન એક મોલના પતરા પણ વાવાઝોડામાં ઉડી ગયા હતા.
સદનસીબે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, પંથકમાં અમુક જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ નોંધાયા છે.વહેલી સવારે આવેલા આ વાવાઝોડા અને વરસાદના કારણે ખેતી પાકો જેવા કે બાજરીનું વાવેતર, પાકેલી તમાકુ અને એરંડા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.