ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન દ્વારા ધંધુકા હત્યા કેસના આરોપીને કડક સજાની માંગ • હિન્દુ સંગઠન અને માલધારી સમાજ એકત્ર થઈ આવેદન પત્ર પાઠવ્યું ધંધુકા ખાતે આગાઉ થયેલ ભરવાડ યુવકના હત્યા બાદ ફરી એક વખત ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં સામાન્ય બાબતે કેટલાક શખ્સોએ યુવકની હત્યા કરતા ધંધુકા સહિત રાજ્યના અનેક શહેરોમાં શાંતિ ભંગ થઈ હતી. ત્યારે વારંવાર આ પ્રકારે યુવકની હત્યા થવાના બનાવને વખોલી કાઢતા માલધારી સમાજ દ્વારા જુદા જુદા શહેરો અને મહાનગરોમાં આવેદન પત્ર પાઠવી હત્યા નિપજાવનાર શખ્સો વિરુધ કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ ધંધુકા હત્યા કેસના પડઘા પડ્યા હતા જેમાં હિન્દુ સંગઠન અને મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકત્ર થઈ ધંધૂકામાં ભરવાડ યુવકની હત્યા મામલે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી હત્યા કરનારા શખ્સો વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં વારંવાર હિન્દુ યુવકોની હત્યા અને યુવતીઓને લવજેહાદના મામલે રજૂઆત કરી કડક કાયદાકીય અને દાખલારૂપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ધ્રાંગધ્રા હિન્દુ સંગઠન દ્વારા ધંધુકા હત્યા કેસના આરોપીને કડક સજાની માંગ • હિન્દુ સંગઠન અને માલધારી સમાજ એકત્ર થઈ આવેદન પત્ર પાઠવ્યું ધંધુકા ખાતે આગાઉ થયેલ ભરવાડ યુવકના હત્યા બાદ ફરી એક વખત ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં સામાન્ય બાબતે કેટલાક શખ્સોએ યુવકની હત્યા કરતા ધંધુકા સહિત રાજ્યના અનેક શહેરોમાં શાંતિ ભંગ થઈ હતી. ત્યારે વારંવાર આ પ્રકારે યુવકની હત્યા થવાના બનાવને વખોલી કાઢતા માલધારી સમાજ દ્વારા જુદા જુદા શહેરો અને મહાનગરોમાં આવેદન પત્ર પાઠવી હત્યા નિપજાવનાર શખ્સો વિરુધ કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ ધંધુકા હત્યા કેસના પડઘા પડ્યા હતા જેમાં હિન્દુ સંગઠન અને મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકત્ર થઈ ધંધૂકામાં ભરવાડ યુવકની હત્યા મામલે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી હત્યા કરનારા શખ્સો વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં વારંવાર હિન્દુ યુવકોની હત્યા અને યુવતીઓને લવજેહાદના મામલે રજૂઆત કરી કડક કાયદાકીય અને દાખલારૂપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
- ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- અણીયારી ટોલનાકા પાસે યુવાનની હત્યા પ્રકારના ૬ આરોપીની ધરપકડ1
- *ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપી સાબરમતી જેલ હવાલે* રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશિયલ કસ્ટડીમાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડના બે આરોપી રિઝવાન અને સમીરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને ધંધુકા કોર્ટમાં રજુ કરાયા. હાલ બંને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે.1
- ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત **'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'**માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં: સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારીશ્રી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર),શ્રી શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1