Shuru
Apke Nagar Ki App…
મોડાસા: હજીરા વિસ્તારના સ્પામાં અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ, SOGની કાર્યવાહી મોડાસા: હજીરા વિસ્તારના સ્પામાં અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ, SOGની કાર્યવાહી
Arvalli city news
મોડાસા: હજીરા વિસ્તારના સ્પામાં અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ, SOGની કાર્યવાહી મોડાસા: હજીરા વિસ્તારના સ્પામાં અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ, SOGની કાર્યવાહી
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ.. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.4
- જયા પાર્વતી વ્રતની ભાવભેર પૂર્ણાહુતિ: તળાવો પર જવારા વિસર્જન માટે ઉમટી મહિલાઓ મહીસાગર લુણાવાડા સહિત સમગ્ર ગુજરાતમાં જયા પાર્વતી વ્રતની આજે ભાવભેર પૂર્ણાહુતિ કરવામાં આવી. અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા પાંચ દિવસના આ કઠોર અલૂણા વ્રતનું આજે પાંચમા દિવસે વિસર્જન સાથે સમાપન થયું. વહેલી સવારથી જ શહેરના વિવિધ તળાવો અને નદી કિનારે સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારી કન્યાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ સુધી ઘરમાં ઉગાડેલા ઘઉંના જવારાની પૂજા કરી, મહિલાઓએ તેને પવિત્ર જળમાં પધરાવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અકબંધ રહ્યો હતો. માન્યતા મુજબ, માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા આ વ્રત કર્યું હતું. આજે પણ કુંવારિકાઓ સારા વર માટે અને પરિણીતાઓ પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત કરે છે. વ્રતધારીઓએ પાંચ દિવસ મીઠા વગર ભોજન કરી, રાત્રિ જાગરણ અને શિવ-પાર્વતીની કથા સાંભળી હતી. અંતે સૌભાગ્યની વસ્તુઓનું દાન કરી વ્રત પૂર્ણ કરાયું. સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા તળાવ કિનારે સ્વચ્છતા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપી, પ્રસાદ વહેંચ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જયા પાર્વતી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ નારી શક્તિ, શ્રદ્ધા અને પરિવાર કલ્યાણની ભાવનાનું પ્રતીક છે. દર વર્ષે હજારો મહિલાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે અને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.2
- *સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ* હિંમતનગર, તા. 31 જુલાઈ: સાબરકાંઠા જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ "પાલવ સ્પા"માં ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે વનિતકુમાર હરિપ્રસાદ મિસ્ત્રી (રહે. ડોક્ટરનગર, હિંમતનગર, મૂળ વતન ભૂતીયા, તા. ઈડર)ની ધરપકડ કરી તેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નવિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલની હાજરીમાં AHTUના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં HC અશોકકુમાર, PC હસમુખભાઈ અને WPC અંજલીકુમારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*2
- યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર #dahod #devgadhbaria #newsupdate #newstoday #news1
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.4
- દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news1
- ઈડર માં પડેલ ભારે વરસાદ ને કારણે ખરાડી બજારમાંથી પસાર થતી દેભોલ નદીમાં કાર તણાની2