logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2 hrs ago
user_Merajung News
Merajung News
Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago
e704185e-7e7c-4611-9248-df2e035ffbd7
377cdfc4-0237-4f32-99cf-8d10b6a649e3
c647e37f-793e-4955-b1d7-a91962bd34b0

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Thakor Bharat
    1
    Post by Thakor Bharat
    user_Thakor Bharat
    Thakor Bharat
    Livestock Farmer દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    4
    બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ કાઢી રહ્યા છે અને તેમને મુક્ત કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. આ જ કડીમાં, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે AAP દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સાત લોકો સહિત કુલ નવ વ્યક્તિઓને સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ યોજાઈ હતી. આ રેલીમાં AAP પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભા બેઠકના સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી, પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા AAP પ્રમુખ રમેશ ઠાકોર, ઓગડ તાલુકા AAP પ્રમુખ જેઠુભા વાઘેલા, પ્રભારી દિનેશ ઠાકોર, સંગઠન મંત્રી પિન્ટુભા વાઘેલા, ભારતસિંહ જાદવ, ઓગડ કિસાન મોરચાના નરેશભાઈ ચૌધરી, લીગલ સેલના અશ્વિનસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર સહિત AAPના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલી પાટણ નાળા પાસેના શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી શરૂ થઈ મેઈન બજાર થઈને શિહોરી બસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી, જ્યાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલી દરમિયાન 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી', 'હાય રે ભાજપ હાય', 'ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બે વર્ષ પહેલાં ચૈતર વસાવાના મતવિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકને સાધન દ્વારા નુકશાન પહોંચાડવામાં આવતા શરૂ થયો હતો. તે સમયે ખેડૂતોએ ચૈતર વસાવાને જાણ કરતા, ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ ચૈતર વસાવા ઉપર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પરિણામે તાજેતરમાં તેમને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કાંકરેજ તાલુકામાં યોજાયેલી આ રેલીના અનુસંધાનમાં આગામી દિવસોમાં પણ દરેક તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના વોર્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    4
    ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ કાઢી રહ્યા છે અને તેમને મુક્ત કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. આ જ કડીમાં, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે AAP દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સાત લોકો સહિત કુલ નવ વ્યક્તિઓને સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ યોજાઈ હતી.

આ રેલીમાં AAP પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભા બેઠકના સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી, પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા AAP પ્રમુખ રમેશ ઠાકોર, ઓગડ તાલુકા AAP પ્રમુખ જેઠુભા વાઘેલા, પ્રભારી દિનેશ ઠાકોર, સંગઠન મંત્રી પિન્ટુભા વાઘેલા, ભારતસિંહ જાદવ, ઓગડ કિસાન મોરચાના નરેશભાઈ ચૌધરી, લીગલ સેલના અશ્વિનસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર સહિત AAPના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલી પાટણ નાળા પાસેના શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી શરૂ થઈ મેઈન બજાર થઈને શિહોરી બસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી, જ્યાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ રેલી દરમિયાન 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી', 'હાય રે ભાજપ હાય', 'ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બે વર્ષ પહેલાં ચૈતર વસાવાના મતવિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકને સાધન દ્વારા નુકશાન પહોંચાડવામાં આવતા શરૂ થયો હતો. તે સમયે ખેડૂતોએ ચૈતર વસાવાને જાણ કરતા, ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ ચૈતર વસાવા ઉપર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પરિણામે તાજેતરમાં તેમને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.

પાટણ અને બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કાંકરેજ તાલુકામાં યોજાયેલી આ રેલીના અનુસંધાનમાં આગામી દિવસોમાં પણ દરેક તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના વોર્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    user_Mansinh chauhan kankrej
    Mansinh chauhan kankrej
    કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • પાટણ શહેરના ઘીવંટા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે સોની સમાજ દ્વારા ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોની સમાજ દ્વારા જ યોજવામાં આવ્યો હતો.
    1
    પાટણ શહેરના ઘીવંટા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે સોની સમાજ દ્વારા ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોની સમાજ દ્વારા જ યોજવામાં આવ્યો હતો.
    user_𝐇𝐚𝐫𝐞𝐬𝐡 𝐬𝐨𝐧𝐢
    𝐇𝐚𝐫𝐞𝐬𝐡 𝐬𝐨𝐧𝐢
    Artist ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • આજે ભાભર ખાતેના વાવ રોડ વિસ્તારમાં ફૂટપાથની બાજુએ લાંબા સમયથી પડેલા પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાની ટીમ અને જલારામ ગૌશાળા પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે અંદાજે બે કલાક સુધી સતત મહેનત કરીને સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન ફૂટપાથ અને આસપાસના વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણના સંરક્ષણનો પણ મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાભર નગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પ્લાસ્ટિક સહિત કોઈપણ પ્રકારનો કચરો રસ્તા, ફૂટપાથ કે જાહેર સ્થળોએ ન ફેંકે, અને શહેરને સ્વચ્છ, સુંદર તથા પર્યાવરણમૈત્રી બનાવવા માટે પોતાનો સક્રિય સહયોગ આપે. "સ્વચ્છ ભાભર – આપણી સૌની જવાબદારી"ના સંકલ્પ સાથે શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આવા સ્વચ્છતા અભિયાનો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
    1
    આજે ભાભર ખાતેના વાવ રોડ વિસ્તારમાં ફૂટપાથની બાજુએ લાંબા સમયથી પડેલા પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાની ટીમ અને જલારામ ગૌશાળા પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે અંદાજે બે કલાક સુધી સતત મહેનત કરીને સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવ્યો હતો.

આ સ્વચ્છતા અભિયાન દરમિયાન ફૂટપાથ અને આસપાસના વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણના સંરક્ષણનો પણ મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાભર નગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પ્લાસ્ટિક સહિત કોઈપણ પ્રકારનો કચરો રસ્તા, ફૂટપાથ કે જાહેર સ્થળોએ ન ફેંકે, અને શહેરને સ્વચ્છ, સુંદર તથા પર્યાવરણમૈત્રી બનાવવા માટે પોતાનો સક્રિય સહયોગ આપે.

"સ્વચ્છ ભાભર – આપણી સૌની જવાબદારી"ના સંકલ્પ સાથે શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આવા સ્વચ્છતા અભિયાનો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
    user_Journalist bharmal mali
    Journalist bharmal mali
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ છે, જ્યાં તેઓ દર મહિને ₹15,000 સુધીની સરકારી ઇન્ટર્નશીપ મેળવી શકે છે. આ ઇન્ટર્નશીપ આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક લાભ અને અનુભવ મેળવવામાં મદદરૂપ થશે.
    1
    આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ છે, જ્યાં તેઓ દર મહિને ₹15,000 સુધીની સરકારી ઇન્ટર્નશીપ મેળવી શકે છે. આ ઇન્ટર્નશીપ આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક લાભ અને અનુભવ મેળવવામાં મદદરૂપ થશે.
    user_Rabari Vikram
    Rabari Vikram
    ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • રાજ્યભરમાં પ્રચંડ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો વરસાદ ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ અતિશય ગરમી અને વરસાદના વિલંબને કારણે અનેક ખેડૂતો ભારે મુશ્કેલી અને સંકટનો સામનો કરી રહ્યા છે, જેઓ હાલાકીમાં મુકાઈ ગયા છે.
    2
    રાજ્યભરમાં પ્રચંડ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો વરસાદ ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ અતિશય ગરમી અને વરસાદના વિલંબને કારણે અનેક ખેડૂતો ભારે મુશ્કેલી અને સંકટનો સામનો કરી રહ્યા છે, જેઓ હાલાકીમાં મુકાઈ ગયા છે.
    user_Thakor Bharat
    Thakor Bharat
    Livestock Farmer દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમલગ્નને લઈને એક ગંભીર ઘટના બની છે, જ્યાં યુવતીના પિયર પક્ષના લોકોએ મોડી રાત્રે યુવકના ઘર પર હુમલો કરી યુવક અને તેના પિતાને માર મારી યુવતીનું અપહરણ કર્યું છે. આ મામલે દિયોદર પોલીસ મથકે બે નામજોગ અને ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ૨૬ વર્ષીય બકુલ સાંખલા નામના યુવકે મોરથલ ગામની કોમલ નામની યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સગપણ ન થતા, તેઓ ૧૧ મેના રોજ ઘરેથી નીકળી અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ભાભર પોલીસ મથકે હાજર થઈ જવાબ આપી બકુલ તેની પત્ની કોમલ સાથે તેના પરિવારજનો સાથે રહેતો હતો. પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિયર પક્ષના લોકોએ ગત રાત્રે આશરે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરી, ધોકા, લાકડી, હથોડો અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે બકુલના ઘર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બકુલના માતા-પિતાને ખાટલા પરથી ઊભા થવા દીધા નહોતા. રૂમનો દરવાજો તોડી બકુલ સાંખલાને માર મારી તેની પત્ની કોમલને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ હુમલામાં બકુલના પિતા કસ્તુરભાઈ માનાભાઈ સાંખલાને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમની નાકની નકોરી તૂટી ગઈ હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત બકુલે તાત્કાલિક ૧૧૨ પર મદદ માટે ફોન કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બકુલ અને તેના પિતાને સારવાર માટે દિયોદર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બકુલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા નરશીભાઈ સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) અને તેના કાકા ગોરધનજી સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) સહિત ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી બકુલ સાંખલાએ જણાવ્યું કે, મોડી રાત્રે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરીને આવેલું ટોળું તેમના રૂમનો દરવાજો તોડી તેને પીઠ પાછળ માર મારી તેની પત્નીને બળજબરીપૂર્વક લઈ ગયું હતું. તેણે પોલીસ પાસે તેની પત્નીને સહી સલામત પાછી લાવવાની માંગ કરી છે. બુકાની પહેરીને આવેલા ટોળાએ પરિવારને ધમકાવતા પરિવાર કોઈની મદદ લઈ શક્યો ન હતો.
    3
    બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમલગ્નને લઈને એક ગંભીર ઘટના બની છે, જ્યાં યુવતીના પિયર પક્ષના લોકોએ મોડી રાત્રે યુવકના ઘર પર હુમલો કરી યુવક અને તેના પિતાને માર મારી યુવતીનું અપહરણ કર્યું છે. આ મામલે દિયોદર પોલીસ મથકે બે નામજોગ અને ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

૨૬ વર્ષીય બકુલ સાંખલા નામના યુવકે મોરથલ ગામની કોમલ નામની યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સગપણ ન થતા, તેઓ ૧૧ મેના રોજ ઘરેથી નીકળી અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ભાભર પોલીસ મથકે હાજર થઈ જવાબ આપી બકુલ તેની પત્ની કોમલ સાથે તેના પરિવારજનો સાથે રહેતો હતો. પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિયર પક્ષના લોકોએ ગત રાત્રે આશરે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરી, ધોકા, લાકડી, હથોડો અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે બકુલના ઘર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બકુલના માતા-પિતાને ખાટલા પરથી ઊભા થવા દીધા નહોતા. રૂમનો દરવાજો તોડી બકુલ સાંખલાને માર મારી તેની પત્ની કોમલને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા.

આ હુમલામાં બકુલના પિતા કસ્તુરભાઈ માનાભાઈ સાંખલાને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમની નાકની નકોરી તૂટી ગઈ હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત બકુલે તાત્કાલિક ૧૧૨ પર મદદ માટે ફોન કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બકુલ અને તેના પિતાને સારવાર માટે દિયોદર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બકુલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા નરશીભાઈ સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) અને તેના કાકા ગોરધનજી સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) સહિત ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી બકુલ સાંખલાએ જણાવ્યું કે, મોડી રાત્રે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરીને આવેલું ટોળું તેમના રૂમનો દરવાજો તોડી તેને પીઠ પાછળ માર મારી તેની પત્નીને બળજબરીપૂર્વક લઈ ગયું હતું. તેણે પોલીસ પાસે તેની પત્નીને સહી સલામત પાછી લાવવાની માંગ કરી છે. બુકાની પહેરીને આવેલા ટોળાએ પરિવારને ધમકાવતા પરિવાર કોઈની મદદ લઈ શક્યો ન હતો.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.