અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત અંતર્ગત જિલ્લા એલસીબી પોલીસે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી છ મહિનાથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લીધો છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો બુટલેગર હડમાનારામ ગિલારામ મેઘવાલ (રહે. હેમવાસ સૈલા, બાડમેર-રાજસ્થાન) છેલ્લા છ મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો, પરંતુ આખરે ઝડપાઈ જતાં તેના મોતિયા મરી ગયા છે. એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરીને બાતમીદારો સક્રિય કર્યા હતા. આ દરમિયાન આરોપી આશ્રમ ચોકડી નજીક મોડાસા તરફના રોડ પર ઊભો હોવાની ચોક્કસ બાતમી મળતા જ એલસીબી પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચી બુટલેગરને કોર્ડન કરી ઝડપી લીધો હતો. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ભિલોડા પોલીસને સુપ્રત કરવાની તજવીજ શરૂ કરી છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત અંતર્ગત જિલ્લા એલસીબી પોલીસે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી છ મહિનાથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લીધો છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો બુટલેગર હડમાનારામ ગિલારામ મેઘવાલ (રહે. હેમવાસ સૈલા, બાડમેર-રાજસ્થાન) છેલ્લા છ મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો, પરંતુ આખરે ઝડપાઈ જતાં તેના મોતિયા મરી ગયા છે. એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરીને બાતમીદારો સક્રિય કર્યા હતા. આ દરમિયાન આરોપી આશ્રમ ચોકડી નજીક મોડાસા તરફના રોડ પર ઊભો હોવાની ચોક્કસ બાતમી મળતા જ એલસીબી પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચી બુટલેગરને કોર્ડન કરી ઝડપી લીધો હતો. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ભિલોડા પોલીસને સુપ્રત કરવાની તજવીજ શરૂ કરી છે.
- અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.3
- અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.1
- વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.1
- આપના વિસ્તારના સચોટ અને સ્થાનિક સમાચારો સૌથી પહેલાં મેળવવા માટે 'ખેડા ઉજાસ' (KHEDA UJAS) યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ચેનલ નિડર પત્રકારત્વ, નવો ઉજાસ, લોકપ્રશ્નોનો અવાજ અને પ્રગતિનો પ્રકાશ લાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક સ્તરે કાર્ય કરી રહી છે.1
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, અને તેની તપાસ માટેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં ચાંદીપુર વાયરસનો આ પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તે ગામમાં તાત્કાલિક ફોગિંગ સહિતની અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.2
- અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક લાલપુર ગામ પાસે આજે એક કાર અકસ્માત સર્જાયો હતો. ઉદયપુરથી ખેડા જઈ રહેલી કારનું અચાનક ચાલુ મુસાફરી દરમિયાન વ્હીલ નીકળી ગયું હતું. વ્હીલ નીકળી જવાના કારણે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ મદદ કરી હતી અને બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.3