બનાસકાંઠાના થરાદમાં સ્થાનિક પોલીસે છેલ્લા એક વર્ષથી વિદેશી દારૂના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપી કિરણભાઈ કરશનભાઈ ભુદરાભાઈ (ઉં.વ. ૨૫)ને જેતડા મુકામેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાની જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં શ્રી એસ.એમ. વારોતરિયા (વિભાગીય પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ) અને શ્રી એ.જી. રબારી (પોલીસ ઇન્સપેક્ટર, થરાદ)નું માર્ગદર્શન મળ્યું હતું. થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા ત્યારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલી બાતમીના આધારે જેતડા સીમ, તા. થરાદ, જિ. વાવ-થરાદના રહેવાસી કિરણભાઈ કરશનભાઈ ભુદરાભાઈ જાતે રાજપૂત (સોલંકી)ને પકડવામાં આવ્યો હતો. આ આરોપી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૨૨૯/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૮૧), ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૩૪૧/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૯૮(૨)) અને ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૦૪૭/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ તથા બી.એન.એસ. કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨)) એમ ત્રણ વિદેશી દારૂના ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. આ કામગીરીમાં શ્રી એ.જી. રબારી (પોલીસ ઇન્સપેક્ટર), એ.એસ.આઈ. સેંધાભાઈ કાળાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રાણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાગજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ નાનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ નવાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ગણેશભાઈ કાનાભાઈ સહિત થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.
બનાસકાંઠાના થરાદમાં સ્થાનિક પોલીસે છેલ્લા એક વર્ષથી વિદેશી દારૂના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપી કિરણભાઈ કરશનભાઈ ભુદરાભાઈ (ઉં.વ. ૨૫)ને જેતડા મુકામેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાની જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં શ્રી એસ.એમ. વારોતરિયા (વિભાગીય પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ) અને શ્રી એ.જી. રબારી (પોલીસ ઇન્સપેક્ટર, થરાદ)નું માર્ગદર્શન મળ્યું હતું. થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા ત્યારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલી બાતમીના આધારે જેતડા સીમ, તા. થરાદ, જિ. વાવ-થરાદના રહેવાસી કિરણભાઈ કરશનભાઈ ભુદરાભાઈ જાતે રાજપૂત (સોલંકી)ને પકડવામાં આવ્યો હતો. આ આરોપી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૨૨૯/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૮૧), ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૩૪૧/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૯૮(૨)) અને ગુના રજિસ્ટર નંબર ૧૧૯૯૬૦૦૬૨૫૧૦૪૭/૨૦૨૫ (પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ તથા બી.એન.એસ. કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨)) એમ ત્રણ વિદેશી દારૂના ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. આ કામગીરીમાં શ્રી એ.જી. રબારી (પોલીસ ઇન્સપેક્ટર), એ.એસ.આઈ. સેંધાભાઈ કાળાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રાણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાગજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ નાનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ નવાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ગણેશભાઈ કાનાભાઈ સહિત થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.
- રાજકોટમાં છેડતીના એક મામલામાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં પરિવારના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યા બાદ બે યુવકોએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.1
- વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચનાથી અને સુઈગામ પી.આઈ. એચ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ, મોરવાડા આઉટ પોસ્ટ બીટના એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે મળીને છેલ્લા 15 દિવસથી ગામમાં દેશી-વિદેશી દારૂ અને નશીલી ગોળીઓના વેચાણ પર રોક લગાવવા માટે ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે રવિવારે મોરવાડા ગામના શ્રી મહાકાળી માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા ગામમાં સંપૂર્ણ દારૂબંધી જળવાઈ રહે તે માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ તેમની કડક કાર્યવાહીની સરાહના કરી હતી અને પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. તેમણે ખાતરી આપી કે ગામમાં કે આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ દારૂ કે નશીલા પદાર્થો વેચતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોએ જણાવ્યું કે ગ્રામજનોની જાગૃતિ અને પોલીસની કડક કાર્યવાહીના કારણે વિસ્તારમાં દારૂ તેમજ નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પાબંધી આવી ગઈ છે. મોરવાડા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ બોરૂચાએ પણ પુષ્ટિ કરી કે એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીના આગમન બાદ ગામમાં દેશી દારૂ અને નશીલી દવાઓનું વેચાણ સદંતર બંધ થયું છે, અને પોલીસે ખાતરી આપી છે કે આવા વેચાણને સંપૂર્ણપણે બંધ કરવામાં તેઓ ગ્રામજનો સાથે રહેશે. વધુમાં, ગામમાં સુરક્ષા વધારવાના ભાગરૂપે ચાર રસ્તા પર અધ્યતન સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ફાળો આપ્યા બાદ ગ્રામજનોએ પણ ₹2 લાખ ઉપરાંતનો ફાળો આપ્યો છે. એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ગ્રામજનોને અપીલ કરી હતી કે જો ક્યાંય પણ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેમને અથવા સુઈગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને માહિતી આપે, જેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આ બેઠકમાં મોરવાડા સરપંચ વિક્રમભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ બોરૂચા, તાલુકા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ વાધેલા, એડવોકેટ રાજુજી ઠાકોર, કરણસિંહ વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, ગોરાભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ વાઘેલા, હરેશ ઠાકોર, પહલાદજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના ગ્રામજનો હાજર રહ્યા હતા.1
- પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામેથી ₹500ની બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાંથી આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત રેડ કરી 492 બનાવટી નોટો એટલે કે ₹2,46,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયરના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. એલસીબી પાટણના પીઆઈ આર.જી. ઉનાગર અને સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. પટેલ અને સ્ટાફે સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એલસીબીના એ. હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, કાતર અને વાહન સહિત કુલ ₹1,01,100ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં નિકુલજી હમીરજી, ધીરજ ચૌહાણ, પપુ ઠાકોર અને કૈલાશ નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 489એ, 489બી અને 489સી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા અને બનાવટી નોટોનો જથ્થો ક્યાં-ક્યાં વટાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.1
- ધાર્મિક અને વૈરાગ્યમય જીવન જીવતા જેઠા બાએ સંસારની આસક્તિનો ત્યાગ કરીને હસતાં મુખે પરિવારજનોને અંતિમ વિદાય આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે માતા ગંગાના ચરણોમાં હાથ જોડીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરતાં આત્મસમર્પણ કર્યું હતું. તેમના આ આધ્યાત્મિક પ્રસ્થાનથી સમાજમાં શ્રદ્ધા અને ભાવુકતાનો માહોલ સર્જાયો છે, અને અનેક લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવનને પ્રેરણાદાયક ગણાવ્યું છે.1
- રાણીપુર વિસ્તારમાં બુટલેગરોનો આતંક ચરમસીમા પર જોવા મળી રહ્યો છે, જ્યાં પોલીસે એક દારૂનો અડ્ડો બંધ કરાવ્યા બાદ માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ તે ફરીથી શરૂ થઈ ગયો છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને હોબાળો વ્યાપી ગયો છે.1
- ભાભર શહેરમાં તસ્કર ટોળકી ફરી સક્રિય થતાં વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગત રાત્રે અજાણ્યા ચોરોએ શહેરની ચાર અલગ-અલગ દુકાનોને નિશાન બનાવી તેમના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, કોઈ માલસામાનની ચોરી ન થતાં દુકાનદારોને રાહત મળી છે. મળતી માહિતી મુજબ, તિરુપતિ માર્કેટ વિસ્તારમાં આવેલી રામદેવ મોબાઇલ, ફોનવાલા મોબાઇલ અને એક દરજીની દુકાન ઉપરાંત લાટી બજારમાં આવેલી ચામુંડા મોબાઇલ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. એક જ રાત્રે ચાર દુકાનોને નિશાન બનાવવાની આ ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આવા બનાવો સતત વધી રહ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વેપારીઓ અને સ્થાનિક લોકોએ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા તેમજ મુખ્ય બજાર વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે જો સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી ચોરીની ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં, સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને એક જ રાત્રે ચાર દુકાનોના તાળા તોડવાની આ ઘટનાએ ભાભર પોલીસ માટે એક પડકાર ઉભો કર્યો છે. તસ્કરોને ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.3
- રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં આવેલા પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના કરી હતી અને પ્રાર્થના કરી હતી.1
- અંબાજીમાં પોલીસકર્મીઓ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે. લુખ્ખા તત્ત્વોએ 'ખાખી' પર પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.1