logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ડેટા વગરના મોબાઈલ રિચાર્જ પ્લાનને સસ્તા કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવા પ્લાન 70 ટકા સુધી સસ્તા થઈ શકે છે. ટ્રાઈ દ્વારા 'દૂરસંચાર ગ્રાહક સુરક્ષા નિયમન, 2026' (Telecom Consumers Protection Regulations, 2026) નો નવો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ડ્રાફ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 'જો ડેટાની જરૂર ન હોય તો તેના પૈસા શા માટે ચૂકવવા?' તે નક્કી કરવાનો છે. હાલમાં ટ્રાઈએ આ બાબતે તમામ હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના આધારે આ દરખાસ્તને અંતિમ રૂપ આપવામાં આવશે. હાલના સમયમાં ટેલિકોમ કંપનીઓ ખૂબ જ મર્યાદિત સમયગાળા માટે જ 'માત્ર કોલ અને એસએમએસ' વાળા રીચાર્જ પેક ઓફર કરે છે, જેના કારણે અનેક ગ્રાહકોને મજબૂરીમાં ડેટા ધરાવતા મોંઘા પ્લાન લેવા પડે છે. આ સ્થિતિને બદલવા માટે હવે ટ્રાઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે ટેલિકોમ કંપનીઓ જેટલા દિવસની વેલિડિટી (જેમ કે 7, 28, 56 કે 84 દિવસ) ધરાવતા ડેટા પ્લાન લાવે છે, તેટલી જ સમાન અવધિના 'માત્ર કોલ અને એસએમએસ' વાળા પ્લાન પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા પડશે.

8 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
8 hrs ago

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ડેટા વગરના મોબાઈલ રિચાર્જ પ્લાનને સસ્તા કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવા પ્લાન 70 ટકા સુધી સસ્તા થઈ શકે છે. ટ્રાઈ દ્વારા 'દૂરસંચાર ગ્રાહક સુરક્ષા નિયમન, 2026' (Telecom Consumers Protection Regulations, 2026) નો નવો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ડ્રાફ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 'જો ડેટાની જરૂર ન હોય તો તેના પૈસા શા માટે ચૂકવવા?' તે નક્કી કરવાનો છે. હાલમાં ટ્રાઈએ આ બાબતે તમામ હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના આધારે આ દરખાસ્તને અંતિમ રૂપ આપવામાં આવશે. હાલના સમયમાં ટેલિકોમ કંપનીઓ ખૂબ જ મર્યાદિત સમયગાળા માટે જ 'માત્ર કોલ અને એસએમએસ' વાળા રીચાર્જ પેક ઓફર કરે છે, જેના કારણે અનેક ગ્રાહકોને મજબૂરીમાં ડેટા ધરાવતા મોંઘા પ્લાન લેવા પડે છે. આ સ્થિતિને બદલવા માટે હવે ટ્રાઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે ટેલિકોમ કંપનીઓ જેટલા દિવસની વેલિડિટી (જેમ કે 7, 28, 56 કે 84 દિવસ) ધરાવતા ડેટા પ્લાન લાવે છે, તેટલી જ સમાન અવધિના 'માત્ર કોલ અને એસએમએસ' વાળા પ્લાન પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવા પડશે.

More news from ગુજરાત and nearby areas
  • વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
    1
    વિસનગર APMC ખાતે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે એક નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ વિશેષ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ દરમિયાન કુલ 323 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે ₹48 લાખથી વધુની કિંમતના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટફોન, હિયરિંગ એડ અને વોકર જેવા સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાની જીવન જીવવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 'મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ'નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. તેનીવાડા ખાતે આ નૂતન હેલ્થ કેર કેમ્પસના નિર્માણ માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે ભૂમિ પૂજનની આ વિધિ સંપન્ન થઈ હતી.
    1
    બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 'મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ'નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. તેનીવાડા ખાતે આ નૂતન હેલ્થ કેર કેમ્પસના નિર્માણ માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે ભૂમિ પૂજનની આ વિધિ સંપન્ન થઈ હતી.
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, અને તેની તપાસ માટેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં ચાંદીપુર વાયરસનો આ પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તે ગામમાં તાત્કાલિક ફોગિંગ સહિતની અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
    2
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, અને તેની તપાસ માટેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં ચાંદીપુર વાયરસનો આ પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા તે ગામમાં તાત્કાલિક ફોગિંગ સહિતની અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે, આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    3
    અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી.

આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે.

એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    1
    અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    17 hrs ago
  • મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના રેનાપુર તાલુકાના ખારોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બોરવેલના વાયર ચોરી કરવાની શંકામાં ત્રણ સગીરોને એક ખેતરમાં થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટનામાં સંડોવાયેલા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
    1
    મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના રેનાપુર તાલુકાના ખારોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બોરવેલના વાયર ચોરી કરવાની શંકામાં ત્રણ સગીરોને એક ખેતરમાં થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટનામાં સંડોવાયેલા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.