ભરૂચ કલેક્ટરે NCST ની નોટિસનું ઉલ્લંઘન કરતા સિવિલ કોર્ટની સત્તા હેઠળ " સમન્સ " જારી થવાનો તખતો તૈયાર આનંદભાઈ વસાવા - ભરૂચ તા.1 લી ઓગસ્ટ 2026 ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામની આદિવાસી સમુદાયના હક્કો અને ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર 24 રેતી- પથ્થરના ખનીજ બ્લોકની હરાજી બિનધિકૃત રીતે કરાતા સામાજિક કાર્યકર અને એકધારી સંવૈધાનિક વૈચારિક લડત હંમેશા ચલાવનાર ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવાએ તા. 18/12/2025 ના રોજ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જન જાતિ અયોગમાં રજુઆત કરી હતી. તે સંદર્ભે રાષ્ટ્રીય અનુસૂચિત જન જાતિ આયોગે ( NCST ) ગંભીર નોંધ લઇ તાત્કાલિક પત્ર ક્રમાંક : NCST /DEV -7370/GJ /9/2026-RU-1 થી તા. 24/4/2026 ના રોજ ભરૂચ કલેક્ટરને કડક નોટિસ NCST એ બંધારણનીઅનુચ્છેદની કલમ -338 (ક) હેઠળ મળેલી સત્તા મુજબ ફક્ત 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવાનું અલ્ટીમેટ આપ્યું. અને તેનો અનાધાર થાય તો ભારતના સંવિધાન ના 338 એ ના ખંડ (8) હેઠળ સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને જવાબદાર અધિકારીઓ કે તેમના પ્રતિનિધિઓને રૂબરૂ હજર રહેવા માટે ' સમન્સ ' જારી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.તે બાબતનો અહેવાલ તા. 6/5/2026 ના રોજ "અખંડ bharat" દૈનિક ન્યુઝ માં ચમકીયું હતું. છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન થતાં ફરી તા. 17 જુલાઈ 2026 ના રોજ સત્તાવાર પત્ર ક્રમાંક : NCST /SER -3162/GJ /17/2026- RO -JPR / RU-1 એ સ્પષ્ટ કર્યું છે. કે અગાઉ તા. 24 એપ્રિલ 2026 ના રોજ નોટિસ મોકલવા છતાં જવાબદાર રજુ કરવામાં આવ્યાં નથી. તેથી હવે પત્ર મળેને 15 દિવસ મી અંદર જવાબ આપવા આદેશ કર્યોં છે. જો નિર્ધારિત સમયમાં પ્રત્યુત્તર નહી મળે, તો ભારતના સંવિધાન અનુચ્છેદ -338 એ ખંડ (8) હેઠળ સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને જવાબદાર અધિકારીઓ કે તેમના પ્રતિનિધિઓને રૂબરૂ હજર રહેવા માટે ' સમન્સ ' જારી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે આવનાર સમયમાં શું પરિણામ આવે છે. તે જવાનુ રહ્યું.
ભરૂચ કલેક્ટરે NCST ની નોટિસનું ઉલ્લંઘન કરતા સિવિલ કોર્ટની સત્તા હેઠળ " સમન્સ " જારી થવાનો તખતો તૈયાર આનંદભાઈ વસાવા - ભરૂચ તા.1 લી ઓગસ્ટ 2026 ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામની આદિવાસી સમુદાયના હક્કો અને ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર 24 રેતી- પથ્થરના ખનીજ બ્લોકની હરાજી બિનધિકૃત રીતે કરાતા સામાજિક કાર્યકર અને એકધારી સંવૈધાનિક વૈચારિક લડત હંમેશા ચલાવનાર ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવાએ તા. 18/12/2025 ના રોજ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જન જાતિ અયોગમાં રજુઆત કરી હતી. તે સંદર્ભે રાષ્ટ્રીય અનુસૂચિત જન જાતિ આયોગે ( NCST ) ગંભીર નોંધ લઇ તાત્કાલિક પત્ર ક્રમાંક : NCST /DEV -7370/GJ /9/2026-RU-1 થી તા. 24/4/2026 ના રોજ ભરૂચ કલેક્ટરને કડક નોટિસ NCST એ બંધારણનીઅનુચ્છેદની કલમ -338 (ક) હેઠળ મળેલી સત્તા મુજબ ફક્ત 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવાનું અલ્ટીમેટ આપ્યું. અને તેનો અનાધાર થાય તો ભારતના સંવિધાન ના 338 એ ના ખંડ (8) હેઠળ
સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને જવાબદાર અધિકારીઓ કે તેમના પ્રતિનિધિઓને રૂબરૂ હજર રહેવા માટે ' સમન્સ ' જારી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.તે બાબતનો અહેવાલ તા. 6/5/2026 ના રોજ "અખંડ bharat" દૈનિક ન્યુઝ માં ચમકીયું હતું. છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન થતાં ફરી તા. 17 જુલાઈ 2026 ના રોજ સત્તાવાર પત્ર ક્રમાંક : NCST /SER -3162/GJ /17/2026- RO -JPR / RU-1 એ સ્પષ્ટ કર્યું છે. કે અગાઉ તા. 24 એપ્રિલ 2026 ના રોજ નોટિસ મોકલવા છતાં જવાબદાર રજુ કરવામાં આવ્યાં નથી. તેથી હવે પત્ર મળેને 15 દિવસ મી અંદર જવાબ આપવા આદેશ કર્યોં છે. જો નિર્ધારિત સમયમાં પ્રત્યુત્તર નહી મળે, તો ભારતના સંવિધાન અનુચ્છેદ -338 એ ખંડ (8) હેઠળ સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને જવાબદાર અધિકારીઓ કે તેમના પ્રતિનિધિઓને રૂબરૂ હજર રહેવા માટે ' સમન્સ ' જારી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે આવનાર સમયમાં શું પરિણામ આવે છે. તે જવાનુ રહ્યું.
- ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી1
- आज ‘नेशनल टाउनहॉल अगेंस्ट E20’ में 'मोदी जी' ने अपनी बात रखी..." आज ‘नेशनल टाउनहॉल अगेंस्ट E20’ में 'मोदी जी' ने अपनी बात रखी..."1
- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- બ્રેકિંગ ન્યુઝ ઈકબાલ સોલંકી નર્મદા. ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બને તેવી આસંકાઓ નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના નાલખોપી ગામે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બને તેવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કારણકે આ વિવાદમાં સાંસદ મનસુખ વસાવા 1 ઓગસ્ટના રોજ ખેડૂતોના સમર્થનના આવી રહ્યા છે1
- આગાહી વચ્ચે કૂકરમુંડામાં પાણી-પાણી...!મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -મૌલીપાડા (આમોદા) પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો મુશ્કેલીમાં -વર્ષોથી રજૂઆત છતાં ઉકેલ નહીં, ગ્રામજનોની પાક્કી આર.સી.સી. ગટર લાઇનની માંગ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મૌલીપાડા (આમોદા) ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.1