Shuru
Apke Nagar Ki App…
આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે... ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેરમાં ગતરોજ પડેલા 3.46 ઇંચ કરતા વધુ વરસાદને લઈ હરણાવ નદીમાં આવ્યા નવા નીર આવ્યા છે નીર આવતા નદી વહેતી થઈ છે આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે છેલ્લા કેટલાક સમય થી નદી કોરી જેવી લાગતી હતી જે છેલ્લા ત્રણ દિવસ થી થઈ રહેલા વરસાદ ને લઈ નવા નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર 47.17 મા %જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા: આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે
દિવાકર બન્ના
આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે... ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેરમાં ગતરોજ પડેલા 3.46 ઇંચ કરતા વધુ વરસાદને લઈ હરણાવ નદીમાં આવ્યા નવા નીર આવ્યા છે નીર આવતા નદી વહેતી થઈ છે આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે છેલ્લા કેટલાક સમય થી નદી કોરી જેવી લાગતી હતી જે છેલ્લા ત્રણ દિવસ થી થઈ રહેલા વરસાદ ને લઈ નવા નીર આવ્યા છે ખેડબ્રહ્મા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર 47.17 મા %જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ખેડબ્રહ્મા સહેલા મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં નીર આવ્યા: આ પાણી થી કુવા રીચાર્જ થવાની આશા ખેડુતો મા બંધાઈ છે
More news from ગુજરાત and nearby areas
- વિજાપુરમાં બાળ કલાકારોની કલાથી 95 ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું સર્જન ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવારના ઉપક્રમે ગણપતિ બાપ્પા મોરિયા મહોત્સવ યોજાયો વિજાપુરમાં બાળ કલાકારોની કલાથી 95 ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું સર્જન ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવારના ઉપક્રમે ગણપતિ બાપ્પા મોરિયા મહોત્સવ યોજાયો વિજાપુર: વિજાપુર ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવાર દ્વારા પ્રમુખ શ્રીમતી કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ મૂર્તિ સ્પર્ધામાં બાળ કલાકારોએ માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સુંદર મૂર્તિઓ બનાવી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. વિજાપુર તાલુકાના કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા સહિતના ગામોમાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળ કલાકારો દ્વારા કુલ 95 માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આ સ્પર્ધામાંથી પસંદ થયેલા કુલ 11 વિજેતા બાળકોને આકર્ષક ઈનામો, સ્વીટ હેમ્પર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા બાળકો કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા ગામોના હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને પણ મીઠાઈનું બોક્સ, શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટી.બી. હોસ્પિટલ, વિજાપુર તથા આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. આયોજકો દ્વારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.3
- પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી! પત્રકારોના વિસામામાં જામ્યો માહોલ, EMA મીડિયા એસોસિએશનના આયોજનમાં પત્રકારોની મોજમસ્તી!1
- અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો આગામી 20 સપ્ટેમ્બર થી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો યોજનાર છે ત્યારે ગુજરાત સહિત આસપાસમાં રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિસામાં નું આયોજન કરવામાં આવતું હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે આજથી વિસામો ખુલ્લો મુકવામા આવ્યો. વિસામાં ના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સહિત અગ્રણીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ કરવામાં આવેલ વિસ્તારમાં પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ચા પાણી મેડિકલ અને આરામ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે..4
- મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી મહેસાણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું કરાયું સ્વાગત રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,સાંસદ હરિભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિટ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા આવતીકાલે વડનગરથી વારાણસી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી4
- મહેસાણાની વાણી IVF હોસ્પિટલમાં સારવાર દરમિયાન 32 વર્ષીય મહિલાનું મોત, પરિવારનો તબીબી બેદરકારીનો આક્ષેપ1
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિરપુરના સાલૈયા ગામે કારમાં અચાનક આગ ભભૂકી, બે વર્ષના બાળકનો આબાદ બચાવ... મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી હતી. કારમાં સવાર કારચાલક સહિત બે વર્ષના બાળકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જોકે આગની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થતાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ વિરપુર તાલુકાના ભાટપુર ગામના નટવરસિંહ લક્ષ્મણસિંહ બારીયા પોતાના સગાને સરાડીયા ગામે મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સાલૈયા ગામ નજીક તેમની કાર નં. GJ-01-KC-2422માં અચાનક આગ લાગી હતી. કારના આગળના ભાગમાં આવેલા એસીના ભાગમાંથી અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.આ સમયે કારમાં નટવરસિંહ બારીયાનો બે વર્ષનો પુત્ર પણ સવાર હતો. કારમાં આગ લાગ્યાની ખબર થતાં નટવરસિંહે સમયસૂચકતા દાખવી તરત જ કાર રોકી દરવાજો ખોલીને પોતાના બે વર્ષના બાળકને કારમાંથી બહાર કાઢી લીધો હતો. બાળકને બહાર કાઢ્યાની થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવામાં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.સદનસીબે કારચાલક અને બે વર્ષના બાળકને સમયસર બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. બનાવને પગલે વિરપુર તાલુકામાં કાયમી ફાયર બ્રિગેડની સુવિધાની જરૂરિયાત ફરી એક વખત સામે આવી છે. તાલુકામાં આગ જેવી કટોકટીની ઘટના બને ત્યારે સમયસર મદદ મળી રહે તે માટે ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫2
- મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા સેવા સંકલ્પ યાત્રા સ્વાગત કાર્યક્રમ સોમનાથ થી વડનગર તરફ પ્રસ્થાન કરતા મહેસાણા ખાતે આજરોજ સેવા સંકલ્પ યાત્રા નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા કમલમ ખાતે રાજ્ય સભા સાંસદ તથા લોકસભા સાંસદ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણાના ધારાસભ્ય મહાનગરપાલિકાના મેયર તમામ કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મહિલા કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ યાત્રામાં આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણાના ભાજપના નેતાઓ પણ બુલેટ સવાર થઈ યાત્રામાં જોડાયા હતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર તરફ પ્રસ્થાન કરનાર સેવા સંકલ્પ યાત્રા આજે મહેસાણા નગરમાં ભવ્ય આગમન થયું હતું આ યાત્રાના સ્વાગત કાર્યક્રમનું આયોજન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું મહેસાણા મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા સેવા સંકલ્પ યાત્રા સ્વાગત કાર્યક્રમ સોમનાથ થી વડનગર તરફ પ્રસ્થાન કરતા મહેસાણા ખાતે આજરોજ સેવા સંકલ્પ યાત્રા નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા કમલમ ખાતે રાજ્ય સભા સાંસદ તથા લોકસભા સાંસદ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મહેસાણાના ધારાસભ્ય મહાનગરપાલિકાના મેયર તમામ કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મહિલા કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ યાત્રામાં આવનાર તમામ મહેમાનોનું ફૂલહાર અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણાના ભાજપના નેતાઓ પણ બુલેટ સવાર થઈ યાત્રામાં જોડાયા હતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર તરફ પ્રસ્થાન કરનાર સેવા સંકલ્પ યાત્રા આજે મહેસાણા નગરમાં ભવ્ય આગમન થયું હતું આ યાત્રાના સ્વાગત કાર્યક્રમનું આયોજન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4