Shuru
Apke Nagar Ki App…
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- હાલમાં માં ચાલતી નર્મદા પરિક્રમા નર્મદા પોલીસ ની અનોખી પહેલ નર્મદા માઈ ભક્તો ની ભીડ ઉમટતાં નર્મદા પોલીસ ના પીઆઈ શ્રી વિ.કે ગઢવી દ્વારા અલંગ અંદાજમાં રામધુન અને ભજન કીર્તન3
- હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા1
- Post by THE BEALERT NEWS1
- Post by Nationgujarat.com1
- શિનોર તાલુકા ટીંગલોદ ગામમાં કરુણ ઘટના | તળાવમાં ડૂબી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ ટીંગલોદ તળાવ દુર્ઘટના: એક કરુણ અંત અને બચાવ કામગીરી પર સવાલો શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાં ગત રાત્રિએ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં માછલી પકડવા ગયેલા એક આધેડ વયના પુરુષનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે, અને સાથે જ બચાવ કામગીરીની નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીંગલોદ ગામના ૫૫ વર્ષીય રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ગત રાત્રે આશરે ૭ વાગ્યાની આસપાસ ગામના તળાવમાં માછલી પકડવા ગયા હતા. તળાવ કિનારે કાદવ-કીચડ હોવાને કારણે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકોએ તેમની બૂમો સાંભળીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. આ ઘટનાની જાણ લગભગ અડધા કલાકમાં કરજણ ફાયર સેફ્ટીને કરવામાં આવી હતી. કરજણ ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખરી, પરંતુ ગામજનોના આક્ષેપ મુજબ, તેમણે બચાવ કામગીરી શરૂ કરી નહોતી. ગામલોકોનો દાવો છે કે જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોત, તો કદાચ રાજેશભાઈના પરિવારને તેમનો મૃતદેહ વહેલી તકે મળી શક્યો હોત. આ વિલંબને કારણે પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી. દુર્ભાગ્યવશ, રાજેશભાઈ વસાવાને જીવતા બચાવી શકાયા નહોતા. બીજા દિવસે સવારે કરજણ ફાયર સેફ્ટીની ટીમે ફરીથી ટીંગલોદ ગામે પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબા પ્રયાસો બાદ રાજેશભાઈ વસાવાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ ઘટનાએ સ્થાનિક બચાવ દળોની કાર્યક્ષમતા અને તાત્કાલિક પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. એક તરફ, એક નિર્દોષ જીવ કાદવ-કીચડના કારણે અકાળે કાળનો કોળિયો બની ગયો, અને બીજી તરફ, બચાવ કામગીરીમાં થયેલા કથિત વિલંબને કારણે પરિવારજનોની વેદનામાં વધારો થયો. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બચાવ દળો વધુ સજ્જ અને ત્વરિત પ્રતિભાવ આપવા સક્ષમ બને. આ દુર્ઘટના રાજેશભાઈના પરિવાર માટે એક કાયમી ઘા બની રહેશે, અને સમાજ માટે એક બોધપાઠ કે સુરક્ષા અને ત્વરિત પ્રતિભાવનું મહત્વ કેટલું અનિવાર્ય છે. બ્યુરો ચીફ . પિન્ટુ વસાવા વડોદરા1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- Post by Mr BHIl Vishnubhai kalidash1