Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા જિલ્લાના દિયોદર-ભાભર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
વાધેલા પાંચાજી આર
બનાસકાંઠા જિલ્લાના દિયોદર-ભાભર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)ના સહયોગથી LHB કોચનો ફુલ-સ્કેલ ક્રેશ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણમાં LHB કોચે આંતરરાષ્ટ્રીય EN 15227 ક્રેશવર્થિનેસ ધોરણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ અકસ્માત દરમિયાન મુસાફરો માટે સુરક્ષિત જગ્યા જાળવી રાખવી, અથડામણની અસર ઘટાડવી અને કોચની સુરક્ષા ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. ભારતીય રેલવે માટે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવે છે, જે ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.1
- બનાસકાંઠા જિલ્લાના દિયોદર-ભાભર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.2
- બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જલિયાણ સત્સંગ મંડળ દ્વારા જલારામ બાપાના 94મા મંગળ ભજન સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ભાભર નગરપાલિકાના પ્રમુખ અમરતભાઈ માળીના સહયોગથી પાલિકા ગાર્ડનમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જલારામ બાપાના ભજનો અને સત્સંગ દ્વારા અત્યંત ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભજન મંડળી દ્વારા રજૂ કરાયેલા સુમધુર ભજનોમાં ઉપસ્થિત ભક્તજનો ભાવવિભોર બની ગયા હતા. સત્સંગ દરમિયાન જલારામ બાપાના જીવનચરિત્ર, સેવાભાવ, પરોપકાર અને માનવતાના સંદેશ અંગે પ્રેરણાદાયી પ્રવચનો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાભરના નગરજનો, વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તોએ ભજન-કીર્તનનો લાભ લઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.1
- વાવ-થરાદ જિલ્લાના દિયોદર ન્યાય મંદિરમાં આજથી આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા હેઠળ, હવે કોર્ટ સંકુલમાં જ વકીલો, પક્ષકારો અને સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહેશે. જિલ્લા પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રીના વરદ્દ હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દિયોદર સિવિલ કોર્ટ સંકુલમાં શુભારંભ કરાયેલ આ કેન્દ્રનું ઉદ્ઘાટન વાવ-થરાદ જિલ્લા તેમજ બનાસકાંઠા પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર કોર્ટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજશ્રી, વકીલ મંડળના પ્રમુખ, સિનિયર વકીલો, સરકારી વકીલ તેમજ કોર્ટ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ હવે ન્યાય સંકુલમાં ખડેપગે રહી વકીલો, પક્ષકારો તેમજ કર્મચારીઓને ઈમરજન્સી સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડશે. ઘણીવાર કોર્ટ કાર્યવાહી દરમિયાન તબિયત લથડવાના બનાવો બનતા હોય છે, ત્યારે આ કેન્દ્ર ખૂબ ઉપયોગી નીવડશે તેવી અપેક્ષા છે. દિયોદર ન્યાય મંદિરમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થતા કોર્ટ સંકુલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સેવા શરૂ કરવા બદલ વકીલ મંડળ અને પક્ષકારોએ જિલ્લા ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ન્યાયની સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરતી આ પહેલને સૌ કોઈએ આવકારી છે.1
- રાધનપુર તાલુકા પંચાયતના સભ્ય સુરેશ ઠાકોરે દારૂના દુષણ સામે કડક પ્રહાર કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે પેદાસપુરા ગામમાં દારૂ વેચનારા અને પીનારાઓ સામે લાલ આંખ કરી છે. ઠાકોરે કડક શબ્દોમાં ચીમકી આપી છે કે, જો કોઈ દારૂ વેચશે કે દારૂ પીને ગામની ગલીઓમાં કોઈને હેરાન કરશે, તો તેને ગામમાંથી તડીપાર કરવામાં આવશે. તેમણે ગામના આગેવાનો દ્વારા લેવાયેલા દારૂબંધીના આ નિર્ણયને બિરદાવ્યો હતો. સુરેશ ઠાકોરે આ પગલાને યુવાનોના સ્વાસ્થ્ય અને ગામની શાંતિ જાળવવા માટે અત્યંત જરૂરી ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક પોલીસ પણ આ મામલે પૂરતો સહકાર આપી રહી છે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પાસપોર્ટ અરજીની ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે અને આ માટે નવા દરોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, 18 વર્ષથી વધુ ઉંમરના અરજદારો તેમજ 15થી 18 વર્ષની વયના સગીરો માટે 36 પાનાવાળા સામાન્ય પાસપોર્ટની અરજી ફી હવે ₹2,500 રહેશે. તત્કાલ (Tatkaal) શ્રેણી હેઠળ આ જ પાસપોર્ટ માટે ફી ₹5,000 નક્કી કરવામાં આવી છે. અગાઉ સામાન્ય પાસપોર્ટ માટે અરજી ફી ₹1,500 હતી. આ નવા દરો 1 જુલાઈથી અમલમાં આવશે.1
- બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક કોટડા હાઈવે પર એક કાર ચાલક પર જીવલેણ હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણથી ચાર અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવીને ધોકા અને લાકડીઓ વડે કાર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને યુવકની સોનાની ચેન તેમજ રોકડ રકમ લૂંટીને ફરાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કાર ચાલક ભુપેન્દ્ર પુરોહિત ઘાયલ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પીડિત યુવક ભુપેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અંગત અદાવત રાખીને આ હુમલો કર્યો હતો. તેમણે પારસ પુરોહિત અને અન્ય ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ 112 પર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.4