સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક,ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ તેમજ ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેતી હતી. ભોગ બનનારનો ભરોસો જીતવા માટે, આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક,ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ તેમજ ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેતી હતી. ભોગ બનનારનો ભરોસો જીતવા માટે, આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
- સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી સામે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી સંચાલિત થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે ગઠ્ઠિયાઓને પોલીસે આસામથી ઝડપી પાડ્યા છે. આ ઠગ ટોળકીએ સુરતના એક રહેવાસીને કરોડો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને KBC અંતર્ગત રૂ. ૮,૫૦,૦૦૦ અને રૂ. ૨૫ લાખની બમ્પર લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧૩,૫૧,૪૫૦ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને શંકા ન જાય તે માટે, ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નકલી લેટર પેડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા નગાઉ ડિસ્ટ્રિક્ટ અને કોચગાવ ખાતે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થાનિક સ્તરે સઘન રેકી કરીને જુદા જુદા સ્થળોએ છાપા મારીને ઇજાજુલ હક અને મુજફર અલી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પાર પાકિસ્તાનથી જોડાયેલા છે, જ્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.1
- સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.1
- સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક,ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ તેમજ ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેતી હતી. ભોગ બનનારનો ભરોસો જીતવા માટે, આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.1
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી માયાબેન માવાણીએ શહેરના લોકોને મહત્વનો સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “સફાઈ જ સુરતની ઓળખ છે, અને સ્વચ્છતા સર્વેક્ષણમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવું એ આપણા સૌની જવાબદારી છે.” તેમણે ખાસ કરીને કચરાના યોગ્ય વિભાજન, સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમોમાં સક્રિય ભાગીદાર બનવા માટે લોકોને અપીલ કરી. આ માહિતી ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્ર સિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી છે.1
- સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 30 મેના રોજ શહેરને દબાણમુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વેડ રોડથી અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, એસએમસીના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી જેસીબી સહિતના ભારે મશીનોની મદદથી ગેરકાયદેસર માળખાં હટાવ્યા હતા, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મનપા સૂત્રો અનુસાર, આ કામગીરી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક અવરોધ અને જાહેર સુવિધાઓને અસર પહોંચાડતા દબાણોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશન પૂર્ણ થયા બાદ, કાટમાળને હટાવીને વિસ્તારને સ્વચ્છ બનાવવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે, અને નાગરિકોને કાયદાનું પાલન કરવા તથા જાહેર મિલકતો પર દબાણ ન કરવા અપીલ કરવામાં આવી છે.1
- સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા નજીક 'દારુવાલા મેડિકલ સ્ટોર' પર એક અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કોઈ સામાન્ય બાબતે અથવા ઉશ્કેરાટમાં આવીને કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.1