Shuru
Apke Nagar Ki App…
બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.
Jagdish soni
બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.1
- બનાસ ડેરી સભામાં જતા ખેડૂત આગેવાનની અટકાયત: દિયોદર પોલીસે કાર્યવાહી કરી, સભા પૂરી ન થઈ ત્યાં સુધી રોક્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હાજરી આપવા જઈ રહેલા દિયોદર વિધાનસભા વિસ્તારના જસરા ગામના ખેડૂત આગેવાન અને પશુપાલક ભેમાભાઈ ચૌધરીની દિયોદર પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ભેમાભાઈ ચૌધરીને રસ્તા વચ્ચેથી અટકાવ્યા હતા. તેમને દિયોદર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.સાધારણ સભા પૂરી ન થઈ ત્યાં સુધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ભેમાભાઈ ચૌધરી પોતાનો ગ્રાહક નંબર સાથે સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.1
- થરાદમાં મહિલાના વેશમાં ફરતા પુરુષનો વીડિયો વાયરલ, શહેરમાં ચકચાર.... ધોળા દિવસે મહિલાના વેશમાં ફરતા શખ્સને સ્થાનિકોએ રોક્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...1
- થરાદ પીઆઈ એ.જી. રબારીની મોટી કાર્યવાહી વાંતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો; ટ્રક સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો (લક્ષ્મણ સોલંકી) વાવ થરાદ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે થરાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ પીઆઈ એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ વાંતડાઉ ભારતમાલા હાઈવે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ વાંતડાઉ ભારતમાલા હાઈવે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સાંચોર, રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની બંધ બોડી ટ્રક નંબર RJ-10-GB-7503ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની બોડીના ભાગે ચોખા ભરવાના પ્લાસ્ટિકના ખાલી થેલીઓ ભરેલા કટ્ટાની આડમાં ગેરકાયદેસર અને વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે **વિદેશી દારૂની 8,232 બોટલ, કિંમત રૂ.21,01,248/-**નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત રૂ.10 લાખની ટ્રક, બે મોબાઈલ ફોન રૂ.8,000, ચોખા ભરવાના પ્લાસ્ટિકના 100 કટ્ટા અંદાજિત રૂ.70,000 સહિત કુલ રૂ.31,79,248/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ટ્રકના ચાલક વિનોદ સ/ઓ મંગતુરામ અમીલાલ નાયક, ઉંમર 27 વર્ષ, રહે. ભટ્ટકલા, તા. ભટ્ટકલા, જી. ફતેહાબાદ, હરિયાણાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારી-કર્મચારીઓ આ સફળ કાર્યવાહીમાં થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. રબારી, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, તેમજ પોલીસ કોન્સ્ટેબલો મેઘરાજભાઈ ગણેશભાઈ, અનુપભાઈ રામચંદ્રભાઈ, દિપકભાઈ નાનજીભાઈ, રામસિંહ જીવાજી, દશરથભાઈ તખતરામભાઈ અને વિક્રમસિંહ જોગાજી જોડાયા હતા. થરાદ પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.1
- મોરીખા દલિત ની હત્યા કર્યા ને ને 84 દિવસ બાદ મૃતદેહને બહાર કાઢવા મા આવ્યો રિ. પોસ્ટમોર્ટમ માટે બોડી ને અમદાવાદ મુકવામાં આવી. પથુભાઈ રાઠોડ નુ ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया। कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया। इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया। इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया। कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ1
- સણાદરમાં બનાસ ડેરીની 58મી સભામાં 18.4% ભાવવધારો મંજૂર કરાયો: બનાસ ડેરીએ પશુપાલકોને 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાની કરી જાહેરાત બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) | બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે 18.4 ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે યોજાયેલી ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો. આ ભાવ વધારાના કારણે પશુપાલકોને કુલ ₹2946.77 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સંઘનો ભાવફેર ₹2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ બનાસના લાખો પશુપાલક પરિવારોના વિશ્વાસ અને પરિશ્રમનું પરિણામ છે.1
- મહિલાના વેશમાં ફરતા પુરુષનો વીડિયો વાયરલ, ચકચાર થરાદ શહેરમાં ધોળા દિવસે મહિલાના વેશમાં ફરતા શખ્સને સ્થાનિકોએ રોક્યો હોવાનો વીડિયો વાયરલ; ઓળખ અને હેતુ અંગે પોલીસ તપાસની માંગ1