logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુરની પીએમ શ્રી પ્રાથમિક શાળા નં. 2 ખાતે શુક્રવારે વાલી મિટિંગ અને મા-દીકરી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ અને માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભાગીદારી વધારવા સાથે કન્યા શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. વાલી મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પીએમ શ્રી યોજનાની સુવિધાઓ, પોષણ યોજના અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ની પુનઃરચના જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા અને શાળાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરાયા હતા. મા-દીકરી સંમેલનમાં કન્યા શિક્ષણના મહત્ત્વ, જેન્ડર ઓડિટ, સ્વરક્ષા તાલીમ, સ્વચ્છતા, સેનેટરી નેપકીન સુવિધા અને સરકાર દ્વારા મળતી વિવિધ સુરક્ષાલક્ષી જાણકારીઓ આપવામાં આવી હતી, જેથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે. આચાર્ય મહેશભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ પ્રતિકભાઈ સુખડીયાએ ઉપસ્થિત રહી શિક્ષણને ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા રેખાબેન પ્રજાપતિ અને શિક્ષક યોગેશભાઈ પટેલે કર્યું હતું અને શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી આ આયોજન સંપન્ન થયું હતું.

12 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
12 hrs ago

વિજાપુરની પીએમ શ્રી પ્રાથમિક શાળા નં. 2 ખાતે શુક્રવારે વાલી મિટિંગ અને મા-દીકરી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ અને માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભાગીદારી વધારવા સાથે કન્યા શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. વાલી મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પીએમ શ્રી યોજનાની સુવિધાઓ, પોષણ યોજના અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ની પુનઃરચના જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા અને શાળાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરાયા હતા. મા-દીકરી સંમેલનમાં કન્યા શિક્ષણના મહત્ત્વ, જેન્ડર ઓડિટ, સ્વરક્ષા તાલીમ, સ્વચ્છતા, સેનેટરી નેપકીન સુવિધા અને સરકાર દ્વારા મળતી વિવિધ સુરક્ષાલક્ષી જાણકારીઓ આપવામાં આવી હતી, જેથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે. આચાર્ય મહેશભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ પ્રતિકભાઈ સુખડીયાએ ઉપસ્થિત રહી શિક્ષણને ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા રેખાબેન પ્રજાપતિ અને શિક્ષક યોગેશભાઈ પટેલે કર્યું હતું અને શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી આ આયોજન સંપન્ન થયું હતું.

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા 'સશક્ત પરિવારની ઓળખ – સ્વસ્થ માતા, ખુશાલ સંતાન' થીમ હેઠળ વિશ્વ વસ્તી દિન-2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગભાઈ શ્રીમાળી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ પટેલના માર્ગદર્શન તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિની પ્રેરણાથી યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત એસ.ડી.એચ. વિજાપુર કેમ્પસથી એક જનજાગૃતિ રેલી દ્વારા થઈ હતી, જે તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન વિસ્તાર સુધી ફરી હતી. રેલી દરમિયાન સહભાગીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે આયોજિત વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે વધતી વસ્તીની શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પ્રાકૃતિક સંસાધનો પર થતી અસરો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશના સંતુલિત વિકાસ માટે નાના પરિવારના મહત્વ પર ભાર મૂક્યો હતો. વર્કશોપમાં કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ, ગર્ભનિરોધક વિકલ્પો, બાળલગ્ન રોકવા, લગ્નની યોગ્ય ઉંમર અને બે બાળકો વચ્ચેના અંતર અંગે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રીમતી કે.જે. પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, આશા બહેનો, મહિલા આરોગ્ય કર્મચારીઓ, સીએમટીસી ખાતે દાખલ બાળકોની માતાઓ તેમજ ડૉ. અવંતિકા પટેલ અને પ્રકાશભાઈ નાયી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા 'નાનો પરિવાર – સુખી પરિવાર, સ્વસ્થ માતા – ખુશાલ સંતાન, સમૃદ્ધ સમાજ – શક્તિશાળી રાષ્ટ્ર'નો સંદેશ આપવામાં આવ્યો હતો.
    1
    વિજાપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા 'સશક્ત પરિવારની ઓળખ – સ્વસ્થ માતા, ખુશાલ સંતાન' થીમ હેઠળ વિશ્વ વસ્તી દિન-2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગભાઈ શ્રીમાળી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણ પટેલના માર્ગદર્શન તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિની પ્રેરણાથી યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત એસ.ડી.એચ. વિજાપુર કેમ્પસથી એક જનજાગૃતિ રેલી દ્વારા થઈ હતી, જે તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન વિસ્તાર સુધી ફરી હતી. રેલી દરમિયાન સહભાગીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે આયોજિત વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે વધતી વસ્તીની શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પ્રાકૃતિક સંસાધનો પર થતી અસરો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશના સંતુલિત વિકાસ માટે નાના પરિવારના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વર્કશોપમાં કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ, ગર્ભનિરોધક વિકલ્પો, બાળલગ્ન રોકવા, લગ્નની યોગ્ય ઉંમર અને બે બાળકો વચ્ચેના અંતર અંગે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રીમતી કે.જે. પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, આશા બહેનો, મહિલા આરોગ્ય કર્મચારીઓ, સીએમટીસી ખાતે દાખલ બાળકોની માતાઓ તેમજ ડૉ. અવંતિકા પટેલ અને પ્રકાશભાઈ નાયી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા 'નાનો પરિવાર – સુખી પરિવાર, સ્વસ્થ માતા – ખુશાલ સંતાન, સમૃદ્ધ સમાજ – શક્તિશાળી રાષ્ટ્ર'નો સંદેશ આપવામાં આવ્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ પંથકમાં દૈનિક અંદાજે 5,000 લિટર દૂધ ભરતી મંડળીઓનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે છેલ્લા 20 દિવસથી સ્થાનિક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પશુપાલકો ભારે વેદના અનુભવી રહ્યા છે. પશુપાલકોને સાબરડેરી કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધુ ભાવ મળતો હોવાથી તેઓ અત્યાર સુધી ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા. જોકે, હવે ત્યાં દૂધ સ્વીકારવાનું બંધ થઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાવનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરી દ્વારા યોગ્ય અને સારા ભાવથી સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    4
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ પંથકમાં દૈનિક અંદાજે 5,000 લિટર દૂધ ભરતી મંડળીઓનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે છેલ્લા 20 દિવસથી સ્થાનિક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પશુપાલકો ભારે વેદના અનુભવી રહ્યા છે.

પશુપાલકોને સાબરડેરી કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધુ ભાવ મળતો હોવાથી તેઓ અત્યાર સુધી ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા. જોકે, હવે ત્યાં દૂધ સ્વીકારવાનું બંધ થઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાવનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરી દ્વારા યોગ્ય અને સારા ભાવથી સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • gaon Rani sar
    1
    gaon Rani sar
    user_Ajay Solanki
    Ajay Solanki
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો ભારે વેદનાનો સામનો કરી રહ્યા છે. અમુલ ફેડરેશન દ્વારા દૈનિક પાંચ હજાર દૂધ ભરતી મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. સાબરડેરી કરતા લીટર દીઠ બે રૂપિયા વધુ મળતા હોવાના કારણે આ પશુપાલકો નજીકના ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા, પરંતુ છેલ્લા ૨૦ દિવસથી દૂધ બંધ થઈ જતાં પશુપાલકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ગંભીર મુશ્કેલીને પગલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરીમાં સારા ભાવથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
    4
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો ભારે વેદનાનો સામનો કરી રહ્યા છે. અમુલ ફેડરેશન દ્વારા દૈનિક પાંચ હજાર દૂધ ભરતી મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. સાબરડેરી કરતા લીટર દીઠ બે રૂપિયા વધુ મળતા હોવાના કારણે આ પશુપાલકો નજીકના ખેડા જિલ્લામાં પોતાનું દૂધ ભરાવતા હતા, પરંતુ છેલ્લા ૨૦ દિવસથી દૂધ બંધ થઈ જતાં પશુપાલકોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

આ ગંભીર મુશ્કેલીને પગલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોનું દૂધ સાબરડેરીમાં સારા ભાવથી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધ વેચાણના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ વિસ્તારની દૈનિક અંદાજે પાંચ હજાર લીટર દૂધ એકત્ર કરતી દૂધ મંડળીઓનું દૂધ અગાઉ નજીકના ખેડા જિલ્લામાં ભરવામાં આવતું હતું, કારણ કે ત્યાં સાબરડેરી કરતાં પ્રતિ લીટર આશરે બે રૂપિયા વધુ ભાવ મળતો હતો. જોકે, અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકો આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા ૨૦ દિવસથી યોગ્ય બજાર અને ભાવ ન મળતાં અનેક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે યોગ્ય ભાવ ન મળવાથી તેમની આવક પર સીધી અસર પડી છે. આ ગંભીર પ્રશ્નને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને તેમના દૂધની ખરીદી સાબરડેરી દ્વારા યોગ્ય તેમજ સ્પર્ધાત્મક ભાવથી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ઉઠાવી હતી. પશુપાલકો આશા રાખી રહ્યા છે કે સંબંધિત તંત્ર અને ડેરી સંચાલન દ્વારા તેમના હિતમાં આ સમસ્યાનો વહેલી તકે કાયમી અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી પશુપાલકોને થઈ રહેલું આર્થિક નુકસાન અટકી શકે.
    4
    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધ વેચાણના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ વિસ્તારની દૈનિક અંદાજે પાંચ હજાર લીટર દૂધ એકત્ર કરતી દૂધ મંડળીઓનું દૂધ અગાઉ નજીકના ખેડા જિલ્લામાં ભરવામાં આવતું હતું, કારણ કે ત્યાં સાબરડેરી કરતાં પ્રતિ લીટર આશરે બે રૂપિયા વધુ ભાવ મળતો હતો. જોકે, અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકો આર્થિક સંકટમાં મુકાયા છે.

છેલ્લા ૨૦ દિવસથી યોગ્ય બજાર અને ભાવ ન મળતાં અનેક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે યોગ્ય ભાવ ન મળવાથી તેમની આવક પર સીધી અસર પડી છે. આ ગંભીર પ્રશ્નને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને તેમના દૂધની ખરીદી સાબરડેરી દ્વારા યોગ્ય તેમજ સ્પર્ધાત્મક ભાવથી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ ઉઠાવી હતી. પશુપાલકો આશા રાખી રહ્યા છે કે સંબંધિત તંત્ર અને ડેરી સંચાલન દ્વારા તેમના હિતમાં આ સમસ્યાનો વહેલી તકે કાયમી અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી પશુપાલકોને થઈ રહેલું આર્થિક નુકસાન અટકી શકે.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • વિજાપુરની પીએમ શ્રી પ્રાથમિક શાળા નં. 2 ખાતે શુક્રવારે વાલી મિટિંગ અને મા-દીકરી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ અને માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભાગીદારી વધારવા સાથે કન્યા શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. વાલી મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પીએમ શ્રી યોજનાની સુવિધાઓ, પોષણ યોજના અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ની પુનઃરચના જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા અને શાળાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરાયા હતા. મા-દીકરી સંમેલનમાં કન્યા શિક્ષણના મહત્ત્વ, જેન્ડર ઓડિટ, સ્વરક્ષા તાલીમ, સ્વચ્છતા, સેનેટરી નેપકીન સુવિધા અને સરકાર દ્વારા મળતી વિવિધ સુરક્ષાલક્ષી જાણકારીઓ આપવામાં આવી હતી, જેથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે. આચાર્ય મહેશભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ પ્રતિકભાઈ સુખડીયાએ ઉપસ્થિત રહી શિક્ષણને ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા રેખાબેન પ્રજાપતિ અને શિક્ષક યોગેશભાઈ પટેલે કર્યું હતું અને શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી આ આયોજન સંપન્ન થયું હતું.
    1
    વિજાપુરની પીએમ શ્રી પ્રાથમિક શાળા નં. 2 ખાતે શુક્રવારે વાલી મિટિંગ અને મા-દીકરી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ અને માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભાગીદારી વધારવા સાથે કન્યા શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો.

વાલી મિટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પીએમ શ્રી યોજનાની સુવિધાઓ, પોષણ યોજના અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ની પુનઃરચના જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા અને શાળાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરાયા હતા. મા-દીકરી સંમેલનમાં કન્યા શિક્ષણના મહત્ત્વ, જેન્ડર ઓડિટ, સ્વરક્ષા તાલીમ, સ્વચ્છતા, સેનેટરી નેપકીન સુવિધા અને સરકાર દ્વારા મળતી વિવિધ સુરક્ષાલક્ષી જાણકારીઓ આપવામાં આવી હતી, જેથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે.

આચાર્ય મહેશભાઈ પટેલ અને એસએમસી અધ્યક્ષ પ્રતિકભાઈ સુખડીયાએ ઉપસ્થિત રહી શિક્ષણને ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા રેખાબેન પ્રજાપતિ અને શિક્ષક યોગેશભાઈ પટેલે કર્યું હતું અને શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી આ આયોજન સંપન્ન થયું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • મહેસાણામાં આવેલા રાજમહેલ કોર્ટ કેમ્પસમાં શનિવારની રજાના દિવસે જુગાર રમતા ઈસમો ઝડપાયા છે. ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલા કોલના આધારે ૧૧૨ નંબરની પોલીસ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેના કારણે જુગાર રમતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઈસમો કુકી કોઈનનો ઉપયોગ કરીને હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. ઝડપાયેલા લોકોમાં એક મહિલા અને અન્ય ચારથી પાંચ ઈસમોનો સમાવેશ થાય છે, જેઓ રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા.
    2
    મહેસાણામાં આવેલા રાજમહેલ કોર્ટ કેમ્પસમાં શનિવારની રજાના દિવસે જુગાર રમતા ઈસમો ઝડપાયા છે. ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલા કોલના આધારે ૧૧૨ નંબરની પોલીસ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેના કારણે જુગાર રમતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઈસમો કુકી કોઈનનો ઉપયોગ કરીને હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. ઝડપાયેલા લોકોમાં એક મહિલા અને અન્ય ચારથી પાંચ ઈસમોનો સમાવેશ થાય છે, જેઓ રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.