મોટા આગરીયાની દીકરીએ યુનિવર્સિટીમાં મેળવ્યો પ્રથમ ક્રમ, સુવર્ણ ચંદ્રકથી સન્માનિત આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે યુવતીઓ સતત આગળ વધી રહી છે અને પોતાની મહેનત તથા સંઘર્ષના બળે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે. અનેક પડકારો વચ્ચે પણ દૃઢ નિશ્ચય અને લગનથી સફળતા પ્રાપ્ત કરવાની ઘટનાઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.એવી જ એક ગૌરવસભર સિદ્ધિ મોટા આગરીયા ગામમાંથી સામે આવી છે. શિવાનીબેન રમેશભાઈ જાલંધરા એ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કલા અભ્યાસક્રમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ ઉપલબ્ધિને માન્યતા આપતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.આ સિદ્ધિથી મોટા આગરીયા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.શિવાનીબેનની આ સફળતા સંઘર્ષ, મહેનત અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે, જે અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.આ પ્રસંગે આહીર સમાજ તેમજ વિસ્તારના અગ્રણીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મોટા આગરીયાની દીકરીએ યુનિવર્સિટીમાં મેળવ્યો પ્રથમ ક્રમ, સુવર્ણ ચંદ્રકથી સન્માનિત આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે યુવતીઓ સતત આગળ વધી રહી છે અને પોતાની મહેનત તથા સંઘર્ષના બળે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે. અનેક પડકારો વચ્ચે પણ દૃઢ નિશ્ચય અને લગનથી સફળતા પ્રાપ્ત કરવાની ઘટનાઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.એવી જ એક ગૌરવસભર સિદ્ધિ મોટા આગરીયા ગામમાંથી સામે આવી છે. શિવાનીબેન રમેશભાઈ જાલંધરા એ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કલા અભ્યાસક્રમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ ઉપલબ્ધિને માન્યતા આપતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે તેમને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.આ સિદ્ધિથી મોટા આગરીયા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.શિવાનીબેનની આ સફળતા સંઘર્ષ, મહેનત અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે, જે અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.આ પ્રસંગે આહીર સમાજ તેમજ વિસ્તારના અગ્રણીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
- રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું1
- 🔋 BNG Green Energy સાથે મેળવો વિશ્વાસપૂર્ણ સોલર સોલ્યુશન 👉 Tata Solar ના Authorised Dealer 📍 ભાવનગર થી દ્વારકા સુધી અમારી બ્રાન્ચો 📍 ગુજરાતભર ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ ✅ 8 વર્ષનો અનુભવ ✅ 250+ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ 🏠 હવે તમારા ઘર માટે સસ્તું અને ટકાઉ સોલર સિસ્ટમ લગાવો 💡 એકવાર ઇન્સ્ટોલ કરો અને વર્ષો સુધી મફત વીજળી મેળવો 📍 સરનામું: છતરીયા રોડ, સરસ્વતી સ્કૂલ સામે, રાજુલા 📞 સંપર્ક: +91 97277 77171 ✨ આજે જ સંપર્ક કરો અને તમારા વીજળીના ખર્ચમાં મોટો બચાવ કરો!1
- Post by Loksamnanews channel1
- motivational story1
- "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ4
- રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો1