જાંબુઘોડા ખાતે 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન-૨૦૨૬' અંતર્ગત પ્રાદેશિક તાલીમ કાર્યશાળા યોજાઈ પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..
જાંબુઘોડા ખાતે 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન-૨૦૨૬' અંતર્ગત પ્રાદેશિક તાલીમ કાર્યશાળા યોજાઈ પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..
- જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ1
- છોટાઉદેપુર : બ્રેકિંગ કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોખમી બ્રિજ પર દોડી રહ્યા છે વાહનો, રેતી ભરેલા ડમ્પર, હાઇવા પસાર થતા જોવા મળ્યા, વૈકલ્પિક માર્ગ અપનાવવાના બદલે જર્જરિત બ્રિજ નૉ ઉપયોગ, જોખમી બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, સુકેત અને વસવા બ્રિજ પર ગઈકાલે જ કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું, 10 ટનથી વધારે વજન વાળા વાહનો પસાર નહીં થવા માટે જાહેરનામું, બ્રિજ પરથી 20 થી 25 ટન વજન ધરાવતા વાહનો પસાર થતા જોખમ,1
- હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર 18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે આજે ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણમાં **‘પંચ કુંડી ગાયત્રી યજ્ઞ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા સંકુલમાં યોજાયેલા આ યજ્ઞમાં મંડળ સંચાલિત બંને શાળાઓના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ, માજી સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વાતાવરણમાં હકારાત્મકતા લાવવાનો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો હતો આ અવસરે માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સામાજિક સમરસતાના દર્શન પણ થયા હતા. શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ હોંશે હોંશે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે:યજ્ઞ દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે.આવા આયોજનોથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે અને શૈક્ષણિક કાર્યમાં પણ એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.હકારાત્મક ઊર્જાથી સંસ્થા અને તેની સાથે જોડાયેલા તમામ લોકોની પ્રગતિ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવાર અને કેળવણી પ્રચારક મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું. પવિત્ર આહુતિઓ સાથે સંપન્ન થયેલા આ યજ્ઞથી સમગ્ર પંથકમાં આનંદ અને શાંતિની લહેર પ્રસરી છે.1
- મતદાન કેવી રીતે કરશો? AMC ઇલેક્શન 2026માં મતદાન કરવા અંગે તમામ જરૂરી માર્ગદર્શન.1
- jita ga hum1
- mannat mangi ne duva ma tu re mali....💞💞💞💞1
- હાલોલના પાવાગઢ રોડ ઉપર તાજેતરમાં પાડી દેવામાં આવેલા ‘બોમ્બે હાઉસ’ નામના કોમ્પ્લેક્સની ચાલી રહેલા ખોદકામ દરમિયાન 18 એપ્રિલ શનિવારના રોજ રાતનાં સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી નકામું વહેતાં ચકચાર મચી હતી.મળતી માહિતી મુજબ, જૂની અને જર્જરિત ઇમારતો પાડી દેવાના આદેશ બાદ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા બોમ્બે હાઉસ કોમ્પ્લેક્સને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઇમારત પાડી દેવાઈ છે અને કોન્ટ્રાકટર દ્વારા તેનો કાટમાળ કાળવાણી કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન કાટમાળ માંથી નીકળતા લોખંડ ના સલિયા જેસીબી મશીનથી કાઢતી વખતે નજીકમાંથી પસાર થતી નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ ખોદકામ દરમ્યાન જમીનમાં દબાવવામાં આવેલી નર્મદા નહેરના પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનને નુકસાન પહોંચતાં તેમાં ભંગાણ થયું હતું. જેના કારણે ભારે દબાણ સાથે પાણી ફુવારા જેવું ઉછળીને બહાર આવતું જોવા મળ્યું હતું.આ બનાવના કારણે હજારો લીટર પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. સ્થળ પર હાજર લોકોએ પાણીનો વ્યર્થ વહેવટ જોઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી અને પાઇપ લાઇન ની મરામત્ર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી1