765 કે.વી. વીજ લાઇન સામે ખેડૂતોનો રણકાર: સણાવિયા-ડેલમાં કંપનીને ખેતરમાં પ્રવેશ પર રોક! વાવ-થરાદ વિસ્તારમાં રાધાનેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કે.વી. વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનો કોઈપણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં દસ ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો. સણાવિયા ગામના ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે.
765 કે.વી. વીજ લાઇન સામે ખેડૂતોનો રણકાર: સણાવિયા-ડેલમાં કંપનીને ખેતરમાં પ્રવેશ પર રોક! વાવ-થરાદ વિસ્તારમાં રાધાનેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કે.વી. વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
છે. આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં
સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનો કોઈપણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં દસ ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું
જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો. સણાવિયા ગામના ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે.
- વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નું પોઝીટીવ કેસ નુ નિવેદન આવ્યા બાદ એક બાળકી નું મોત અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- *વાવ થરાદ જીલ્લા ના દિયોદર તાલુકાના કુંવારવા ગામે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિ, ભાવ અને વૈભવ સાથે ઉજવાયો* શ્રી રાજવિધા પ્રચાર સેવા સંસ્થાન સંચાલિત કુંવારવા આશ્રમ ખાતે અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ ભવ્ય અને દિવ્ય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુરુપૂજન, પાદુકા પૂજન અને આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભજન, સત્સંગ, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ ભક્તિમય બની ગયો હતો. હરિભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી જીવનમાં સદ્માર્ગે ચાલવાની પ્રેરણા મેળવી હતી. આ પ્રસંગે આશ્રમના સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહોત્સવના અંતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. 'ગુરુ વિના જીવનનું અજ્ઞાન દૂર થઈ શકતું નથી' : કરુણાનંદજી બાપુ આ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, "ગુરુ એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ પરમાત્મા સુધી પહોંચાડતો જીવંત સેતુ છે. જે જીવનમાં ગુરુનું સ્થાન સમજે છે, તેના જીવનમાંથી અજ્ઞાન, અહંકાર અને અંધકાર દૂર થઈ જાય છે. ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલનાર વ્યક્તિનું જીવન સેવા, સંસ્કાર, સત્ય અને સાધનાથી ઉજ્જવળ બને છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજના ભૌતિક યુગમાં સંપત્તિ કરતાં સંસ્કારનું મહત્વ વધારે છે. માતા-પિતા અને ગુરુનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતો નથી. સમાજમાં પ્રેમ, એકતા, કરુણા અને માનવસેવાનો ભાવ વધે તે જ સાચી ગુરુદક્ષિણા છે." બાપુશ્રીએ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આત્મસાત કરવા તથા માનવસેવાને જીવનનું ધ્યેય બનાવવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઉપસ્થિત હરિભક્તોએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાત્મા કરુણાનંદજી બાપુના આશીર્વચનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો..... *અહેવાલ રૂડાભાઈ આશલ વાવ થરાદ*1
- 765 કે.વી. વીજ લાઇન સામે ખેડૂતોનો રણકાર: સણાવિયા-ડેલમાં કંપનીને ખેતરમાં પ્રવેશ પર રોક! વાવ-થરાદ વિસ્તારમાં રાધાનેસડાથી મુડેઠા સુધી પ્રસ્તાવિત 765 કે.વી. વીજ લાઇનના ટાવરો અને ખેતરોમાંથી વીજ વાયરો પસાર કરવાની કામગીરીને લઈને સણાવિયા અને ડેલ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે સણાવિયા ગામે રેવન્યુ તલાટીની હાજરીમાં સરકારી અધિકારીઓ, વીજ લાઇન કંપનીના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોની કમિટી રચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતો એ એકમતથી કમિટી રચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સ્થાનિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીનો કોઈપણ કર્મચારી ખેડૂતોના ખેતરમાં પગ મૂકી શકશે નહીં. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીનના બદલામાં દસ ગણા વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. જોકે, ચર્ચા માટે આવેલા રેવન્યુ તલાટીએ આ અંગે પોતે અજાણ હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. આ જવાબથી ખેડૂતોમાં અસંતોષ વધુ વધ્યો હતો. સણાવિયા ગામના ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ સંગઠિત અને ઉગ્ર લડત લડશે.4
- કપડા કાઢી નાખો તો 🦬સલમાન થવાય,ભારતની કમાણી થી પૈસાદાર થાય ક્રિકેટર પાકસથાન નો ખરીદે તેને 🦬સારુ ખાનકહે વાય કોકરોજ ના ઓંન્દોંલન માં ભંડારો લગાવી ને માંણસો જમાડે તેને મોટો 🦬આતંકવાદી કહેવાય વરસાદ નુ પાણી ફરી વળ્યું હોય જો ઘર માં એને ખવડાવે તેને દયાળુ દાતર કહેવાય છાતી ચીરી નાખો તો જ હનુમાન થવાય. ખાલી પૈસા જ હોય તો ધનવાન થવાય, સાથે સંસ્કાર હોય તો જ ખાનદાન થવાય. હવામાંજ ઉડ્યા કરો તો વિમાન થવાય, ધરતી પર પગ રહે તો જ ઇન્સાન થવાય. ગામ ના મળી ને જો તમને અનામત સરપંચ બનાવે તો સાચો સરપંચ થવાય જે આવે એ ભેગું કરો તો સામાન થવાય, આવે એને સમાવો તો જ આસમાન થવાય. ફક્ત કસરત કર્યા કરો તો બળવાન થવાય, મગજને જો રોજ કસો તો જ વિદ્વાન થવાય. વાતે વાતે જો ગુસ્સે થાવ તો હેરાન થવાય, ઠંડકથી પ્રશ્નો ઉકેલો તો જ આગેવાન થવાય. 🖋મન મોજીલો🖊1
- Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી1
- દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ કરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.2
- ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા સમીક્ષા વિડિઓ કોમફ્રેશ બેઠક યોજાઈ... હવામાન વિભાગ ની આગાહી ને લઈ વહીવટી તંત્ર સાબદું બન્યું છે તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામતી માટે પગલા લેવામાં આવી રહા છે ત્યારે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી આપત્તિ પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર દ્વારા વાવ થરાદ જિલ્લા ના તાલુકાઓમાં નાયબ કલેકટરો ની તાલુકા વાઇઝ ડિઝાસ્ટર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાભર મામલતદાર કચેરી મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર ભાભર તાલુકાના ડિઝાસ્ટર લાયઝન અધિકારી દ્વારા ભાભર તાલુકાના અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફ્રેશ થી વરસાદી આપતી ને પહોંચી વળવા આગોતરી કામગીરી અંગે ની મીટીંગ યોજાઈ હતી તેમજ જરૂરી ચૂચના ઓ આપવામાં આવી હતી બેઠક માં ભાભર મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી,તેમજ ચીફ ઓફિસર રૂબરૂ ઉપસ્થિત રહા હતા તેમજ નાયબ કલેક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી હતી આગાહી ને પગલે લોકો એ બિન જરૂરી બહાર નીકળવું નહીં નીચાણ વાળા વિસ્તારો ના લોકો એ સલામત સ્થળે જતું રહેવું પોતાના પશુ ને બાંધી ને રાખવા નહીં પૂરતું કરિયાણું ખાધ સામગ્રી રાખવી સહિત ની જરૂરી ચૂચના આપવામાં આવી હતી1
- વાવ થરાદ જિલ્લામાં લાખો રૂપિયાના બળદ વેચાણા નો વિડીયો થયો વાયરલ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1