logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામે વન વિભાગની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓએ કાયદાકીય મોરચો ખોલ્યો છે. ગ્રામજનોએ સર્વે નંબર ૩૫૫ ની જમીન પર વન વિભાગ દ્વારા પરવાનગી વિના થઈ રહેલા વનીકરણનો સખત વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે, કાનાવાંટના ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખામાં D.F.O. અને રેન્જર સહિતના વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે, જેમાં જમીન વિવાદ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.

1 hr ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
1 hr ago

છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામે વન વિભાગની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓએ કાયદાકીય મોરચો ખોલ્યો છે. ગ્રામજનોએ સર્વે નંબર ૩૫૫ ની જમીન પર વન વિભાગ દ્વારા પરવાનગી વિના થઈ રહેલા વનીકરણનો સખત વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે, કાનાવાંટના ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખામાં D.F.O. અને રેન્જર સહિતના વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે, જેમાં જમીન વિવાદ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામે વન વિભાગની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓએ કાયદાકીય મોરચો ખોલ્યો છે. ગ્રામજનોએ સર્વે નંબર ૩૫૫ ની જમીન પર વન વિભાગ દ્વારા પરવાનગી વિના થઈ રહેલા વનીકરણનો સખત વિરોધ કર્યો છે. આ વિરોધના ભાગરૂપે, કાનાવાંટના ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખામાં D.F.O. અને રેન્જર સહિતના વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે, જેમાં જમીન વિવાદ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ ગામે વન વિભાગની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓએ કાયદાકીય મોરચો ખોલ્યો છે. ગ્રામજનોએ સર્વે નંબર ૩૫૫ ની જમીન પર વન વિભાગ દ્વારા પરવાનગી વિના થઈ રહેલા વનીકરણનો સખત વિરોધ કર્યો છે.

આ વિરોધના ભાગરૂપે, કાનાવાંટના ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીની રજિસ્ટ્રી શાખામાં D.F.O. અને રેન્જર સહિતના વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે, જેમાં જમીન વિવાદ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામના બારીયા ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 7 વર્ષના સાહિલભાઈ વિનુભાઈ રાઠવા નામના બાળકનું વીજ કરંટથી મોત થયું છે. સાહિલ પોતાના ઘર નજીકની દુકાનેથી પરત ફરી રહ્યો હતો ત્યારે ખેતરમાં પડેલા જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ગંભીર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકનો જીવ બચાવી શકાયો ન હતો. પરિવારજનોએ આ દુર્ઘટના માટે MGVCLની બેદરકારીને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે ખેતરમાં જીવતો વીજ વાયર લાંબા સમયથી પડ્યો હોવા છતાં તેને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર વીજ સુરક્ષા અને જર્જરિત વીજ લાઈનોના ગંભીર પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે, ખાસ કરીને વરસાદી માહોલ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ વધતી રહે છે. ગ્રામજનોએ મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જ્યારે આ ઘટના બાદ સમગ્ર ઓડ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    1
    છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામના બારીયા ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 7 વર્ષના સાહિલભાઈ વિનુભાઈ રાઠવા નામના બાળકનું વીજ કરંટથી મોત થયું છે. સાહિલ પોતાના ઘર નજીકની દુકાનેથી પરત ફરી રહ્યો હતો ત્યારે ખેતરમાં પડેલા જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ગંભીર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકનો જીવ બચાવી શકાયો ન હતો.

પરિવારજનોએ આ દુર્ઘટના માટે MGVCLની બેદરકારીને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે ખેતરમાં જીવતો વીજ વાયર લાંબા સમયથી પડ્યો હોવા છતાં તેને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર વીજ સુરક્ષા અને જર્જરિત વીજ લાઈનોના ગંભીર પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે, ખાસ કરીને વરસાદી માહોલ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ વધતી રહે છે. ગ્રામજનોએ મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જ્યારે આ ઘટના બાદ સમગ્ર ઓડ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    17 hrs ago
  • બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    1
    બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી.
    1
    છોટાઉદેપુર જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    23 hrs ago
  • ઉતાવરીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક સ્વાગત સમારંભ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતરભાઈ વસાવા પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં AAPમાં સામેલ થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 1000 જેટલા કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા. આ જોડાણામાં મહેન્દ્રભાઈ બારીયા અને દિલીપભાઈ બારીયા જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓ પણ AAPમાં જોડાયા. આ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂતાઈથી જીત મેળવવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
    1
    ઉતાવરીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક સ્વાગત સમારંભ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતરભાઈ વસાવા પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં AAPમાં સામેલ થયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 1000 જેટલા કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા. આ જોડાણામાં મહેન્દ્રભાઈ બારીયા અને દિલીપભાઈ બારીયા જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓ પણ AAPમાં જોડાયા.

આ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આગામી વિધાનસભા ચૂંટણીમાં મજબૂતાઈથી જીત મેળવવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    નર્મદા•
    2 hrs ago
  • દાહોદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઐતિહાસિક છાબ તળાવ ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ અવસરે વહિવટી તંત્રના અધિકારીઓ, પોલીસ તંત્ર, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગ સાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો હતો. દાહોદની ઓળખ સમા છાબ તળાવ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, કલેકટર શ્રી સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી સહિત દાહોદ અને જિલ્લાભરના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન સૌએ પશ્ચિમ બંગાળથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમ અને તેમના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, દાહોદ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમ સહિત વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન આપતા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલી અનન્ય ભેટ છે, જે શારીરિક અને માનસિક શાંતિની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, યોગથી સારી કોઈ કસરત નથી અને તે લાંબા તથા સ્વસ્થ આયુષ્ય માટે અનિવાર્ય છે, તેથી તેને રોજીંદા જીવનમાં અપનાવવો જોઈએ. આ કાર્યક્રમમાં ભારત ભ્રમણ કરનાર જૈનાચાર્યશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યોગની મહત્વતા પર પ્રેરક પ્રવચન આપતા કહ્યું કે શરીરની સાથે મન, વચન અને કાયાનું પણ સ્વસ્થ હોવું જરૂરી છે. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.
    1
    દાહોદ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઐતિહાસિક છાબ તળાવ ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ અવસરે વહિવટી તંત્રના અધિકારીઓ, પોલીસ તંત્ર, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગ સાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો હતો.

દાહોદની ઓળખ સમા છાબ તળાવ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, કલેકટર શ્રી સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી સહિત દાહોદ અને જિલ્લાભરના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન સૌએ પશ્ચિમ બંગાળથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમ અને તેમના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, દાહોદ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમ સહિત વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન આપતા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ આપેલી અનન્ય ભેટ છે, જે શારીરિક અને માનસિક શાંતિની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, યોગથી સારી કોઈ કસરત નથી અને તે લાંબા તથા સ્વસ્થ આયુષ્ય માટે અનિવાર્ય છે, તેથી તેને રોજીંદા જીવનમાં અપનાવવો જોઈએ. આ કાર્યક્રમમાં ભારત ભ્રમણ કરનાર જૈનાચાર્યશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યોગની મહત્વતા પર પ્રેરક પ્રવચન આપતા કહ્યું કે શરીરની સાથે મન, વચન અને કાયાનું પણ સ્વસ્થ હોવું જરૂરી છે. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    20 hrs ago
  • છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે MGVCLની લાલિયાવાડી અને ગુનાહિત બેદરકારીને કારણે એક કમકમાટીભરી ઘટના બની છે, જ્યાં ૮ વર્ષના બાળક સાહીલ રાઠવાનું જીવંત વીજ વાયરની ઝપેટમાં આવી જવાથી મોત નીપજ્યું છે. વરસાદ અને પવનના કારણે ખેતરમાં તૂટી પડેલો વીજ વાયર બાળક માટે જીવલેણ સાબિત થયો. સાહીલ દુકાનેથી સેવ-મમરા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે વીજ કંપનીની આ ઘોર બેદરકારી તેને ભરખી ગઈ. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે તેમના આક્ષેપ મુજબ, લાઈનમેન અને હેલ્પરને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું. ઝોઝ પોલીસે આ મામલે અમોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે MGVCLની લાલિયાવાડી અને ગુનાહિત બેદરકારીને કારણે એક કમકમાટીભરી ઘટના બની છે, જ્યાં ૮ વર્ષના બાળક સાહીલ રાઠવાનું જીવંત વીજ વાયરની ઝપેટમાં આવી જવાથી મોત નીપજ્યું છે. વરસાદ અને પવનના કારણે ખેતરમાં તૂટી પડેલો વીજ વાયર બાળક માટે જીવલેણ સાબિત થયો. સાહીલ દુકાનેથી સેવ-મમરા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે વીજ કંપનીની આ ઘોર બેદરકારી તેને ભરખી ગઈ. 

ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે તેમના આક્ષેપ મુજબ, લાઈનમેન અને હેલ્પરને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું. ઝોઝ પોલીસે આ મામલે અમોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    10 hrs ago
  • હાલોલ તાલુકાના નવા કુવા ચોકડી પાસે ગત રવિવારે, ૨૧ જૂનના રોજ એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ સ્પીડે આવી રહેલા ટ્રક ચાલકે ૧૮ વર્ષીય બાઇક સવાર યુવકને જોરદાર અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મૃતક યુવકની ઓળખ હાલોલ તાલુકાના વાંકડીયા ગામના રહેવાસી જયદીપ શાંતિલાલ રાઠવા (ઉંમર ૧૮ વર્ષ) તરીકે થઈ છે. જયદીપ નવાકુવા ગામે ઘરનું અનાજ દળાવીને પોતાના બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ભયાનક અકસ્માતમાં જયદીપને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાકીદે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે પાવાગઢ પોલીસને જાણ કરાતા, પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી છે.
    1
    હાલોલ તાલુકાના નવા કુવા ચોકડી પાસે ગત રવિવારે, ૨૧ જૂનના રોજ એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ સ્પીડે આવી રહેલા ટ્રક ચાલકે ૧૮ વર્ષીય બાઇક સવાર યુવકને જોરદાર અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મૃતક યુવકની ઓળખ હાલોલ તાલુકાના વાંકડીયા ગામના રહેવાસી જયદીપ શાંતિલાલ રાઠવા (ઉંમર ૧૮ વર્ષ) તરીકે થઈ છે. જયદીપ નવાકુવા ગામે ઘરનું અનાજ દળાવીને પોતાના બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

આ ભયાનક અકસ્માતમાં જયદીપને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાકીદે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે પાવાગઢ પોલીસને જાણ કરાતા, પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    59 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.