જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 'વૃદ્ધ નિકેતન' ખાતે વડીલો સાથે અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન પર્વ જુનાગઢ : આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વયોવૃદ્ધ વડીલો માટે આશ્રયસ્થાન સમાન અને સ્વમાન સાથેનું ઘર ગણાતી "વૃદ્ધ નિકેતન" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ અને સંસ્થામાં રહેતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસમાં સંસ્થાના વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતા સીમિત ન રહેતા પરિવાર જેવા સ્નેહસભર હોવાની અનુભૂતિ આ પ્રસંગે થઈ હતી. સંસ્થાના વડીલોએ પોલીસ પરિવાર દ્વારા આપવામાં આવેલા આ સ્નેહ અને સમય બદલ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે પોલીસ જવાનોએ પણ વડીલો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હતી. આ અનોખી ઉજવણીએ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 'વૃદ્ધ નિકેતન' ખાતે વડીલો સાથે અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન પર્વ જુનાગઢ : આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વયોવૃદ્ધ વડીલો માટે આશ્રયસ્થાન સમાન અને સ્વમાન સાથેનું ઘર ગણાતી "વૃદ્ધ નિકેતન" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ અને સંસ્થામાં રહેતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસમાં સંસ્થાના વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતા સીમિત ન રહેતા પરિવાર જેવા સ્નેહસભર હોવાની અનુભૂતિ આ પ્રસંગે થઈ હતી. સંસ્થાના વડીલોએ પોલીસ પરિવાર દ્વારા આપવામાં આવેલા આ સ્નેહ અને સમય બદલ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે પોલીસ જવાનોએ પણ વડીલો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હતી. આ અનોખી ઉજવણીએ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું1
- વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ... વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા1
- જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 'વૃદ્ધ નિકેતન' ખાતે વડીલો સાથે અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન પર્વ જુનાગઢ : આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વયોવૃદ્ધ વડીલો માટે આશ્રયસ્થાન સમાન અને સ્વમાન સાથેનું ઘર ગણાતી "વૃદ્ધ નિકેતન" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ અને સંસ્થામાં રહેતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસમાં સંસ્થાના વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતા સીમિત ન રહેતા પરિવાર જેવા સ્નેહસભર હોવાની અનુભૂતિ આ પ્રસંગે થઈ હતી. સંસ્થાના વડીલોએ પોલીસ પરિવાર દ્વારા આપવામાં આવેલા આ સ્નેહ અને સમય બદલ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે પોલીસ જવાનોએ પણ વડીલો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હતી. આ અનોખી ઉજવણીએ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- બોટાદ અપડેટ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ભીમડાદ ગામના યુવકની હત્યાનો મામલો. ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા એ આપી માહિતી. પરિણીત સ્ત્રી સાથે કથીત આડાસંબંઘના કારણે નિપજાવાઈ હત્યા. હત્યારાની પત્ની સાથે મૃતકના કથીત આડાસંબંઘ હોવાની માહિતી મળતા પીછો કરી ઉગામેડી ગામની બજારમાં પહોંચતા હુમલો કર્યો હતો. મૃતકની થઈ ઓળખ મૃતકનું નામ વિ.એલ.સાગઠીયા. પોલીસની તપાસમાં મૃતકના એક મહિલા સાથેના કથિત આડા સંબંધની આશંકા હોવાનું એસપી એ જણાવ્યું. મહિલાના પતિ છનાભાઈ પરમારને આ સંબંધની જાણ થતાં મૃતકનો પીછો કર્યો હોવાની પોલીસને માહિતી મૃતક ઉગામડી ગામે પહોંચતા આરોપીએ પીછો કરી બજારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો આરોપીએ પોતાની પત્ની મહિલાને પણ ચપ્પુનો ઘા માર્યો હોવાની માહિતી. ઘટનાની જાણ થતાં એસપી, DySP, ગઢડા પોલીસ, LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી હત્યાના મુખ્ય આરોપી છનાભાઈ પરમારને પોલીસે ગણતરીની કલાકોમાં કર્યો રાઉન્ડઅપ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ તેમજ ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને CDRના આધારે તપાસ હાથ ધરી. ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસની વિવિધ ટીમોની કામગીરીથી મુખ્ય આરોપી છનાભાઈ પરમારને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરાઈ. બાઈટ - ધર્મેન્દ્ર શર્મા - એસપી બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1